4 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો દાવો,હવે કોરોનાની દવા Remdesivir માટે નહિ મારવા પડે વલખા

કોવીડ -19(Covid 19))ની સારવારમાં ઉપયોગી એવી રેમેડિસિવર(Remdesivir) દવા બનાવતી કંપનીઓએ જણાવ્યું હતું કે દેશમાં વધતી માંગને પહોંચી વળવા તેઓએ આ દવાના ઉત્પાદનમાં વધારો કર્યો છે.

4 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો દાવો,હવે કોરોનાની દવા Remdesivir માટે નહિ મારવા પડે વલખા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 7:56 AM

કોવીડ -19(Covid 19))ની સારવારમાં ઉપયોગી એવી રેમેડિસિવર(Remdesivir) દવા બનાવતી કંપનીઓએ જણાવ્યું હતું કે દેશમાં વધતી માંગને પહોંચી વળવા તેઓએ આ દવાના ઉત્પાદનમાં વધારો કર્યો છે. હકીકતમાં, કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી સરકારે રેમેડિસિવર ઇન્જેક્શન અને તેના API ના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ઝાયડસ કેડિલા અને અન્ય કોઈ અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની દાવો કરી રહી છે કે અમે દવાઓની અછત રહેવા દઈશું નહીં પરંતુ બજારની હાલની વાસ્તવિકતા ખુલ અલગ છે.

ઝાયડસ કેડિલાના જણાવ્યા અનુસાર, “કોવિડ -19 સંક્ર્મણના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે રેમેડિસવીરની માંગમાં વધારો થયો છે. અમે હાલમાં તેનું ઉત્પાદન ત્રણ-ચાર એકમોમાં કરી રહ્યા છીએ. માંગને પહોંચી વળવા અમે ઉત્પાદને દર મહિને 5-6 લાખ બોટલથી વધારીને 10-12 લાખ બોટલ કરી દીધી છે. હવે અમે તેને વધારીને દર મહિને 20 લાખ સુધી કરીશું. ”

કિંમતમાં પણ ઘટાડો કરાઈ શકે છે. કંપનીના કહેવા પ્રમાણે આગામી કેટલાક સપ્તાહમાં સપ્લાયની સ્થિતિમાં સુધારો થશે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે એમ પણ કહ્યું હતું કે તે ભારતમાં વધુ દર્દીઓ સુધી પહોંચવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, અમે ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છીએ. અમે બજારમાં પ્રવાહી ઉત્પાદનો લાવી રહ્યા છીએ જે ઝડપથી બનાવી શકાય છે અને સપ્લાય થઈ શકે છે. અમે મહત્તમ છૂટક ભાવ (MRP) માં પણ 50 ટકાનો ઘટાડો કર્યો છે જેથી ઇન્જેક્ટેડ દર્દીઓ માટે કિંમત અવરોધ ન બને. ”

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ટૂંક સમયમાં સ્થિતિમાં સુધારો આવશે એક નિવેદન અનુસાર કંપનીને અપેક્ષા છે કે આગામી કેટલાક સપ્તાહમાં સ્થિતિ સુધરશે. ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે તે વધતી જતી માંગને પહોંચી વળવા માટે સિનજેન સાથે જોડાણ કરીને રિમેડિસિવિર ઉત્પાદન માટે તેની ક્ષમતામાં વધારો કરી રહી છે. ઉત્પાદન વધાર્યું છે અને હાલમાં બે પ્લાન્ટમાં રેમેડિશીવરનું ઉત્પાદન થઇ રહ્યું છે. ઉત્પાદન વધારવાના હેતુથી તેને બીજા પ્લાન્ટમાં બનાવવાનું નક્કી કર્યું છે. અમે સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને દર્દીઓ માટે કોવિડ -19 ની સારવારમાં દવા ઉપયોગી છે તેની ખાતરી કરવા માટે અથાક કામ કરી રહ્યા છીએ. ”

સિપ્લાએ પણ ઉત્પાદન વધાર્યું કંપની ભારતમાં રેમેડિસિવિરના ઉત્પાદન અને વિતરણ માટે સિનજેન સાથે ભાગીદારી કરી રહી છે.સિપ્લાએ એમ પણ કહ્યું હતું કે અગાઉના સંક્રમણની તુલનામાં વખતે રેમાડેસિવીરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કંપનીના કહેવા પ્રમાણે, “અમે ગયા સમયની તુલનામાં ઉત્પાદન બમણું કર્યું છે. દવા માટેની અણધારી માંગને ધ્યાનમાં રાખીને અમે અમારા નેટવર્ક દ્વારા અમારી ક્ષમતામાં વધુ વધારો કર્યો છે. “

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">