આ રિયલ એસ્ટેટ કંપની 1000 લોકોને નોકરી આપશે, તમામ પોસ્ટ પર નવા કર્મચારીઓની થશે ભરતી

કેનેડા સ્થિત કન્સલ્ટિંગ ફર્મ કોલિયર્સની ભારતીય પેટાકંપની કોલિયર્સ ઈન્ડિયાના વડા તરીકે નાયરે જણાવ્યું હતું કે કાર્યબળ વધારવું, યોગ્ય કાર્ય સંસ્કૃતિ અપનાવવી, બ્રાન્ડનું માર્કેટિંગ કરવું, નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અને ગ્રાહક આધારને વધારવો મહત્વપૂર્ણ છે.

આ રિયલ એસ્ટેટ કંપની 1000 લોકોને નોકરી આપશે, તમામ પોસ્ટ પર નવા કર્મચારીઓની થશે ભરતી
JOB Search
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 7:29 AM

ભારતમાં વ્યવસાયને વિસ્તારવા માટે આક્રમક વ્યૂહરચના અપનાવતા અગ્રણી રિયલ એસ્ટેટ સલાહકાર કંપની કોલિયર્સે(Colliers) આવતા વર્ષે 1,000 થી વધુ કર્મચારીઓની ભરતી કરવાનું નક્કી કર્યું છે.

કોલિયર્સ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રમેશ નાયરે જણાવ્યું હતું કે આવતા વર્ષે કંપની ભારતમાં લગભગ 1,000 નવા કર્મચારીઓની ભરતી કરવા ઉપરાંત જાન્યુઆરીમાં બે નવી સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. ભારતીય બજારમાં વિસ્તરણ કરવાની કંપનીની આક્રમક વ્યૂહરચનાનો આ એક ભાગ છે.

નાયરે જણાવ્યું હતું કે આ વ્યૂહરચના નફાકારકતાના સંદર્ભમાં દેશની ટોચની ત્રણ રિયલ એસ્ટેટ સલાહકાર કંપનીઓમાંથી એક કોલિયર્સ ઇન્ડિયાને બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને અપનાવવામાં આવી છે. નાયર આ વર્ષે જુલાઈમાં જ આ કંપનીના સીઈઓ બન્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેનેડા સ્થિત કન્સલ્ટિંગ ફર્મ કોલિયર્સની ભારતીય પેટાકંપની કોલિયર્સ ઈન્ડિયાના વડા તરીકે નાયરે જણાવ્યું હતું કે કાર્યબળ વધારવું, યોગ્ય કાર્ય સંસ્કૃતિ અપનાવવી, બ્રાન્ડનું માર્કેટિંગ કરવું, નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અને ગ્રાહક આધારને વધારવો મહત્વપૂર્ણ છે.

નાયરે કહ્યું, અમે અમારી તાકાતને વળગી રહીશું. અમે દેશની સૌથી મોટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની છીએ. હવે અમને ઓફિસ, ઔદ્યોગિક , વેરહાઉસ અને કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં અમારો બજારહિસ્સો વધારવાની જરૂર છે.

તમામ પોસ્ટ પર નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે નાયરે કહ્યું કે આ માટે તમામ સ્તરે નવા કર્મચારીઓની ભરતી કરવામાં મદદ મળશે. હાલમાં કોલિયર્સ ઈન્ડિયામાં લગભગ 3,000 કર્મચારીઓ કામ કરે છે. આવતા વર્ષે એક હજાર નવી ભરતી કરવાની યોજના છે.

કંપની જાન્યુઆરી 2022 માં બે નવી સેવાઓ શરૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. જોકે તેમણે આ બાબતે વધુ વિગતો આપી ન હતી પરંતુ કહ્યું હતું કે કંપની બિઝનેસ ડેવલપમેન્ટની સાથે એકાઉન્ટ મેનેજમેન્ટ પર ભાર આપવાનું ચાલુ રાખશે.

રિયલ એસ્ટેટ સેક્ટર કોવિડ-19માંથી રિકવર થઈ રહ્યું છે હવે રિયલ એસ્ટેટ ક્ષેત્ર કોવિડ-19 રોગચાળાના ભરડા માંથી ઘણી હદ સુધી ભાર આવી રહ્યું હોય તેવું લાગે છે. રેસિડેન્શિયલ સેક્ટર ઉપરાંત ઓફિસ અને શોપિંગ મોલમાં પણ સુધારાના સંકેત દેખાઈ રહ્યા છે. નાયરે કહ્યું કે કોવિડ રસીકરણની ઝડપ અને સુધારેલી આર્થિક સ્થિતિ તેને મજબૂત કરી રહી છે.

આ પણ વાંચો : UPSC Success Story: ખરાબ અંગ્રેજીને પડકાર તરીકે લઈને કરી તૈયારી, Nitin Shakya આ રીતે બન્યા IAS ઓફિસર

આ પણ વાંચો : Goverment Jobs : સરકારી વિભાગોમાં મોટાપાયે થઈ રહી છે ભરતી, જાણો વિગતવાર માહિતી અને કઈ રીતે કરવી અરજી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">