AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sainik School: CM કેજરીવાલનો નિર્ણય, સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદી દિવસ પહેલા જાહેરાત કરી છે. તેમણે દિલ્હીની સૈનિક સ્કૂલનું નામ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે.

Sainik School: CM કેજરીવાલનો નિર્ણય, સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 3:25 PM
Share

Delhi Sainik School: 23 માર્ચ ભગતસિંહનો (Bhagat Singh) શહીદી દિવસ છે. પંજાબના સીએમ ભગવંત માને મંગળવાર 23 માર્ચ ભગત સિંહના શહીદ દિવસ પર પંજાબમાં રજા જાહેર કરી છે. તે જ સમયે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે (CM Arvind Kejriwal) કહ્યું કે, દિલ્હી સરકાર એક મિલિટ્રી સ્કૂલ ખોલવા જઈ રહી છે જેનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. સીએમ કેજરીવાલે કહ્યું કે, આવતીકાલે શહીદ-એ-આઝમ ભગત સિંહનો શહીદી દિવસ (Martyrdom Day March 23) છે. ગયા વર્ષે અમે જાહેરાત કરી હતી કે અમે દિલ્હીમાં એક શાળા શરૂ કરીશું જ્યાં બાળકોને લશ્કરમાં જોડાવા માટે તાલીમ આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદી દિવસ પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીની સૈનિક સ્કૂલનું નામ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે. આ શાળા સંપૂર્ણપણે મફત હશે અને રહેણાંક હશે. આ શાળામાં નિવૃત્ત સૈન્ય અધિકારીઓ વિદ્યાર્થીઓને આર્મીમાં જોડાવા માટે તાલીમ આપશે.

સીએમ કેજરીવાલે કરી જાહેરાત

આર્મી ભરતીની તાલીમ સૈનિક સ્કૂલમાં આપવામાં આવશે

સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં એક સ્કૂલ બનાવવામાં આવશે જેમાં એનડીએ જેવા સશસ્ત્ર દળો માટે તૈયારી કરવામાં આવશે, તેનું નામ શહીદ ભગત સિંહ આર્મ્ડ ફોર્સ પ્રિપેરેટરી સ્કૂલ હશે. કેજરીવાલે કહ્યું કે, આ ફ્રી સ્કૂલ હશે. તેમણે કહ્યું કે, 9મા અને 11મામાં એડમિશન લઈ શકાય છે, આ સ્કૂલમાં 100-100 સીટો હશે. સીએમ કેજરીવાલે કહ્યું કે આ 200 સીટો માટે અત્યાર સુધીમાં 18000 અરજીઓ આવી છે.

દિલ્હી સરકાર સૈનિક સ્કૂલ માટે ઝરોડા કલાન ખાતે 14 એકર જમીન પર ‘શહીદ ભગત સિંહ આર્મ્ડ ફોર્સિસ પ્રિપેરેટરી સ્કૂલ’ બનાવી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળો માટે તાલીમ આપવામાં આવશે. સ્કૂલ ફી મફત હશે અને છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયો અલગ-અલગ હશે.

ભગતસિંહના શહીદ દિવસના દિવસે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ ભગવંત માનની સરકારે શહીદ દિવસને લઈને નવી પરંપરા શરૂ કરી છે. સીએમ તરીકે શપથ લીધા બાદથી ભગવંત માન સતત ભગતસિંહની વિચારધારાને આગળ ધપાવવાનો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની 8,000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

આ પણ વાંચો: ભારતીય સેનામાં SSC ટેકનિશિયનની 191 જગ્યા પર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">