ITR ફાઈલ કરવાની તારીખ લંબાવ્યા પછી આ લોકોએ ચૂકવવું પડશે વ્યાજ , જાણો વિગતવાર

|

Sep 20, 2021 | 7:14 AM

આવકવેરાની કલમ 234A મુજબ કરવેરાની જવાબદારી સમયસર જમા ન કરવા બદલ તમારા પર દર મહિને 1 ટકા દંડ લાદવામાં આવે છે. આ દંડ તે જ રકમ પર લાદવામાં આવશે જેટલો તમારો ટેક્સ બચ્યો છે.

સમાચાર સાંભળો
ITR ફાઈલ કરવાની તારીખ લંબાવ્યા પછી આ લોકોએ ચૂકવવું પડશે વ્યાજ , જાણો વિગતવાર
ITR Filing

Follow us on

ઇન્કમટેક્સ રિટર્ન(ITR)ની છેલ્લી તારીખ લંબાવ્યા બાદ પણ કેટલાક લોકોએ વ્યાજ ચૂકવવું પડશે. ઈ-પોર્ટલમાં આવતી સનસ્યાઓને જોતા સરકારે લોકોને આવકવેરા રિટર્ન (ITR Filing) ની છેલ્લી તારીખ લંબાવી છે પરંતુ આ છૂટ દરેક માટે નથી. કેટલાક લોકો એવા પણ છે જેમને ITR ફાઇલિંગ પર દર મહિને 1% ના દરે વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. ભલે આ ITR વિસ્તૃત અવધિમાં દાખલ કરવામાં ન આવે. આ નિયમ તે લોકોને લાગુ પડશે જેમની ટેક્સ લાયબિલિટી બેલેન્સ 1 લાખ રૂપિયાથી વધુ છે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરવું અને તમારા પર જે ટેક્સ બનાવવામાં આવી રહ્યો છે તે જમા કરાવવું એ બે બાબતો છે. આને સરળતાથી સમજવા માટે અમે CA મોહિત શર્મા સમજાવે છે કે આવકવેરાની કલમ 234A મુજબ કરવેરાની જવાબદારી સમયસર જમા ન કરવા બદલ તમારા પર દર મહિને 1 ટકા દંડ લાદવામાં આવે છે. આ દંડ તે જ રકમ પર લાદવામાં આવશે જેટલો તમારો ટેક્સ બચ્યો છે.

5 હજારના દંડમાંથી છુટકારો મેળવો
ITR ની છેલ્લી તારીખ લંબાવવાનો મોટો ફાયદો એ છે કે કરદાતાઓને 5000 રૂપિયાનો લેટ ફાઈન ચૂકવવો પડશે નહીં. IT કાયદાની કલમ 234F હેઠળ નિયત તારીખથી ITR મોડું ભરવાથી રૂ .5,000 નો દંડ થાય છે. સરકારે આ દંડમાંથી રાહત આપી છે. જે કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ચૂકવવો પડે છે અને જેમનો એડવાન્સ ટેક્સ આકારણી કરના 90% કરતા ઓછો છે તેમને પણ દર મહિને 1% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. કલમ 234B હેઠળ આ નિયમ 1 એપ્રિલથી લાગુ માનવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કેટલું વ્યાજ ચૂકવવું પડશે
ITR ની તારીખ વધારવાને કારણે જે કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ચૂકવવો પડશે તેમને 2%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. કલમ 234B હેઠળ 1% વ્યાજ અને કલમ 234A હેઠળ 1% વ્યાજ ચૂકવવું પડશે. આ નિયમ ITR ફાઇલ કરવાની મૂળ નિયત તારીખ 31 જુલાઈ અથવા 31 ઓક્ટોબર હોઈ શકે છે. જે તારીખ માટે કરદાતા પાસેથી શુલ્ક વસૂલવામાં આવશે તે મુજબ વ્યાજ ચૂકવવું પડશે. જે કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ જેમની સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ જવાબદારી 1 લાખ રૂપિયાથી વધુ છે તેઓએ 31 જુલાઈ અથવા 31 ઓક્ટોબરની તારીખથી 1% ના દરે વ્યાજ ચૂકવવું પડશે.

 

આ પણ વાંચો :  Paras Defence IPO: ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ ક્ષેત્રનો પહેલો IPO આગામી સપ્તાહે ખુલશે , જાણો વિગતવાર

 

આ પણ વાંચો : SBI Alert : કઈ રીતે જાણશો તમે ડાયલ કરેલો Customer Care Number સાચો છે કે નહિ? તમારી બેદરકારી બેન્ક બેલેન્સ ઝીરો કરી નાખશે

Next Article