AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitkat ના રેપર ઉપર ભગવાન જગન્નાથનો ફોટો લગાડવામાં આવતા વિવાદ છંછેડાયો, Nestle India એ શ્રદ્ધાળુઓની માંફી માંગી જથ્થો પરત મંગાવ્યો

નેસ્લેએ કહ્યું કે જો આ ભૂલથી અજાણતાં તેની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે.

Kitkat ના રેપર ઉપર ભગવાન જગન્નાથનો ફોટો લગાડવામાં આવતા વિવાદ છંછેડાયો, Nestle India એ શ્રદ્ધાળુઓની માંફી માંગી જથ્થો પરત મંગાવ્યો
નેસ્લેની ચોકલેટ કીટકેટનું વિવાદિત પેકીંગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 8:59 AM
Share

મલ્ટીનેશનલ કંપની નેસ્લેએ(Nestle) તેની ચોકલેટ ઉત્પાદન કિટકેટ(Kitkat) ના સ્ટોકને પરત મંગાવી રહી છે. પ્રોડક્ટના પેકિંગને લઈ ઉભા થયેલા વિવાદના પગલે કંપનીએ માફી માંગી આ પગલું ભર્યું છે. ચોકલેટ રેપર પર ભગવાનની તસવીર છાપવા બદલ નેસ્લેએ માફી માંગી છે. આ સાથે કંપનીએ કહ્યું કે તે બજારમાંથી આવા તમામ ઉત્પાદનોને પરત મંગાવી રહી છે.

લોકો Twitter પર વિરોધ કરી રહ્યા હતા

નેસ્લેની કિટકેટ બ્રાન્ડની ચોકલેટના રેપર પર ભગવાન જગન્નાથની તસવીર છપાઈ ત્યારથી વિવાદ શરૂ થયો હતો. Twitter પર ફોટો શેર કરી ઘણા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. વાંધો ઉઠાવનારાઓએ કહ્યું કે ચોકલેટ ખાધા પછી લોકો રેપર શેરીઓ, ગટર કે ડસ્ટબીનમાં ફેંકી દે છે. આ કારણથી કંપનીએ રેપરમાંથી ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાની તસવીર હટાવી દેવી જોઈએ.

Nestle આ લોટ પરત મંગાવી રહી છે

નેસ્લેએ માફી માંગીને અને આ લોટના બાકીના ઉત્પાદનને બજારમાંથી પરત મંગાવવા ખાતરી આપી છે. નેસ્લે સ્પષ્ટતા આપતા એક નિવેદનમાં જણાવ્યું કે ટ્રાવેલ બ્રેક પેકનો હેતુ સ્થાનિક સ્થળો સુંદરતા સેલિબ્રેટ કરવાનો છે. આને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે ઓડિશાની સંસ્કૃતિની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે પેક પર યુનિક કલા પટ્ટચિત્રની ઝલક દર્શાવતી ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કંપનીએ કહ્યું કે રેપર પરની તસવીર સરકારની પ્રવાસન વેબસાઇટથી પ્રેરિત છે. અમે લોકોને આ કળા અને તેની સાથે સંકળાયેલા કલાકારો વિશે વધુ જાણવા માટે પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. અમારી અગાઉની ઝુંબેશોએ સાબિત કર્યું છે કે ગ્રાહકો આવી સુંદર ડિઝાઇનને પસંદ કરે છે. જો કે અમે આ બાબતની સંવેદનશીલતાને સમજીએ છીએ.

નેસ્લેએ કહ્યું કે જો આ ભૂલથી અજાણતાં તેની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. કંપનીએ કહ્યું કે તેણે તાત્કાલિક અસરથી આવા ઉત્પાદનોને બજારમાંથી હટાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે તે બજારમાંથી આવા પેકેટ પરત મંગાવી રહી છે.

આ પણ વાંચો :  એક સર્વે અનુસાર નવી નોકરી શોધનારાઓમાં પુરુષો કરતા મહિલાઓ વધારે, કોરોના બાદ આ કારણોથી નોકરી બદલવાની રુચિ દર્શાવી રહી છે

આ પણ વાંચો :  GOLD : કોરોનાકાળમાં સોનાની માંગમાં ઉછાળો, 9 મહિનામાં દેશવાસીઓએ 38 અબજ ડોલરના સોનાની ખરીદી કરી

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">