Kitkat ના રેપર ઉપર ભગવાન જગન્નાથનો ફોટો લગાડવામાં આવતા વિવાદ છંછેડાયો, Nestle India એ શ્રદ્ધાળુઓની માંફી માંગી જથ્થો પરત મંગાવ્યો

નેસ્લેએ કહ્યું કે જો આ ભૂલથી અજાણતાં તેની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે.

Kitkat ના રેપર ઉપર ભગવાન જગન્નાથનો ફોટો લગાડવામાં આવતા વિવાદ છંછેડાયો, Nestle India એ શ્રદ્ધાળુઓની માંફી માંગી જથ્થો પરત મંગાવ્યો
નેસ્લેની ચોકલેટ કીટકેટનું વિવાદિત પેકીંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 8:59 AM

મલ્ટીનેશનલ કંપની નેસ્લેએ(Nestle) તેની ચોકલેટ ઉત્પાદન કિટકેટ(Kitkat) ના સ્ટોકને પરત મંગાવી રહી છે. પ્રોડક્ટના પેકિંગને લઈ ઉભા થયેલા વિવાદના પગલે કંપનીએ માફી માંગી આ પગલું ભર્યું છે. ચોકલેટ રેપર પર ભગવાનની તસવીર છાપવા બદલ નેસ્લેએ માફી માંગી છે. આ સાથે કંપનીએ કહ્યું કે તે બજારમાંથી આવા તમામ ઉત્પાદનોને પરત મંગાવી રહી છે.

લોકો Twitter પર વિરોધ કરી રહ્યા હતા

નેસ્લેની કિટકેટ બ્રાન્ડની ચોકલેટના રેપર પર ભગવાન જગન્નાથની તસવીર છપાઈ ત્યારથી વિવાદ શરૂ થયો હતો. Twitter પર ફોટો શેર કરી ઘણા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. વાંધો ઉઠાવનારાઓએ કહ્યું કે ચોકલેટ ખાધા પછી લોકો રેપર શેરીઓ, ગટર કે ડસ્ટબીનમાં ફેંકી દે છે. આ કારણથી કંપનીએ રેપરમાંથી ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાની તસવીર હટાવી દેવી જોઈએ.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

Nestle આ લોટ પરત મંગાવી રહી છે

નેસ્લેએ માફી માંગીને અને આ લોટના બાકીના ઉત્પાદનને બજારમાંથી પરત મંગાવવા ખાતરી આપી છે. નેસ્લે સ્પષ્ટતા આપતા એક નિવેદનમાં જણાવ્યું કે ટ્રાવેલ બ્રેક પેકનો હેતુ સ્થાનિક સ્થળો સુંદરતા સેલિબ્રેટ કરવાનો છે. આને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ઓડિશાની સંસ્કૃતિની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે પેક પર યુનિક કલા પટ્ટચિત્રની ઝલક દર્શાવતી ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કંપનીએ કહ્યું કે રેપર પરની તસવીર સરકારની પ્રવાસન વેબસાઇટથી પ્રેરિત છે. અમે લોકોને આ કળા અને તેની સાથે સંકળાયેલા કલાકારો વિશે વધુ જાણવા માટે પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. અમારી અગાઉની ઝુંબેશોએ સાબિત કર્યું છે કે ગ્રાહકો આવી સુંદર ડિઝાઇનને પસંદ કરે છે. જો કે અમે આ બાબતની સંવેદનશીલતાને સમજીએ છીએ.

નેસ્લેએ કહ્યું કે જો આ ભૂલથી અજાણતાં તેની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. કંપનીએ કહ્યું કે તેણે તાત્કાલિક અસરથી આવા ઉત્પાદનોને બજારમાંથી હટાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે તે બજારમાંથી આવા પેકેટ પરત મંગાવી રહી છે.

આ પણ વાંચો :  એક સર્વે અનુસાર નવી નોકરી શોધનારાઓમાં પુરુષો કરતા મહિલાઓ વધારે, કોરોના બાદ આ કારણોથી નોકરી બદલવાની રુચિ દર્શાવી રહી છે

આ પણ વાંચો :  GOLD : કોરોનાકાળમાં સોનાની માંગમાં ઉછાળો, 9 મહિનામાં દેશવાસીઓએ 38 અબજ ડોલરના સોનાની ખરીદી કરી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">