AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG Admit Card : આજે NEET PG એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે, આ સરળ સ્ટેપથી ડાઉનલોડ કરી શકશો

NEET PGના એડમિટ કાર્ડ આજે સત્તાવાર વેબસાઇટ nbe.edu પર જાહેર કરવામાં આવશે, તમે આ સરળ સ્ટેપથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

NEET PG Admit Card : આજે NEET PG એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે, આ સરળ સ્ટેપથી ડાઉનલોડ કરી શકશો
NEET PG Admit Card Released Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 10:38 AM
Share

NEET PG Admit Card :  નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET PG) એડમિટ કાર્ડ આજે બહાર પાડવામાં આવશે. NEET PG 2021 એડમિટ કાર્ડ nbe.edu પર રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (NBE)ની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. MD, MS, PG ડિપ્લોમા પ્રવેશ માટે NEET PG 2021ની 11 સપ્ટેમ્બરે પ્રવેશ પરીક્ષા યોજાશે. અગાઉ, NEET PG ની પરીક્ષા 18 એપ્રિલે યોજાવાની હતી અને આ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા એડમિટ કાર્ડ પણ આપવામાં આવ્યા હતા.પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જો કે, અગાઉ જારી કરાયેલા એડમિટ કાર્ડ હવે આ પરીક્ષા માટે માન્ય રહેશે નહીં.તેથી વિદ્યાર્થીઓએ આ સતાવાર વેબસાઈટ (Official Website) પરથી પરીક્ષા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરાવાના રહેશે.

NEET PG એડમિટ કાર્ડ આ સરળ સ્ટેપ્સથી ડાઉનલોડ કરી શકશો

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જાઓ. Step 2: બાદમાં એપ્લિકેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો. Step 3: હવે તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. Step 4: તેને તપાસો અને તેને ડાઉનલોડ કરો. Step 5: પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

NEET PGની પ્રવેશ પરિક્ષા કુલ 800 ગુણની રહેશે અને અંગ્રેજી ભાષામાં આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં 200 ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે. NEET PG પરીક્ષામાં કુલ પ્રશ્નોની સંખ્યા 300 થી ઘટાડીને 200 કરવામાં આવી છે.

NEET UG એડમિટ કાર્ડ આ તારીખે જાહેર કરવામાં આવશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) 9 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ NEET UG ના એડમિટ કાર્ડ બહાર પાડે તેવી સંભાવના છે. જો કે સત્તાવાર રીતે એડમિટ કાર્ડ જાહેર કરવાની હાલ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, NEET ના નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પરીક્ષાની તારીખના ત્રણ દિવસ પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે. આ વર્ષે, નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) 12 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ લેવામાં આવશે, તેથી, 9 સપ્ટેમ્બરે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પરીક્ષા 11 અન્ય ભાષાઓની સાથે પંજાબી અને મલયાલમમાં લેવામાં આવશે

તમને જણાવી દઈએ કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National test Agency) એ જણાવ્યુ હતુ કે, મધ્ય પૂર્વના દેશોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સુવિધા માટે આ નવા કેન્દ્રો કુવૈત અને દુબઈમાં પણ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત પહેલી વખત એમબીબીએસ અને બીડીએસ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ પરીક્ષા 11 અન્ય ભાષાઓની સાથે પંજાબી અને મલયાલમમાં લેવામાં આવશે.

આ પણ વાંચો: New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર

આ પણ વાંચો:  નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર, SBI અનુસાર નાણાકીય વર્ષ 2022 માં 50 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">