AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: હવે દેશભરમાં 12 વર્ષથી ઉપરના તમામ બાળકોને અપાશે વિનામૂલ્યે કોરોનાની રસી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જાહેરાત

સૂત્રોનું કહેવું છે કે 12 થી 14 વર્ષની વયજૂથને બાયોલોજિક ES કોર્બોવેક્સની રસી આપવામાં આવશે. ગયા વર્ષે 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ થયું હતું.

Corona Vaccination: હવે દેશભરમાં 12 વર્ષથી ઉપરના તમામ બાળકોને અપાશે વિનામૂલ્યે કોરોનાની રસી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જાહેરાત
Corona vaccine (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 2:48 PM
Share

કોરોના વાયરસ (Corona virus) સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન, 12 થી 13 અને 13 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ (Corona vaccine) આગામી 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ‘બુસ્ટર ડોઝ’ (Booster dose) આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે સોમવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું, ‘બાળકો સુરક્ષિત તો, દેશ સુરક્ષિત ! મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને હવે બુસ્ટર ડોઝ મેળવી શકશે. હું બાળકોના પરિવારજનો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ કરાવવા વિનંતી કરું છું.

સૂત્રોનું કહેવું છે કે 12 થી 14 વર્ષની વયજૂથને બાયોલોજિક ES કોર્બોવેક્સની રસી આપવામાં આવશે. ગયા વર્ષે 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. ભારતે આ વર્ષે 10 જાન્યુઆરીથી આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ચૂંટણી ફરજ પરના લોકો સહિત 60 અને તેથી વધુ વયના લોકોને એન્ટી-કોવિડ-19 રસીના બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું. દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દેશમાં અત્યાર સુધીમાં 180.19 કરોડથી વધુ રસી અપાઈ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે 7 વાગ્યા સુધી દેશમાં કોવિડ-19 રસીકરણ 180.19 કરોડ (1,80,19,45,779) ને વટાવી ગયું છે. આ સિદ્ધિ 2,10,99,040 રસીકરણ ઝુંબેશ દ્વારા હાંસલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે સમગ્ર દેશમાં રસીકરણનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે અને લોકોના રસીકરણની ગતિને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ-19 રસી બધાને ઉપલબ્ધ કરાવવા માટે 21 જૂન 2021થી નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.

દેશમાં 17.38 કરોડથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું, ‘વધુ અને વધુ રસીની ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. રસીકરણની ઝુંબેશ હેઠળ, રાજ્યોને રસીની ઉપલબ્ધતા વિશે અગાઉથી જાણ કરવામાં આવે છે, જેથી તેઓ રસીકરણ માટે વધુ સારી રીતે આયોજન કરી શકે અને રસીની સપ્લાય ચેઇનને યોગ્ય રીતે આયોજન કરી શકે. અત્યાર સુધીમાં, કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યોને રસીના લગભગ 182.79 કરોડ (1,82,79,40,230) ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં, કોવિડ-19 રસીના 17.38 કરોડ (17,38,21,446) થી વધુ વધારાના અને ન વપરાયેલ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ

Surat : છેલ્લા 10 દિવસમાં કોરોનાના ફક્ત 11 જ કેસ, મનપાએ હવે લોકો સુધી પહોંચવાને બદલે હેલ્થ સેન્ટરો પર જ ટેસ્ટિંગ ચાલુ રાખ્યું

આ પણ વાંચોઃ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા થયા કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">