Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Wilmar IPO : ગ્રે માર્કેટ લગાવી રહ્યું છે Gautam Adani ની કંપનીના ધમાકેદાર લિસ્ટિંગનું અનુમાન, જાણો કેટલું છે GMP

અદાણી વિલ્મર એક FMCG ફૂડ કંપની છે. આ IPOની લોટ સાઈઝ 65 શેરની હશે. આ IPOમાં ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટનું રોકાણ કરી શકાય છે.

Adani Wilmar IPO : ગ્રે માર્કેટ લગાવી રહ્યું છે Gautam Adani ની કંપનીના ધમાકેદાર લિસ્ટિંગનું અનુમાન, જાણો કેટલું છે GMP
Upcoming IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 6:01 AM

Adani Wilmar IPO: અદાણી વિલ્મરનો IPO 27 જાન્યુઆરી 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPO 31 જાન્યુઆરી, 2022ના રોજ બંધ થશે. કંપનીએ આ ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ રૂપિયા 218 થી રૂપિયા 230 નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા રૂપિયા 3600 કરોડ એકત્ર કરશે. IPO ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં તેની કિંમતો વધવા લાગી છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અદાણી વિલ્મરના શેરની કિંમત આજે ગ્રે માર્કેટમાં 65% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહી છે. આનો અર્થ એ થયો કે ગ્રે માર્કેટ આ સ્ટોકને મોટા પ્રીમિયમ પર લિસ્ટ કરે તેવી શક્યતા વધી રહી છે.

અદાણી વિલ્મર એક FMCG ફૂડ કંપની છે. આ IPOની લોટ સાઈઝ 65 શેરની હશે. આ IPOમાં ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટનું રોકાણ કરી શકાય છે. આનો અર્થ એ છે કે આ IPOમાં ઓછામાં ઓછા રૂ 14,950 (₹ 230 x 65) અને વધુમાં વધુ રૂ 1,94,350 [(₹ 230 x 65) x 13] રોકાણ કરી શકાય છે.

અદાણી વિલ્મર આઈપીઓની ફાળવણીની તારીખ 3 ફેબ્રુઆરી, 2022 હશે. રિફંડ પ્રક્રિયા 4 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. આનો અર્થ એ થયો કે આ આઈપીઓમાં જેમને શેર મળશે તેમના નાણાંનું રિફંડ 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. અરજદારના ડીમેટ ખાતામાં અદાણી વિલ્મરને 7 ફેબ્રુઆરીએ જમા કરવામાં આવશે. સ્ટોક 8 ફેબ્રુઆરી, 2022ના રોજ NSE પર BSE પર લિસ્ટ થશે.

ઝહીર ખાનને કેટલું પેન્શન મળે છે?
Rash after eating Mango: કેરી ખાઈ લીધા પછી કેટલાક લોકોને ફોલ્લીઓ કેમ થાય છે?
રસોડામાં દરરોજ આ એક કામ કરો અને તમે હંમેશા ધનવાન રહેશો!
Plant in pot : ઉનાળામાં છોડની કાળજી આ 6 રીતે રાખો, બગીચો રહેશે લીલોછમ
Curd: ઉનાળામાં દહીંમાં પાણી ઉમેરીને ખાવું કે ઘાટું જ ખાવું સારું?
લગ્નના 8 વર્ષ પછી માતાપિતા બન્યા ક્રિકેટર અને અભિનેત્રી,જુઓ ફોટો

અદાણી ગ્રુપની સાતમી કંપની

લિસ્ટિંગ બાદ ભારતીય શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી ગ્રૂપની તે સાતમી કંપની હશે. હાલમાં અદાણી ગ્રુપની છ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર,અદાણી ટોટલ ગેસ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિસ્ટેડ છે.

કંપની વિશે જાણો

  • અદાણી વિલ્મર અમદાવાદના અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ છે જેમાં બંને જૂથોનો અડધો હિસ્સો છે.
  • તે એક એફએમસીજી ફૂડ કંપની છે જે કુકીંગ ઓઇલ, ઘઉંનો લોટ, ચોખા, કઠોળ અને ખાંડ જેવા રસોડાના સમાનનું વેચાણ કરે છે. ઓલિયોકેમિકલ્સ, એરંડા તેલ અને તેના ડેરિવેટિવ્ઝ અને ડી-ઓઇલ્ડ કેક જેવા ઔદ્યોગિક ઉત્પાદનો પણ વેચે છે.
  • ફૂડ FMCG કંપની અદાણી વિલ્મર ફૂડ સ્પેસમાં આક્રમક રીતે તેની સ્થિતિ મજબૂત કરવાની યોજના ધરાવે છે. કંપની ફૂડ્સ, સ્ટેપલ્સ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ કેટેગરીમાં કંપનીઓને હસ્તગત કરી શકે છે.
  • કંપની દેશના 10 રાજ્યોમાં પ્લાન્ટ ચલાવે છે અને તેની પાસે 10 ક્રશિંગ યુનિટ અને 19 રિફાઇનરીઓ છે. વધુમાં 30 સપ્ટેમ્બર 2021 સુધીના ઉપલબ્ધ ડેટા અનુસાર કંપની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે લીઝ પર 36 ટોલિંગ યુનિટનો ઉપયોગ કરી રહી છે.
  • સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરના કંપનીના ડેટા મુજબ કંપની પાસે સમગ્ર દેશમાં 88 ડેપો છે જે 18 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા છે.
  • કંપનીના નાણાકીય વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2020માં તેનો ચોખ્ખો નફો રૂ. 460.87 કરોડ હતો જે આગામી નાણાકીય વર્ષ 2021માં વધીને રૂ. 727.65 કરોડ થયો છે.

આ પણ વાંચો : Budget 2022: સરકાર પાસે કંપનીઓના CSR વધારવા ઉદ્યોગ સંગઠનની માગ, કોરોનાના બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં થશે મદદ

  આ પણ વાંચો : Amazon એ Future Retail ને લખી ચિઠ્ઠી, આ કંપની 7000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">