New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર

સરકાર 1 એપ્રિલ, 2021 થી નવા લેબર કોડમાં નિયમો લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોની તૈયારીના અભાવે અને કંપનીઓને એચઆર પોલિસી (HR Policy)બદલવા માટે વધુ સમય આપવાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતા.

New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:15 AM

આગામી મહિને ઓક્ટોબર 2021થી નોકરી કરતા લોકો માટે મોટો ફેરફાર થવાનો છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી શ્રમ કાયદા (New Wage Code) ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જો આ નિયમ લાગુ કરવામાં આવે તો 1 ઓક્ટોબરથી તમારા કાર્યાલયનો સમય વધશે. નવા શ્રમ કાયદામાં કહેવામાં આવ્યું છે કે 12 કલાક કામ કરો. આ સિવાય તમારા હાથમાં પગાર પણ આ કાયદાથી પ્રભાવિત થશે. જાણો નવા લેબર કોડ તમારા પર શું અસર કરી શકે છે.

પગાર સંબંધિત મહત્વના નિયમો 1 ઓક્ટોબરથી બદલાશે સરકાર 1 એપ્રિલ, 2021 થી નવા લેબર કોડમાં નિયમો લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોની તૈયારીના અભાવે અને કંપનીઓને એચઆર પોલિસી (HR Policy)બદલવા માટે વધુ સમય આપવાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતા. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર 1 જુલાઈથી શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગતી હતી પરંતુ રાજ્યોએ આ નિયમોના અમલ માટે વધુ સમય માંગ્યો હતો જેના કારણે તેમને 1 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા.

હવે શ્રમ મંત્રાલય અને મોદી સરકાર 1 ઓક્ટોબર સુધીમાં શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગે છે. ઓગસ્ટ 2019 ના રોજ સંસદે ત્રણ શ્રમ સંહિતા, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, કામની સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષા સંબંધિત નિયમો બદલ્યા છે. આ નિયમો સપ્ટેમ્બર 2020 ના રોજ પસાર કરવામાં આવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

12 કલાકની નોકરી નવા ડ્રાફ્ટ કાયદામાં કામના મહત્તમ કલાકો વધારીને 12 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, મજૂર સંગઠનો 12 કલાકની નોકરીનો વિરોધ કરી રહ્યા છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15 થી 30 મિનિટ સુધી વધારાના સમયની ગણતરી કરીને ઓવરટાઇમમાં 30 મિનિટ સુધીના વધારાના કામનો સમાવેશ કરવાની જોગવાઇ છે. વર્તમાન નિયમ હેઠળ, 30 મિનિટથી ઓછો સમય ઓવરટાઇમને પાત્ર ગણવામાં આવતો નથી. ડ્રાફ્ટ નિયમો કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય સુધી સતત કામ કરવાની મનાઈ ફરમાવે છે. કર્મચારીઓએ દર પાંચ કલાક બાદ અડધો કલાકનો આરામ આપવો પડશે.

પગાર ઘટશે અને પીએફ વધશે નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, બેઝિક કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આનાથી મોટાભાગના કર્મચારીઓના પગારનું માળખું બદલાશે. મૂળભૂત પગારમાં વધારા સાથે, પીએફ અને ગ્રેચ્યુઇટી માટે કાપવામાં આવેલી રકમમાં વધારો થશે કારણ કે આમાં નાણાં મૂળ પગારના પ્રમાણમાં છે. જો આવું થાય તો તમારા ઘરે આવતો પગાર ઘટશે નિવૃત્તિ પર મળતા પીએફ અને ગ્રેચ્યુટી નાણાં વધશે.

આ પણ વાંચો :  નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર, SBI અનુસાર નાણાકીય વર્ષ 2022 માં 50 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા

આ પણ વાંચો :  PNB લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે , જાણો કઈ રીતે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">