Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા

UAE સરકાર અનુસાર UAE માં પ્રવેશ અને રહેઠાણના નવા નિયમને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય વિશ્વભરના પ્રતિભાશાળી અને કુશળ લોકોમાં UAEનું આકર્ષણ વધારવાનો છે. આનાથી અહીં પહેલાથી જ કામ કરી રહેલા લોકો અને તેમના પરિવારનો આત્મવિશ્વાસ વધશે.

દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા
વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:55 AM

દુબઈ(Dubai), અબુધાબી(Abu Dhabi) જેવા શહેરોએ હંમેશા ભારતીયોને આકર્ષ્યા છે. ખાસ કરીને અહીં કામ કરવા જતા ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે. હવે ભારતીયો સહિત તમામ વિદેશી નાગરિકો માટે આ સ્થળોએ નોકરી મેળવવી સરળ બનશે. એટલું જ નહીં અહીંની નાગરિકતા લેવા ઇચ્છુકોની ઈચ્છા પણ સરળતાથી પૂરી થઈ જશે. વાસ્તવમાં UAE(United Arab Emirates) ની સરકારે વિદેશીઓને આકર્ષવા માટે નવી પોલીસીને મંજૂરી આપી છે. આનાથી UAEમાં જોબ કરવા માટેના નિયમો તો સરળ બનશે સાથે નાગરિકતાના નિયમો પણ બદલાશે. આ ઉપરાંત UAEએ ગોલ્ડન રેસિડન્સ સ્કીમના નિયમો હળવા કર્યા છે.

વિઝાના નિયમો બદલાયા

UAE સરકાર અનુસાર UAE માં પ્રવેશ અને રહેઠાણના નવા નિયમને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય વિશ્વભરના પ્રતિભાશાળી અને કુશળ લોકોમાં UAEનું આકર્ષણ વધારવાનો છે. આનાથી અહીં પહેલાથી જ કામ કરી રહેલા લોકો અને તેમના પરિવારનો આત્મવિશ્વાસ વધશે. આ સાથે રોજગાર ક્ષેત્રે સ્પર્ધા વધશે. UAE સરકાર પહેલીવાર નવા પ્રકારના વિઝા લાવવા જઈ રહી છે. બધા વિઝા સિંગલ અથવા મલ્ટિપલ એન્ટ્રી માટે ઉપલબ્ધ હશે. આ વિઝા 60 દિવસ માટે માન્ય રહેશે. આ પછી તેઓને આગામી 60 દિવસ માટે રિન્યૂ કરી શકાશે.

યુએઈમાં નોકરી કરવા આવતા લોકો માટે જોબ એક્સપ્લોરેશન એન્ટ્રી વિઝાની સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ, દ્વિતીય અથવા ત્રીજા સ્તરની કુશળતા ધરાવતા લોકોને વિઝા આપવામાં આવશે. તેની શરત એ છે કે તે વ્યક્તિ પાસે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ લાંબા સમય માટે ટૂરિસ્ટ વિઝા ઈચ્છે છે, તો તેને 5 વર્ષનો મલ્ટિ-એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા આપવામાં આવશે. આ માટે કોઈ સ્પોન્સરની જરૂર પડશે નહીં. તેણે માત્ર એટલું જ કરવાનું છે કે તેની પાસે તેના બેંક ખાતામાં ઓછામાં ઓછા 4,000 ડોલર જમા છે.

આજનું રાશિફળ તારીખ 20-03-2025
ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો

નાગરિકતાના નિયમો પણ બદલાયા

UAEએ ગોલ્ડન રેસિડન્સ સ્કીમના નિયમો હળવા કર્યા છે. નવી પોલિસી જણાવે છે કે UAE સરકાર રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો અને વ્યાવસાયિકો, ઉચ્ચ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને સ્નાતકો સહિત અપવાદરૂપે પ્રતિભાશાળી વ્યક્તિઓને 10 વર્ષ માટે નાગરિકતા આપશે. આ સિવાય જો કોઈ વિદેશી યુએઈની નાગરિકતા લેવા માંગે છે તો તે 20 લાખ દિરહામ એટલે કે લગભગ 5.44 લાખ ડોલરની પ્રોપર્ટી ખરીદીને આમ કરી શકે છે. મતલબ કે કોઈપણ ભારતીય લગભગ 4 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદીને નાગરિક બની શકે છે. જો કોઈ રોકાણકાર વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતો હોય તો તે હવે 5 વર્ષ માટે નાગરિકતા મેળવી શકે છે. અગાઉ આ કેટેગરીમાં માત્ર 2 વર્ષની નાગરિકતા આપવામાં આવતી હતી.હાલમાં UAEની વસ્તીમાં વિદેશીઓની ભાગીદારી 80 ટકાથી વધુ છે. યુએઈની અર્થવ્યવસ્થા ઘણા દાયકાઓથી તેમના પર નિર્ભર છે. UAE માં દુબઈ અને અબુ ધાબી સહિત અમીરાત તરીકે ઓળખાતા સાત અલગ-અલગ પ્રદેશોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : TATA Group નો આ શેર રોકાણકારોને અઢળક પૈસા બતાવ્યા બાદ હવે કંગાળ બનાવી રહ્યો છે, એક સપ્તાહમાં મૂડીમાં 16 ટકાનો ઘટાડો થયો

આ પણ વાંચો : IMFએ વર્ષ 2022-23 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો, મોંઘવારીથી ટૂંક સમયમાં કોઈ નહીં મળે રાહત!!!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">