AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO : UPI થી IPO માં કેટલું રોકાણ કરી શકાય? જાણો નિયમમાં ફેરફાર બાદ શું પડશે અસર

સ્થાનિક રિટેલ રોકાણકારો હવે 2 લાખ રૂપિયાના બદલે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લોકપ્રિય માધ્યમ UPI મારફત શેર અને કન્વર્ટિબલ સિક્યોરિટીઝના પબ્લિક ઇશ્યૂમાં અરજી દીઠ રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરી શકશે.

IPO : UPI થી IPO માં કેટલું રોકાણ કરી શકાય? જાણો નિયમમાં ફેરફાર બાદ શું પડશે અસર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:40 AM
Share

શેરબજાર(Stock Market)માં લિસ્ટેડ નવી કંપનીઓના IPOમાં સ્થાનિક રિટેલ રોકાણકારોની ભાગીદારી છેલ્લા ત્રણ વર્ષમાં બે ગણી વધી છે. આ સમય દરમિયાન ડિજિટલ વ્યવહારો માટે યુપીઆઈ(UPI) એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ(Unified Payment Interface)નો ઉપયોગ કરતા લોકોની સંખ્યા પણ લગભગ બમણી થઈ ગઈ છે.  SEBI એ શેરબજારમાં રિટેલ રોકાણકારોની સતત વધતી જતી સંખ્યા અને UPIની લોકપ્રિયતાને સાંકળીને એક ફોર્મ્યુલા બનાવી છે. નાના અને મધ્યમ રોકાણકારો હવે UPIમાંથી IPOમાં રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરી શકશે. અત્યાર સુધી આ મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની છે.

સ્થાનિક રિટેલ રોકાણકારો હવે 2 લાખ રૂપિયાના બદલે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લોકપ્રિય માધ્યમ UPI મારફત શેર અને કન્વર્ટિબલ સિક્યોરિટીઝના પબ્લિક ઇશ્યૂમાં અરજી દીઠ રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરી શકશે. એટલે કે જ્યારે રોકાણકારોને વધુ સગવડ મળશે ત્યારે જ તેઓ વધુ રોકાણ કરશે અને જ્યારે વધુ રોકાણ આવશે ત્યારે બજાર વધુ મજબૂત બનશે.

સ્થાનિક રોકાણકાર બજાર માટે આવશ્યક

સ્થાનિક રોકાણકારોનું બજાર કેટલું મહત્વનું છે. આ વાત પરથી તમે અનુમાન લગાવી શકો છો. ઑક્ટોબર-2021 થી માર્ચ 2022 ની વચ્ચે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ. 1.48 લાખ કરોડના શેરનું વેચાણ કર્યું ત્યારે સ્થાનિક રોકાણકારોએ વધુ ખરીદી કરી ન હતી જેના કારણે બજારમાં વધુ ઘટાડો થયો ન હતો. IPO અને કન્વર્ટિબલ બોન્ડ્સમાં રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરવા માટે UPI  1 મે 2022 ના રોજ અથવા તે પછી જાહેર ઇશ્યુ પર સુવિધા ઉપલબ્ધ થશે. આ સુવિધા માટે UPI વિકસાવનાર NPCIને પણ ઘણી મહેનત કરવી પડી છે.

UPI દ્વારા અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે NPCI એ સિસ્ટમમાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા અને 30 માર્ચ, 2022 સુધીમાં લગભગ 80 ટકા સેલ્ફ-સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો/પ્રાયોજક બેંકો/UPI એપ્સે આ જોગવાઈઓ લાગુ કરી દીધી છે. સેબીના આ નવા પગલાથી આઇપીઓ અને કન્વર્ટિબલ બોન્ડ્સમાં સ્થાનિક રિટેલ રોકાણકારોની ભાગીદારી વધુ વધશે.

IPOમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી બમણીથી વધુ

IPO વર્ષ દીઠ રિટેલ રોકાણકારોની સંખ્યા

  • 2021-22માં  14.05 લાખ
  • 2020-21 માં 12.73 લાખ
  • 2019-20 માં 6.88 લાખ

UPI ની વધતી જતી લોકપ્રિયતા (FY માં થયેલા UPI વ્યવહારો)

  • 2020-21 માં રૂ. 41 લાખ કરોડ
  • 2021-22 માં રૂ. 76 લાખ કરોડ
  • 2022-23 માં રૂ. 100 લાખ કરોડ (અંદાજિત)

દેશમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે (રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા )

  • 2019 માં 3.6 કરોડ
  • 2021 માં 7.7 કરોડ
  •  2022 (7મી એપ્રિલ સુધી) માં 10.20 કરોડ

આ પણ વાંચો : RBI એ એક્સિસ બેંક અને IDBI બેંકને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારાના દોર વચ્ચે આજે આવ્યા રાહતના સમાચાર, જાણો શું છે મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">