અયોધ્યામાં 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જેમને આમંત્રણ છે માત્ર તેઓ જ હાજર રહી શકશે. બિઝનેસ જગતની વાત કરીએ તો મુકેશ અંબાણી અને તેમના પરિવાર, રતન ટાટા અને ગૌતમ અદાણીને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓને સમારોહ માટે રાજ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
અંબાણી પરિવારમાંથી મુકેશ અંબાણી, તેમની માતા કોકિલાબેન, પત્ની નીતા, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધૂ શ્લોકા અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટા, ટાટા સન્સના ચેરપર્સન એન ચંદ્રશેખરન અને પત્ની લલિતાને પણ આમંત્રણ છે. ગૌતમ અદાણી અને માઇનિંગ બિઝનેસમેન અનિલ અગ્રવાલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
હિન્દુજા ગ્રુપના અશોક હિન્દુજા, વિપ્રોના અઝીમ પ્રેમજી, બોમ્બે ડાઈંગના નુસ્લી વાડિયા, ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા, GMR ગ્રુપના જીએમઆર રાવ અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન નિરંજન હિરાનંદાનીને પણ આમંત્રણ મળ્યું છે. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરપર્સન કુમાર મંગલમ બિરલા અને તેમની પત્ની નીરજા, પિરામલ ગ્રૂપના અજય પિરામલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આનંદ મહિન્દ્રા, DCM શ્રીરામના અજય શ્રીરામ અને TCSના CEO કે કૃતિવાસનનો સમાવેશ થાય છે.
HDFC ના ભૂતપૂર્વ ચેરપર્સન દીપક પારેખ, ડો. રેડ્ડીઝ ફાર્માસ્યુટિકલ્સના સતીશ રેડ્ડી, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝના સીઈઓ પુનિત ગોએન્કા, એલએન્ડટીના ચેરમેન અને એમડી એસએન સુબ્રમણ્યન અને તેમની પત્ની, ઈન્ફોસીસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના વડા નવીન જિંદાલ અને નરેશ ગ્રૂપના નરેશ ત્રેહનને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદની કંપનીનો 24 જાન્યુઆરીએ ખુલશે IPO, શેરનો ભાવ 70 રૂપિયા અને ગ્રે માર્કેટમાં પ્રિમીયમ 50 રૂપિયાથી વધારે
આ યાદીમાં કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટક, ઈન્ફોસીસના ચીફ નંદન નિલેકણી અને કંપનીના સહ-સ્થાપક ટીવી મોહનદાસ પાઈ, ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા, HDFCના આદિત્ય પુરી, ગોદરેજ ગ્રુપના ચેરપર્સન વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય પણ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
Published On - 6:18 pm, Sun, 21 January 24