દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા

UAE સરકાર અનુસાર UAE માં પ્રવેશ અને રહેઠાણના નવા નિયમને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય વિશ્વભરના પ્રતિભાશાળી અને કુશળ લોકોમાં UAEનું આકર્ષણ વધારવાનો છે. આનાથી અહીં પહેલાથી જ કામ કરી રહેલા લોકો અને તેમના પરિવારનો આત્મવિશ્વાસ વધશે.

દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા
વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:55 AM

દુબઈ(Dubai), અબુધાબી(Abu Dhabi) જેવા શહેરોએ હંમેશા ભારતીયોને આકર્ષ્યા છે. ખાસ કરીને અહીં કામ કરવા જતા ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે. હવે ભારતીયો સહિત તમામ વિદેશી નાગરિકો માટે આ સ્થળોએ નોકરી મેળવવી સરળ બનશે. એટલું જ નહીં અહીંની નાગરિકતા લેવા ઇચ્છુકોની ઈચ્છા પણ સરળતાથી પૂરી થઈ જશે. વાસ્તવમાં UAE(United Arab Emirates) ની સરકારે વિદેશીઓને આકર્ષવા માટે નવી પોલીસીને મંજૂરી આપી છે. આનાથી UAEમાં જોબ કરવા માટેના નિયમો તો સરળ બનશે સાથે નાગરિકતાના નિયમો પણ બદલાશે. આ ઉપરાંત UAEએ ગોલ્ડન રેસિડન્સ સ્કીમના નિયમો હળવા કર્યા છે.

વિઝાના નિયમો બદલાયા

UAE સરકાર અનુસાર UAE માં પ્રવેશ અને રહેઠાણના નવા નિયમને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય વિશ્વભરના પ્રતિભાશાળી અને કુશળ લોકોમાં UAEનું આકર્ષણ વધારવાનો છે. આનાથી અહીં પહેલાથી જ કામ કરી રહેલા લોકો અને તેમના પરિવારનો આત્મવિશ્વાસ વધશે. આ સાથે રોજગાર ક્ષેત્રે સ્પર્ધા વધશે. UAE સરકાર પહેલીવાર નવા પ્રકારના વિઝા લાવવા જઈ રહી છે. બધા વિઝા સિંગલ અથવા મલ્ટિપલ એન્ટ્રી માટે ઉપલબ્ધ હશે. આ વિઝા 60 દિવસ માટે માન્ય રહેશે. આ પછી તેઓને આગામી 60 દિવસ માટે રિન્યૂ કરી શકાશે.

યુએઈમાં નોકરી કરવા આવતા લોકો માટે જોબ એક્સપ્લોરેશન એન્ટ્રી વિઝાની સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ, દ્વિતીય અથવા ત્રીજા સ્તરની કુશળતા ધરાવતા લોકોને વિઝા આપવામાં આવશે. તેની શરત એ છે કે તે વ્યક્તિ પાસે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ લાંબા સમય માટે ટૂરિસ્ટ વિઝા ઈચ્છે છે, તો તેને 5 વર્ષનો મલ્ટિ-એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા આપવામાં આવશે. આ માટે કોઈ સ્પોન્સરની જરૂર પડશે નહીં. તેણે માત્ર એટલું જ કરવાનું છે કે તેની પાસે તેના બેંક ખાતામાં ઓછામાં ઓછા 4,000 ડોલર જમા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નાગરિકતાના નિયમો પણ બદલાયા

UAEએ ગોલ્ડન રેસિડન્સ સ્કીમના નિયમો હળવા કર્યા છે. નવી પોલિસી જણાવે છે કે UAE સરકાર રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો અને વ્યાવસાયિકો, ઉચ્ચ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને સ્નાતકો સહિત અપવાદરૂપે પ્રતિભાશાળી વ્યક્તિઓને 10 વર્ષ માટે નાગરિકતા આપશે. આ સિવાય જો કોઈ વિદેશી યુએઈની નાગરિકતા લેવા માંગે છે તો તે 20 લાખ દિરહામ એટલે કે લગભગ 5.44 લાખ ડોલરની પ્રોપર્ટી ખરીદીને આમ કરી શકે છે. મતલબ કે કોઈપણ ભારતીય લગભગ 4 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદીને નાગરિક બની શકે છે. જો કોઈ રોકાણકાર વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતો હોય તો તે હવે 5 વર્ષ માટે નાગરિકતા મેળવી શકે છે. અગાઉ આ કેટેગરીમાં માત્ર 2 વર્ષની નાગરિકતા આપવામાં આવતી હતી.હાલમાં UAEની વસ્તીમાં વિદેશીઓની ભાગીદારી 80 ટકાથી વધુ છે. યુએઈની અર્થવ્યવસ્થા ઘણા દાયકાઓથી તેમના પર નિર્ભર છે. UAE માં દુબઈ અને અબુ ધાબી સહિત અમીરાત તરીકે ઓળખાતા સાત અલગ-અલગ પ્રદેશોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : TATA Group નો આ શેર રોકાણકારોને અઢળક પૈસા બતાવ્યા બાદ હવે કંગાળ બનાવી રહ્યો છે, એક સપ્તાહમાં મૂડીમાં 16 ટકાનો ઘટાડો થયો

આ પણ વાંચો : IMFએ વર્ષ 2022-23 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો, મોંઘવારીથી ટૂંક સમયમાં કોઈ નહીં મળે રાહત!!!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">