AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: સરકાર પાસે કંપનીઓના CSR વધારવા ઉદ્યોગ સંગઠનની માગ, કોરોનાના બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં થશે મદદ

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સૂચન કર્યું છે કે આગામી સામાન્ય બજેટમાં સરકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ ફરજિયાત બે ટકા ઉપરાંત એક ટકાની વધારાની જોગવાઈ કરવી જોઈએ.

Budget 2022: સરકાર પાસે કંપનીઓના CSR વધારવા ઉદ્યોગ સંગઠનની માગ, કોરોનાના બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં થશે મદદ
Budget 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 11:26 PM
Share

Budget 2022: કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સૂચન કર્યું છે કે આગામી સામાન્ય બજેટમાં સરકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ ફરજિયાત બે ટકા ઉપરાંત એક ટકાની વધારાની જોગવાઈ કરવી જોઈએ. આ પગલાથી કંપનીઓને કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ આપવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. CII એ રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે મહામારીને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરે, કારણકે કોરોના વાયરસના ઓમીક્રોન વેરીઅન્ટને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા બહુ વધારે નથી. સીઆઈઆઈના પ્રમુખ ટી. વી. નરેન્દ્રને કહ્યું કે સીઆઈઆઈનું સૂચન છે કે રસીકરણ માટે એક ટકા ફરજિયાત સીએસઆર ફંડ રાખવાની જોગવાઈ કરવી જોઈએ.

બજેટમાં વધારાની એક ટકા ફી 12 મહિનાના સમયગાળા માટે સીએસઆર જરૂરિયાતોમાં ઉમેરવામાં આવી શકે છે, જેથી તમામ વય જૂથના લોકોને પ્રીકોશન ડોઝ ઉપલબ્ધ કરાવી શકાય. CIIએ આશા વ્યક્ત કરી હતી કે આગામી બજેટ આર્થિક રિકવરીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સરકારને કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવવાની અપીલ

સીઆઈઆઈએ કહ્યું કે વર્તમાન કોવિડ વેવમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધારે નથી અને તેથી ઉદ્યોગને લાગે છે કે કોવિડ સંબંધિત નિયંત્રણો દૂર કરી શકાય છે, જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની પ્રક્રિયા ચાલુ રહે. આ ઉપરાંત, નાણા મંત્રાલય 2021-22 માટે આર્થિક સર્વે એક જ વોલ્યુમમાં બહાર પાડે તેવી અપેક્ષા છે, જેમાં આગામી નાણાકીય વર્ષ માટે લગભગ 9 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવશે.

કેન્દ્રીય બજેટ પહેલા નાણામંત્રી દ્વારા આ સર્વે સંસદમાં મૂકવામાં આવે છે. તે મુખ્ય આર્થિક સલાહકાર અને અન્ય અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. મોદી સરકારનો પહેલો આર્થિક સર્વે પણ વરિષ્ઠ આર્થિક સલાહકાર ઇલા પટનાયકે તૈયાર કર્યો હતો. તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ તેની રજૂઆત કરી હતી. તે સમયે સીએની જગ્યા ખાલી હતી.

રઘુરામ રાજનની ભારતીય રિઝર્વ બેંકના સીએ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પછી, ઓક્ટોબર 2014 માં, અરવિંદ સુબ્રમણ્યનને સીએ તરીકે લાવવામાં આવ્યા હતા. સુબ્રમણ્યને ગયા વર્ષે 6 ડિસેમ્બરે CA તરીકેનો તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. સરકારે સીએની નિમણૂક કરવાની પ્રક્રિયા પહેલેથી શરૂ કરી દીધી છે. જે નાણાં મંત્રાલય સાથે જોડાયેલા સચિવ રેન્કના અધિકારી હોય  છે.

આ પણ વાંચો :  Budget 2022: શિવસેનાના સાંસદ પ્રિયકા ચતુર્વેદીએ વરિષ્ઠ નાગરિકોને FD પર વિશેષ વ્યાજ દર આપવા નિર્મલા સીતારમણને લખ્યો પત્ર

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">