રાકેશ ઝુનઝુનવાલાની Akasa Air ભરશે ઉડાન, ઉડ્ડયન મંત્રાલય તરફથી મળી મંજુરી

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા $ 35 મિલિયનના રોકાણ સાથે અકાસા એર તરીકે ઓળખાતી અલ્ટ્રા-લો-કોસ્ટ એરલાઈન શરૂ કરશે.

રાકેશ ઝુનઝુનવાલાની Akasa Air ભરશે ઉડાન, ઉડ્ડયન મંત્રાલય તરફથી મળી મંજુરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 8:05 PM

તાજેતરના અહેવાલો અનુસાર ભારતના અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) થોડા સમયથી 70 એરક્રાફ્ટ સાથે પોતાની એરલાઈન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ સમાચારો પર આજે પડદો પડ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાને પોતાની એરલાઈન શરૂ કરવા માટે એનઓસી મળી ગયુ છે.

એનઓસી મળ્યા બાદ માન્યો આભાર

અકાસા એર (Akasa Airlines)ના સીઈઓ દુબેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સમર્થન અને એનઓસી આપવા બદલ અમે અત્યંત ખુશ અને આભારી છીએ. અમે અકાસા એરને સફળતાપૂર્વક શરૂ કરવા માટે જરૂરી તમામ નિયમો પર અમે નિયામક અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશું.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ક્યારે શરૂ થશે કામગીરી

ભારતીય બિઝનેસ મેગ્નેટ અને શેરબજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એરલાઈનને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું છે. મીડિયા રીપોટ્સના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે અકાસા એર 2021ના ​​અંત સુધીમાં કામગીરી શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. અહેવાલ મુજબ અકાસા એરનું નેરો બોડી એરક્રાફ્ટના બોઈંગ ફ્લીટને પસંદ કરવામાં આવે તેવી શક્યતા વધારે છે અને આશા છે કે વિમાન સંપાદન બાદ એર ઓપરેટર પરમિટ ઉપલબ્ધ થશે.

આ પહેલા 28 જુલાઈના રોજ અહેવાલો સામે આવ્યા હતા કે ઝુનઝુનવાલા નવા એરલાઈન સાહસ માટે ચાર વર્ષમાં 70 વિમાનો લેવાનું વિચારી રહ્યા છે.  ઝુનઝુનવાલા નવી એરલાઈનમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે તેવી ધારણા છે અને તેઓ સાહસમાં 35 મિલિયન ડોલરનું રોકાણ કરવા માંગે છે. માહિતી અનુસાર સ્થાનિક એરલાઈન ઈન્ડિગોના ભૂતપૂર્વ ચેરમેન આદિત્ય ઘોષ, ઝુનઝુનવાલા અને જેટ એરવેઝના ભૂતપૂર્વ સીઈઓ વિનય દુબે સાથે અકાસાના સહ-સ્થાપક હશે.

ઘોષ આ નવા અલ્ટ્રા-લો-કોસ્ટ કેરિયર (ULCC) સાથે ઉડ્ડયન ઉદ્યોગમાં પરત ફરશે. 2018માં તેમણે ઈન્ડિગોના ચેરમેન અને હોલ ટાઈમ ડિરેક્ટરનું પદ છોડીને ઉદ્યોગમાંથી બહાર નીકળ્યા હતા. તે હાલમાં ફેબ ઈન્ડિયા અને ઓયો રૂમમાં બોર્ડ મેમ્બર છે.

અકાસાના અન્ય મુખ્ય હોદ્દાઓ જેટ એરવેઝના ભૂતપૂર્વ વીપી પ્રવિણ અય્યર સીઓઓની ભૂમિકા નિભાવશે, જ્યારે ગો એરના (Go Air) ભૂતપૂર્વ રેવન્યુ મેનેજમેન્ટ વીપી આનંદ શ્રીનિવાસન સીટીઓ અને ભૂતપૂર્વ જેટ ફ્લાઈટ ઓપરેટર વીપી ફ્લોયડ ગ્રેસીઆસ પણ આ પ્રકારની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. ઉદ્યોગના અનુભવી નીલુ ખત્રીને કોર્પોરેટ બાબતોના વડાનું પદ મળે તેવી શક્યતા છે.

ઝુનઝુનવાલા પ્રમોટેડ એરલાઈન કંપનીએ 70 વિમાનોના કાફલાની યોજના બનાવી છે. કોવિડ -19 મહામારી કારણે ઉદ્યોગ પર પડેલી ઉંડી અસર વચ્ચે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર નવી શરૂઆત જોવા માટે તૈયાર છે.

આ  પણ વાંચો :  SBIમાં ખોલી શકાય છે આ 8 પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ, વિનામુલ્યે મળશે આ સુવિધાઓ

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">