AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ એક્સિસ બેંક અને IDBI બેંકને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી

રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર એક્સિસ બેન્ક દ્વારા આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

RBI એ એક્સિસ બેંક અને IDBI બેંકને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી
Reserve Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:22 AM
Share

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક્સિસ બેંક (Axis Bank) અને IDBI Bank પર નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે આ અંગે માહિતી જાહેર કરી છે. સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા અને છેતરપિંડીથી રક્ષણ માટે વિશેષ માર્ગદર્શિકા ન રાખવા માટે વસૂલવામાં આવતી ફી સંબંધિત KYC માર્ગદર્શિકા અને નિયમોનું પાલન ન કરવા બદલ બેંકોને દંડ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે માહિતી આપી છે કે એક્સિસ બેંક પર 93 લાખ રૂપિયા અને IDBI બેંક પર 90 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

કયા કારણોસર દંડ ફટકારાયો

રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર એક્સિસ બેન્ક દ્વારા આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બેન્કે લોન અને એડવાન્સ પર કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. બચત બેંક ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા માટે દંડ વસૂલવા સંબંધિત અમુક ધોરણોનું પાલન કર્યું નથી. IDBI બેંકને ‘ફ્રોડ ક્લાસિફિકેશન એન્ડ રિપોર્ટિંગ’ પરની સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. અન્ય એક રીલીઝ મુજબ IDBI બેંકને સાયબર સુરક્ષા અંગેના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે આ સાથે રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું કે આ તમામ દંડ નિયમોમાં રહેલી ખામીઓના આધારે છે અને આ નિર્ણયથી બેંક દ્વારા કોઈપણ ગ્રાહક સાથેના કોઈપણ વ્યવહાર અથવા કરાર પર કોઈ અસર થશે નહીં.

ટ્રસ્ટી એકમો સામે CCI તપાસ

તાજેતરમાં જ કંપીટીશન કમિશને એક્સિસ બેંક અને IDBI બેંકના ટ્રસ્ટી યુનિટ સામે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત SBIના ટ્રસ્ટી યુનિટનું પણ તપાસમાં નામ આવ્યું છે. ફી અંગેની મિલીભગતના મામલામાં સીસીઆઈ આ તપાસ કરી રહી છે. નિયમો મુજબ દેવું વધારનારી કંપનીઓ રોકાણકારોના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરે છે જેઓ સ્વતંત્ર રીતે ફી વસૂલ કરીને ફંડનું નિરીક્ષણ કરે છે. વાસ્તવમાં ત્રણેય ટ્રસ્ટીઓએ અચાનક તેમની ફી વધારી દીધી હતી જેને સીસીઆઈએ ખોટી ગણાવી છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારાના દોર વચ્ચે આજે આવ્યા રાહતના સમાચાર, જાણો શું છે મામલો

આ પણ વાંચો : માર્ચ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવ વિશ્વભરમાં રેકોર્ડ સપાટીએ પહોંચ્યા, ખાદ્યતેલોમાં મોટો વધારો: FAO

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">