AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: સરકાર પાસે કંપનીઓના CSR વધારવા ઉદ્યોગ સંગઠનની માગ, કોરોનાના બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં થશે મદદ

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સૂચન કર્યું છે કે આગામી સામાન્ય બજેટમાં સરકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ ફરજિયાત બે ટકા ઉપરાંત એક ટકાની વધારાની જોગવાઈ કરવી જોઈએ.

Budget 2022: સરકાર પાસે કંપનીઓના CSR વધારવા ઉદ્યોગ સંગઠનની માગ, કોરોનાના બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં થશે મદદ
Budget 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 11:26 PM
Share

Budget 2022: કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સૂચન કર્યું છે કે આગામી સામાન્ય બજેટમાં સરકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ ફરજિયાત બે ટકા ઉપરાંત એક ટકાની વધારાની જોગવાઈ કરવી જોઈએ. આ પગલાથી કંપનીઓને કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ આપવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. CII એ રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે મહામારીને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરે, કારણકે કોરોના વાયરસના ઓમીક્રોન વેરીઅન્ટને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા બહુ વધારે નથી. સીઆઈઆઈના પ્રમુખ ટી. વી. નરેન્દ્રને કહ્યું કે સીઆઈઆઈનું સૂચન છે કે રસીકરણ માટે એક ટકા ફરજિયાત સીએસઆર ફંડ રાખવાની જોગવાઈ કરવી જોઈએ.

બજેટમાં વધારાની એક ટકા ફી 12 મહિનાના સમયગાળા માટે સીએસઆર જરૂરિયાતોમાં ઉમેરવામાં આવી શકે છે, જેથી તમામ વય જૂથના લોકોને પ્રીકોશન ડોઝ ઉપલબ્ધ કરાવી શકાય. CIIએ આશા વ્યક્ત કરી હતી કે આગામી બજેટ આર્થિક રિકવરીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સરકારને કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવવાની અપીલ

સીઆઈઆઈએ કહ્યું કે વર્તમાન કોવિડ વેવમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધારે નથી અને તેથી ઉદ્યોગને લાગે છે કે કોવિડ સંબંધિત નિયંત્રણો દૂર કરી શકાય છે, જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની પ્રક્રિયા ચાલુ રહે. આ ઉપરાંત, નાણા મંત્રાલય 2021-22 માટે આર્થિક સર્વે એક જ વોલ્યુમમાં બહાર પાડે તેવી અપેક્ષા છે, જેમાં આગામી નાણાકીય વર્ષ માટે લગભગ 9 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવશે.

કેન્દ્રીય બજેટ પહેલા નાણામંત્રી દ્વારા આ સર્વે સંસદમાં મૂકવામાં આવે છે. તે મુખ્ય આર્થિક સલાહકાર અને અન્ય અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. મોદી સરકારનો પહેલો આર્થિક સર્વે પણ વરિષ્ઠ આર્થિક સલાહકાર ઇલા પટનાયકે તૈયાર કર્યો હતો. તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ તેની રજૂઆત કરી હતી. તે સમયે સીએની જગ્યા ખાલી હતી.

રઘુરામ રાજનની ભારતીય રિઝર્વ બેંકના સીએ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પછી, ઓક્ટોબર 2014 માં, અરવિંદ સુબ્રમણ્યનને સીએ તરીકે લાવવામાં આવ્યા હતા. સુબ્રમણ્યને ગયા વર્ષે 6 ડિસેમ્બરે CA તરીકેનો તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. સરકારે સીએની નિમણૂક કરવાની પ્રક્રિયા પહેલેથી શરૂ કરી દીધી છે. જે નાણાં મંત્રાલય સાથે જોડાયેલા સચિવ રેન્કના અધિકારી હોય  છે.

આ પણ વાંચો :  Budget 2022: શિવસેનાના સાંસદ પ્રિયકા ચતુર્વેદીએ વરિષ્ઠ નાગરિકોને FD પર વિશેષ વ્યાજ દર આપવા નિર્મલા સીતારમણને લખ્યો પત્ર

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">