AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટ: અકસ્માતની ઘટનામાં જો ડ્રાઇવર નશામાં હોય તો વીમા કંપની તેના દાવાને નકારી શકે છે

અકસ્માતના એક કેસમાં આયોગના નિર્ણય સામે વીમા કંપનીએ સુપ્રીમનો સહારો લીધો હતો. આ મામલે સુનાવણીમાં સુપ્રીમે વીમા કંપનીને રાહત થાય તેવી ટિપ્પણી કરી છે.

સુપ્રીમ કોર્ટ: અકસ્માતની ઘટનામાં જો ડ્રાઇવર નશામાં હોય તો વીમા કંપની તેના દાવાને નકારી શકે છે
Supreme Court
| Updated on: Apr 13, 2021 | 10:43 AM
Share

સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસમાં કહ્યું હતું કે, જો ડ્રાઇવરે દારૂ પીધો હોય તો અકસ્માતની ઘટનામાં વીમા કંપનીને દાવાને નામંજૂર કરવાનો અધિકાર છે. લગભગ 14 વર્ષ પહેલા ઇન્ડિયા ગેટ નજીક ક્રેશ થયેલી લક્ઝરી પોર્શ કારના દાવાના મામલામાં ટોચની કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

ગાડી ચલાવનાર વ્યક્તિ નશો કરે છે, તો વીમા કંપની તેના વીમાને નકારી શકે છે

ન્યાયાધીશ યુ.યુ. લલિત, ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જી અને ન્યાયાધીશ કેએમ જોસેફની ખંડપીઠે આ કેસમાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના નિર્ણયને પડકારતાં કહ્યું કે, જો વાહન ચલાવનાર વ્યક્તિ નશો કરે છે અથવા ડ્રગ્સ લઈને ગાડી ચલાવે છે, તો IFFCO ટોક્યો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને વીમા કરારની કલમ (2 સી) ની આડમાં જવાબદાર ઠેરવી શકાય નહીં.

વીમા કંપની આયોગના ચૂકાદા સામે આવી સુપ્રીમમાં

આયોગે તે સમયે પોતાના ચૂકાદામાં વીમા કંપનીના દાવાને નકારી કાઢવાનો ચુકાદો આપ્યો હતો. વીમા કંપનીએ આયોગના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી. 181 પાનાનો ચુકાદો લખનારા ન્યાયમૂર્તિ જોસેફે યુકે, સ્કોટલેન્ડ અને યુએસના કાયદા, તબીબી પુરાવાઓને પણ ટાંક્યા હતા.

શું હતી સમગ્ર ઘટના

આ કાર પર્લ બેવરેજીસ લિમિટેડ કંપનીની હતી, જેને ઘટના સમયે 22 ડિસેમ્બર, 2007 ની શિયાળાના સમયમાંમાં અમન બંગિયા ચલાવી રહ્યો હતો. આરોપ છે કે ત્યારે અમન દારૂના નશામાં અને બેદરકારીથી કાર ચલાવતો હતો અને ઈન્ડિયા ગેટ ખાતે ચિલ્ડ્રન્સ પાર્ક પાસે એક ફૂટપાથ ઉપર ટકરાયો હતો અને કાર પલટી ખાઇ ગઇ હતી. જેને કારને કારમાં આગ લાગી ગઈ હતી. કાર સંપૂર્ણ રીતે ખલાસ થઇ ગઈ હતી.

આ મામલે વીમા કંપનીની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટે કરી હતી. આ સુનાવણીમાં સુપ્રીમે કહ્યું હતું કે જો ડ્રાઈવર દારુના નશામાં ગાડી ચલાવતો હોય અને અકસ્માતની ઘટના બને છે તો વીમા કંપની તેના વીમાના દાવાને નકારી શકે છે.

આ પણ વાંચો: CEC Sushil Chandra: જાણો કોણ છે નવા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા, ગુજરાત સાથે શું છે કનેક્શન

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોની ચેતવણી: વેક્સિનેશન બાદ પણ જાળવવી પડશે આ આ પ્રકારની સાવધાની

Follow Us
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
g clip-path="url(#clip0_868_265)">