RIL Q3 Results : ત્રીજા ક્વાર્ટરમાં મુકેશ અંબાણીની કંપનીનો નફો 41.5 ટકા વધ્યો, Jio ને 3,615 કરોડનો નેટ પ્રોફીટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 18,549 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો 3,615 કરોડ રૂપિયા રહ્યો.

RIL Q3 Results : ત્રીજા ક્વાર્ટરમાં મુકેશ અંબાણીની કંપનીનો નફો 41.5 ટકા વધ્યો, Jio ને 3,615 કરોડનો નેટ પ્રોફીટ
Reliance Industries has made a consolidated net profit of Rs 18,549 crore in the third quarter (Mukesh Ambani - File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 11:05 PM

RIL Q3 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (Reliance Industries) ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 18,549 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો(Profit)  કર્યો છે. કંપનીના ચોખ્ખા નફામાં 41.5%નો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો(Jio)  ચોખ્ખો નફો 3,615 કરોડ રૂપિયા રહ્યો. તે જ સમયે, કંપનીની ત્રીજા ક્વાર્ટરમાં 19,347 કરોડ રૂપિયાની આવક થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કામગીરીમાંથી એકીકૃત આવક ત્રિમાસિકમાં 54.25 ટકા વધીને 1,91,271 કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે  1,23,997 કરોડ રૂપિયા હતી. કંપનીનો ચોખ્ખો નફો માર્જિન 9.8 ટકા રહ્યો છે. તેની સરખામણીમાં કંપનીનો ચોખ્ખો નફો માર્જિન સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.1 ટકા અને એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 10.8 ટકા હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવકમાં પણ વધારો થયો છે

કંપનીના જણાવ્યા અનુસાર ત્રીજા ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં વધારો થવાનું કારણ ઓઇલ, રિટેલ અને ટેલિકોમ સેક્ટરનું સારું પ્રદર્શન છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 18,549 કરોડ રૂપિયા હતો. તેની તુલનામાં એક વર્ષ અગાઉ તે 13,101 કરોડ રૂપિયા હતો. કામગીરીમાંથી કંપનીની આવક 1.28 લાખ કરોડ રૂપિયાથી વધીને 1.91 લાખ કરોડ રૂપિયા થઈ છે.

કંપનીએ કહ્યું કે 31 ડિસેમ્બર, 2021 ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન જૂથની કામગીરી પર કોઈ મોટી અસર થઈ નથી. ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 29.9 ટકા વધીને 33,886 કરોડ રૂપિયા થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામોની જાહેરાત પહેલા, કંપનીનો શેર NSE પર ફ્લેટ 2,476 કરોડ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 18.26 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

Jioનો નફો 8.9 ટકા વધ્યો

મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપનીએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સનો એકીકૃત નફો 8.9 ટકા વધીને 3,795 કરોડ રૂપિયા થયો છે. સેગમેન્ટ માટે કંપનીની કુલ આવક 13.8 ટકા વધીને 24,176 કરોડ રૂપિયા થઈ છે. આ સેગમેન્ટ માટે તેનો Ebitda 18 ટકા વધીને  10,008 કરોડ રૂપિયા થયો છે.

જ્યારે તેનો રોકડ નફો 14.7 ટકા વધીને 8,747 કરોડ રૂપિયા થયો છે. ક્વાર્ટરમાં Jioમાં કુલ 1.02 કરોડ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા છે. Jioના કુલ સબ્સ્ક્રાઇબર્સ હાલમાં 42.1 કરોડ છે.

આ પણ વાંચો : Share Market : રોકાણકારોએ 4 દિવસમાં 9 લાખ કરોડ ગુમાવ્યા, સપ્તાહના અંતિમ કારોબારી દિવસે SENSEX 427 અંકના ઘટાડા સાથે બંધ થયો,

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">