Surat : છેલ્લા 10 દિવસમાં કોરોનાના ફક્ત 11 જ કેસ, મનપાએ હવે લોકો સુધી પહોંચવાને બદલે હેલ્થ સેન્ટરો પર જ ટેસ્ટિંગ ચાલુ રાખ્યું

મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.

Surat : છેલ્લા 10 દિવસમાં કોરોનાના ફક્ત 11 જ કેસ, મનપાએ હવે લોકો સુધી પહોંચવાને બદલે હેલ્થ સેન્ટરો પર જ ટેસ્ટિંગ ચાલુ રાખ્યું
Only 11 cases of corona in last 10 days in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:40 AM

કોવિડની (Corona ) પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવી જતાં હવે આરટીપીસીઆર(RTPCR) અને રેપિડ(Rapid ) ટેસ્ટના પ્રમાણમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. પહેલી માર્ચથી મનપા દ્વારા ધન્વંતરી ૨થ તથા અન્ય માધ્યમો દ્વારા રેપિડ ટેસ્ટની સુવિધા પણ બંધ કરી છે અને હવે ફક્ત ૫૨ હેલ્થ સેન્ટરો પર જ આરટીપીસીઆર રેપિડ ટેસ્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ સિવાય ખાનગી હોસ્પિટલોમાં , લેબોમાં પેઇડ ટેસ્ટિંગની સુવિધા યથાવત છે . મનપા દ્વારા ફેબ્રુઆરીના મધ્ય સુધી દરરોજ એવરેજ 15 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવતા હતા જ્યારે ગત 1 માર્ચથી 10 માર્ચ સુધી શહે૨ માં માત્ર 9436 આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને માત્ર 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

પોઝિટિવિટીનો દર 0.12 ટકા નોંધાયો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં થયેલ ભારે ઘટાડા ઉપરાંત હવે લોકોમાંથી પણ કોવિડનો ભય દૂર થઇ જતાં કોવિડ ટેસ્ટિંગ માટે મનપાના હેલ્થ સેન્ટરો કે ખાનગી હોસ્પિટલો / લેબમાં જવાનું બંધ કરાયું છે . 1 થી 10 માર્ચ સુધીના મનપાના હેલ્થ સેન્ટરો , ખાનગી ક્ષેત્રે થયેલ કોવિડ ટેસ્ટિંગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે , શહેરમાં નાગરિકોની માનસિકતા કોવિડ બાબતે કેટલે અંશે રાહતભરી થઇ ગઇ છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

હાલ પણ સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ મારફતે શહેરમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે. પ્રતિદિન અંદાજે 7 હજાર જેટલાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે , પરંતુ પહેલી માર્ચથી સંજીવની રથ , ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવી છે.

એટલું જ નહીં ત્રીજી લહેર દરમિયાન તાત્કાલિક અસ૨ થી કોન્ટ્રાક્ટ ધોરણે ઊભી કરાયેલ મેનપાવર , મશીનરી પણ છૂટી કરવામાં આવી છે. ફક્ત હેલ્થ સેન્ટરો પર કાર્યરત કોવિડ ટેસ્ટ યથાવત રાખવામાં આવ્યા છે . ઝોનોમાં સ્થિત કોરોનાના કંટ્રોલરૂમો પણ પહેલી માર્ચથી બંધ કરાયા છે. જ્યારે વેસુ ખાતે સ્થિત સેન્ટ્રલ કંટ્રોલરૂમ 15 માર્ચ સુધી કાર્યરત રાખવામાં આવશે.

મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.

ત્રણ થી નવ જાન્યુઆરી સુધીના સપ્તાહમાં 1,02,965 ટેસ્ટ , 10 થી 16 જાન્યુ . સુધીના સપ્તાહમાં 1,15,191 ટેસ્ટ , 7 ફેબ્રુ . થી 13 ફેબ્રુ . દરમિયાનના સપ્તાહમાં 53,394 ટેસ્ટ , 21 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીના સપ્તાહના 29,479 આરટીપીસીઆર – રેપિડ ટેસ્ટ શહેરમાં થયા હતા જ્યારે 1 થી 10 માર્ચ દરમિયાનના 10 દિવસમાં શહેરમાં માત્ર 9436 કોવિડ ટેસ્ટ કરાવવા લોકો આવ્યા છે. તેમાંય માત્ર 11 પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ પણ વાંચો :

Surat : પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બનેલી “ટોપી” સુરતમાં તૈયાર કરાઈ છે, ડિઝાઇનરનું નામ જાણશો તો ચોંકી જશો

સુરતના માનદરવાજા વિસ્તારમાં આર્મીમેનની પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ, ચાર વર્ષથી ચાલતો હતો છુટાછેડાનો કેસ

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">