ફેસબુકની પેરેન્ટ કંપની Metaમાં છટણી ! હજારો લોકો તેમની નોકરી ગુમાવવાના જોખમમાં

આ અઠવાડિયે Metaમાં હજારો લોકો તેમની નોકરી ગુમાવવાના જોખમમાં છે. કંપની મોટાપાયે છટણી કરવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલે આ માહિતી આપી છે.

ફેસબુકની પેરેન્ટ કંપની Metaમાં છટણી ! હજારો લોકો તેમની નોકરી ગુમાવવાના જોખમમાં
META Layoff
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 8:42 AM

Facebookની પેરેન્ટ કંપની Meta Platform Inc. આ અઠવાડિયે મોટાપાયે છટણી કરવાની યોજના બનાવી રહી છે. મેટામાં આ છટણીના કારણે હજારો કર્મચારીઓને અસર થવાની છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે આ મામલાની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને આ માહિતી આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે કે, છટણી આ બુધવારથી શરૂ થઈ શકે છે. જ્યારે આ અંગે માહિતી માંગવામાં આવી ત્યારે માર્ક ઝુકરબર્ગની માલિકીની મેટાએ કોઈપણ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.

ઓક્ટોબરમાં, ફેસબુકની પેરેન્ટ કંપનીએ નબળું ક્વાર્ટર હોવાનો અહેવાલ આપ્યો હતો. સાથે જ કહ્યું કે, આવનારા વર્ષમાં કંપનીના ખર્ચમાં વધારો થવાનો છે. આ પછી શેરબજારમાં હલચલ મચી ગઈ હતી અને મેટાનો 67 અબજ ડોલરનો સ્ટોક ઘટી ગયો હતો. આ વર્ષે જ મેટાના શેર મૂલ્યમાં અડધા ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે.

કંપની ફેરફારોથી પરેશાન

કંપની દ્વારા આ માહિતી એવા સમયે આપવામાં આવી રહી છે, જ્યારે મેટાની આર્થિક વૃદ્ધિ ધીમી પડી રહી છે. મેટાને ટિકટોક જેવા પ્લેટફોર્મ પરથી સખત સ્પર્ધા મળી રહી છે. આ ઉપરાંત, કંપની એપલ દ્વારા ગોપનીયતામાં કરેલા ફેરફારો, મેટાવર્સ પર મોટા પ્રમાણમાં ખર્ચ અને નિયમનના વર્તમાન જોખમોને કારણે પણ નાણાકીય નુકસાનનો સામનો કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઝુકરબર્ગે પહેલેથી જ છટણીનો આપ્યો હતો સંકેત

ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે, તેઓ અપેક્ષા રાખે છે કે મેટાવર્સમાં કરાયેલા રોકાણોના લાભો મેળવવામાં લગભગ એક દાયકાનો સમય લાગશે. આ દરમિયાન, તેઓને હાયરિંગ, પ્રોજેક્ટ બંધ થવા અને ખર્ચ ઘટાડવા માટે ટીમોનું પુનર્ગઠન કરવાની જરૂર છે.

ઑક્ટોબરમાં, ઝુકરબર્ગે કહ્યું હતું કે, “2023માં, અમે અમારું રોકાણ ઉચ્ચ પ્રાથમિકતાવાળા વિકાસ ક્ષેત્રોની નાની સંખ્યામાં કરવા જઈ રહ્યા છીએ. તેથી તેનો અર્થ એ છે કે કેટલીક ટીમો અર્થપૂર્ણ રીતે વૃદ્ધિ કરશે, પરંતુ મોટાભાગની અન્ય ટીમો આવતા વર્ષ સુધીમાં ઓછી થઈ જશે. એકંદરે, અમે અપેક્ષા રાખીએ છીએ કે 2023માં કર્મચારીઓની સંખ્યા કાં તો વધારે હશે અથવા આજની તુલનામાં થોડી ઓછી હશે. આવી સ્થિતિમાં, ઝુકરબર્ગે પહેલેથી જ છટણીના સંકેતો આપવાનું શરૂ કરી દીધું હતું.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">