Adani Wilmar IPO : ગૌતમ અદાણીની કંપની લાવી કમાણીની તક, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

અદાણી વિલ્મર માર્કેટમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપ(Adani Group)ની સાતમી કંપની હશે. અદાણી વિલ્મર ખાદ્ય તેલની બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે.

Adani Wilmar IPO : ગૌતમ અદાણીની કંપની લાવી કમાણીની તક, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી
Adani Wilmar IPO Launch Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 6:01 AM

Adani Wilmar IPO: દેશના દિગ્ગ્જ કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી વિલ્મર (AWL)ના રૂ. 3,600 કરોડના મૂલ્યનો Initial public offering -IPO આજે ખુલ્યો છે. કંપની IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ, દેવું ઘટાડવા અને એક્વિઝિશન માટે કરશે. કંપની દેશની સૌથી મોટી ફૂડ અને કન્ઝ્યુમર ગુડ્સ કંપની બનવા માંગે છે. કંપનીનો IPO આજે 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. IPO માટેની પ્રાઇસ રેન્જ રૂ.218-230 રાખવામાં આવી છે. AWL એ અમદાવાદના અદાણી ગ્રુપ અને સિંગાપોરના વિલ્મર ગ્રુપ વચ્ચેનું 50:50નું સંયુક્ત સાહસ છે.

અગાઉ મંગળવારે અદાણી વિલ્મરે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 940 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ શેર દીઠ રૂ. 230ના ભાવે એન્કર રોકાણકારોને 4.09 કરોડ ઇક્વિટી શેર ફાળવવાનું નક્કી કર્યું છે. અદાણી વિલ્મર ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ ખાદ્ય તેલ અને અન્ય કેટલાક ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટરને રૂ.230 પ્રતિ શેરના ભાવે 4.09 કરોડ ઇક્વિટી શેર વેચવાનું નક્કી કર્યું છે. તેનાથી કંપનીની આવકમાં વધારો થવાની ધારણા છે જે મૂડી ખર્ચ પર વસૂલવામાં આવશે.

કંપની ક્યાં ખર્ચ કરશે

IPOમાંથી મળેલી આવકમાંથી રૂ. 1,900 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરવામાં આવશે. દરમિયાન રૂ. 1100 કરોડનો ઉપયોગ દેવાની ચુકવણી માટે અને રૂ. 500 કરોડનો ઉપયોગ વ્યૂહાત્મક એક્વિઝિશન અને રોકાણ ધિરાણ માટે કરવામાં આવશે. અદાણી વિલ્મર એ અમદાવાદ સ્થિત અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ગ્રૂપ વચ્ચે 50:50ની સંયુક્ત સાહસ કંપની છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

અદાણી ગ્રુપની સાતમી લિસ્ટેડ કંપની

અદાણી વિલ્મર માર્કેટમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપ(Adani Group)ની સાતમી કંપની હશે. અદાણી વિલ્મર ખાદ્ય તેલની બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે. કંપનીની રચના 1999માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત કંપની વિલ્મર સાથે સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. વિલ્મર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ વ્યવસાય છે. ફોર્ચ્યુન ઓઈલ એ ઘર-ઘરની પસંદગી છે. આ ઉપરાંત કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, જડીબુટ્ટીઓ, પોરીજ, સાબુ, લોટ, ખાંડ સહિત ડઝનેક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. મોટા ભાગની પ્રોડક્ટ્સ ફોર્ચ્યુન બ્રાન્ચ નામથી આવે છે.

વિશાળ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક

અદાણી વિલ્મરની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્ય તેલ બજાર દેશમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. તેના દેશભરમાં 85 સ્ટોક પોઈન્ટ અને 5000 વિતરકો છે. રિટેલ માર્કેટમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેની પ્રોડક્ટ દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ રાઇસ બ્રાન અને વિવો પણ લોન્ચ કર્યા. કંપનીની અન્ય ખાદ્ય તેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપનીની ત્યાં બે મોટી રિફાઇનરી પણ છે.

અદાણી વિલ્મર IPO ની અગત્યની તારીખ

  • IPO Open : 27-Jan-2022
  • IPO Close : 31-Jan-2022
  • Basis of Allotment : 3-Feb-2022
  • Initiation of Refunds: 4-Feb-2022
  • Credit of Shares : 7-Feb-2022
  • IPO Listing Date : 8-Feb-2022

આ પણ વાંચો : કોવિડ પ્રતિબંધોને કારણે બિઝનેસમાં 70 ટકા નુકસાન, CAIT એ લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને માંગી છૂટ

આ પણ વાંચો :  કોણ છે નૈના લાલ કિડવાઈ જેણે છોડી દીધી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લા, રાજીનામામાં આપ્યું આ મોટું કારણ

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">