Sainik School: CM કેજરીવાલનો નિર્ણય, સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદી દિવસ પહેલા જાહેરાત કરી છે. તેમણે દિલ્હીની સૈનિક સ્કૂલનું નામ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે.

Sainik School: CM કેજરીવાલનો નિર્ણય, સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 3:25 PM

Delhi Sainik School: 23 માર્ચ ભગતસિંહનો (Bhagat Singh) શહીદી દિવસ છે. પંજાબના સીએમ ભગવંત માને મંગળવાર 23 માર્ચ ભગત સિંહના શહીદ દિવસ પર પંજાબમાં રજા જાહેર કરી છે. તે જ સમયે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે (CM Arvind Kejriwal) કહ્યું કે, દિલ્હી સરકાર એક મિલિટ્રી સ્કૂલ ખોલવા જઈ રહી છે જેનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. સીએમ કેજરીવાલે કહ્યું કે, આવતીકાલે શહીદ-એ-આઝમ ભગત સિંહનો શહીદી દિવસ (Martyrdom Day March 23) છે. ગયા વર્ષે અમે જાહેરાત કરી હતી કે અમે દિલ્હીમાં એક શાળા શરૂ કરીશું જ્યાં બાળકોને લશ્કરમાં જોડાવા માટે તાલીમ આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદી દિવસ પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીની સૈનિક સ્કૂલનું નામ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે. આ શાળા સંપૂર્ણપણે મફત હશે અને રહેણાંક હશે. આ શાળામાં નિવૃત્ત સૈન્ય અધિકારીઓ વિદ્યાર્થીઓને આર્મીમાં જોડાવા માટે તાલીમ આપશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સીએમ કેજરીવાલે કરી જાહેરાત

આર્મી ભરતીની તાલીમ સૈનિક સ્કૂલમાં આપવામાં આવશે

સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં એક સ્કૂલ બનાવવામાં આવશે જેમાં એનડીએ જેવા સશસ્ત્ર દળો માટે તૈયારી કરવામાં આવશે, તેનું નામ શહીદ ભગત સિંહ આર્મ્ડ ફોર્સ પ્રિપેરેટરી સ્કૂલ હશે. કેજરીવાલે કહ્યું કે, આ ફ્રી સ્કૂલ હશે. તેમણે કહ્યું કે, 9મા અને 11મામાં એડમિશન લઈ શકાય છે, આ સ્કૂલમાં 100-100 સીટો હશે. સીએમ કેજરીવાલે કહ્યું કે આ 200 સીટો માટે અત્યાર સુધીમાં 18000 અરજીઓ આવી છે.

દિલ્હી સરકાર સૈનિક સ્કૂલ માટે ઝરોડા કલાન ખાતે 14 એકર જમીન પર ‘શહીદ ભગત સિંહ આર્મ્ડ ફોર્સિસ પ્રિપેરેટરી સ્કૂલ’ બનાવી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળો માટે તાલીમ આપવામાં આવશે. સ્કૂલ ફી મફત હશે અને છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયો અલગ-અલગ હશે.

ભગતસિંહના શહીદ દિવસના દિવસે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ ભગવંત માનની સરકારે શહીદ દિવસને લઈને નવી પરંપરા શરૂ કરી છે. સીએમ તરીકે શપથ લીધા બાદથી ભગવંત માન સતત ભગતસિંહની વિચારધારાને આગળ ધપાવવાનો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની 8,000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

આ પણ વાંચો: ભારતીય સેનામાં SSC ટેકનિશિયનની 191 જગ્યા પર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">