LIC IPO : શું શેરબજારની ઉથલ – પાથલ દેશના સૌથી મોટા IPO નું લોન્ચિંગ પાછળ ઠેલવી શકે છે? FII નું વેચાણ બની રહ્યો છે પડકાર

એવું માનવામાં આવે છે કે LIC IPOનું કદ રૂ. 66,000 કરોડથી વધુ હોઈ શકે છે પરંતુ માર્કેટમાં આટલી ઉથલપાથલ સાથે LIC IPOની સફળતા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

LIC IPO : શું શેરબજારની ઉથલ - પાથલ  દેશના સૌથી મોટા IPO નું લોન્ચિંગ પાછળ ઠેલવી શકે છે? FII નું વેચાણ બની રહ્યો છે પડકાર
LIC IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:33 AM

LIC IPO :રશિયા-યુક્રેન તણાવ ( Russia-Ukraine Conflict) ના કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર(Share Market) પણ બાકાત રહી શક્યું નથી. વિદેશી રોકાણકારો(FII)થી માંડીને સંસ્થાકીય રોકાણકારો બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. જેની માર્કેટ સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી રહી છે. આ નકારાત્મક સ્થિતિ વચ્ચે સરકારી સૌથી મોટી જાહેર ક્ષેત્રની વીમા કંપની LIC માર્ચ 2022 માં ભારતીય IPO બજારના ઇતિહાસમાં સૌથી મોટો IPO લોન્ચ કરવાની છે.

LIC IPO માટે ચિંતાજનક સ્થિતિ

એવું માનવામાં આવે છે કે LIC IPOનું કદ રૂ. 66,000 કરોડથી વધુ હોઈ શકે છે પરંતુ માર્કેટમાં આટલી ઉથલપાથલ સાથે LIC IPOની સફળતા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આનાથી લોકોના મનમાં એવો પ્રશ્ન પણ ઊભો થાય છે કે શું બજારમાં અસ્થિરતાના વાતાવરણને ધ્યાનમાં રાખીને સરકાર LICના IPO લાવવાના નિર્ણયને થોડા સમય માટે મુલતવી રાખી શકે છે. આ ક્ષણે સરકારે આ અંગે તેના પત્તાં ખોલ્યા નથી. એલઆઈસીએ સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યું છે અને એવું માનવામાં આવે છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં એલઆઈસીને આઈપીઓ લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસેથી પણ મંજૂરી મળી જશે.

IPO સમયસર આવશે?

શેરબજારના ખરાબ માહોલ છતાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે વૈશ્વિક કારણોસર બજારમાં વધઘટ છતાં સરકાર એલઆઈસી આઈપીઓ લાવશે. તેમણે કહ્યું કે LIC IPOનો ડ્રાફ્ટ પેપર DHRP બહાર આવ્યો છે અને બજારમાં ભારે હલચલ છે. જેમ આપણે એર ઈન્ડિયાના મામલામાં આગળ વધ્યા છીએ તેવી જ રીતે LIC IPO ના કેસમાં પણ આગળ વધીશું.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

માર્ચમાં લિસ્ટિંગ કરવા મક્કમ

બે દિવસ પહેલા LICના ચેરમેન એમ.આર. કુમારે પણ કહ્યું હતું કે કંપની રશિયા-યુક્રેનના તણાવને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે પરંતુ માર્ચમાં પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO)ને લિસ્ટ કરવા માટે ખૂબ જ ગંભીર છે.

FIIનું વેચાણ

બજારમાં ઉથલપાથલ એ છે કે પૂર્વીય યુરોપમાં તણાવ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં વધારાની આશંકા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં સ્થાનિક બજારમાંથી રૂ. 18,856 કરોડનું વેચાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ 1 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી વચ્ચે રૂ. 15,342 કરોડના શેર અને રૂ. 3,629 કરોડના બોન્ડનું વેચાણ કર્યું હતું. જ્યારે આ સમય દરમિયાન તેઓએ માત્ર રૂ. 115 કરોડનું રોકાણ કર્યું છે.

આ પણ વાંચો : MONEY9: પહેલી વખત કાર ખરીદો છો? તો આ વીડિયો તમને ચોક્કસથી ફાયદો કરાવશે

આ પણ વાંચો : Closing Bell : છેલ્લા કલાકમાં લપસ્યું શેરબજાર, સતત છઠ્ઠા સત્રમાં નુકસાન સાથે થયુ બંધ

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">