AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાકેશ ઝુનઝુનવાલાની Akasa Air ભરશે ઉડાન, ઉડ્ડયન મંત્રાલય તરફથી મળી મંજુરી

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા $ 35 મિલિયનના રોકાણ સાથે અકાસા એર તરીકે ઓળખાતી અલ્ટ્રા-લો-કોસ્ટ એરલાઈન શરૂ કરશે.

રાકેશ ઝુનઝુનવાલાની Akasa Air ભરશે ઉડાન, ઉડ્ડયન મંત્રાલય તરફથી મળી મંજુરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 8:05 PM
Share

તાજેતરના અહેવાલો અનુસાર ભારતના અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) થોડા સમયથી 70 એરક્રાફ્ટ સાથે પોતાની એરલાઈન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ સમાચારો પર આજે પડદો પડ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાને પોતાની એરલાઈન શરૂ કરવા માટે એનઓસી મળી ગયુ છે.

એનઓસી મળ્યા બાદ માન્યો આભાર

અકાસા એર (Akasa Airlines)ના સીઈઓ દુબેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સમર્થન અને એનઓસી આપવા બદલ અમે અત્યંત ખુશ અને આભારી છીએ. અમે અકાસા એરને સફળતાપૂર્વક શરૂ કરવા માટે જરૂરી તમામ નિયમો પર અમે નિયામક અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશું.

ક્યારે શરૂ થશે કામગીરી

ભારતીય બિઝનેસ મેગ્નેટ અને શેરબજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એરલાઈનને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું છે. મીડિયા રીપોટ્સના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે અકાસા એર 2021ના ​​અંત સુધીમાં કામગીરી શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. અહેવાલ મુજબ અકાસા એરનું નેરો બોડી એરક્રાફ્ટના બોઈંગ ફ્લીટને પસંદ કરવામાં આવે તેવી શક્યતા વધારે છે અને આશા છે કે વિમાન સંપાદન બાદ એર ઓપરેટર પરમિટ ઉપલબ્ધ થશે.

આ પહેલા 28 જુલાઈના રોજ અહેવાલો સામે આવ્યા હતા કે ઝુનઝુનવાલા નવા એરલાઈન સાહસ માટે ચાર વર્ષમાં 70 વિમાનો લેવાનું વિચારી રહ્યા છે.  ઝુનઝુનવાલા નવી એરલાઈનમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે તેવી ધારણા છે અને તેઓ સાહસમાં 35 મિલિયન ડોલરનું રોકાણ કરવા માંગે છે. માહિતી અનુસાર સ્થાનિક એરલાઈન ઈન્ડિગોના ભૂતપૂર્વ ચેરમેન આદિત્ય ઘોષ, ઝુનઝુનવાલા અને જેટ એરવેઝના ભૂતપૂર્વ સીઈઓ વિનય દુબે સાથે અકાસાના સહ-સ્થાપક હશે.

ઘોષ આ નવા અલ્ટ્રા-લો-કોસ્ટ કેરિયર (ULCC) સાથે ઉડ્ડયન ઉદ્યોગમાં પરત ફરશે. 2018માં તેમણે ઈન્ડિગોના ચેરમેન અને હોલ ટાઈમ ડિરેક્ટરનું પદ છોડીને ઉદ્યોગમાંથી બહાર નીકળ્યા હતા. તે હાલમાં ફેબ ઈન્ડિયા અને ઓયો રૂમમાં બોર્ડ મેમ્બર છે.

અકાસાના અન્ય મુખ્ય હોદ્દાઓ જેટ એરવેઝના ભૂતપૂર્વ વીપી પ્રવિણ અય્યર સીઓઓની ભૂમિકા નિભાવશે, જ્યારે ગો એરના (Go Air) ભૂતપૂર્વ રેવન્યુ મેનેજમેન્ટ વીપી આનંદ શ્રીનિવાસન સીટીઓ અને ભૂતપૂર્વ જેટ ફ્લાઈટ ઓપરેટર વીપી ફ્લોયડ ગ્રેસીઆસ પણ આ પ્રકારની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. ઉદ્યોગના અનુભવી નીલુ ખત્રીને કોર્પોરેટ બાબતોના વડાનું પદ મળે તેવી શક્યતા છે.

ઝુનઝુનવાલા પ્રમોટેડ એરલાઈન કંપનીએ 70 વિમાનોના કાફલાની યોજના બનાવી છે. કોવિડ -19 મહામારી કારણે ઉદ્યોગ પર પડેલી ઉંડી અસર વચ્ચે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર નવી શરૂઆત જોવા માટે તૈયાર છે.

આ  પણ વાંચો :  SBIમાં ખોલી શકાય છે આ 8 પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ, વિનામુલ્યે મળશે આ સુવિધાઓ

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">