AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOLD : કોરોનાકાળમાં સોનાની માંગમાં ઉછાળો, 9 મહિનામાં દેશવાસીઓએ 38 અબજ ડોલરના સોનાની ખરીદી કરી

બુલિયન વેપારીઓના જણાવ્યા અનુસાર આયાતમાં વધારો લગ્નોમાં સોનાના વધતા વપરાશને કારણે પણ છે.

GOLD : કોરોનાકાળમાં સોનાની માંગમાં ઉછાળો, 9 મહિનામાં દેશવાસીઓએ 38 અબજ ડોલરના સોનાની ખરીદી કરી
Gold Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 6:01 AM
Share

છેલ્લા બે વર્ષથી કોરોનાના રોગચાળાએ ભરડો લીધો છે અને અર્થતંત્રની ગાડી ધીમી પડી છે પણ બીજી તરફ દેશના લોકો સોના કે સોનાના દાગીના ખરીદવામાં કચાસ રાખી રહ્યા નથી. આંકડા આ વાતની સાક્ષી પૂરે છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં (એપ્રિલ-ડિસેમ્બર, 2021) સોનાની આયાત બમણીથી વધુ વધીને 38 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા દ્વારા આ હકીકત સામે આવી છે.

દેશમાં ઉચ્ચ માંગને કારણે સોનાની આયાતમાં વધારો થયો છે. ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે. સોનાની આયાત મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.

લગ્નમાં સોનું અગત્યની ખરીદી

બુલિયન વેપારીઓના જણાવ્યા અનુસાર આયાતમાં વધારો લગ્નોમાં સોનાના વધતા વપરાશને કારણે પણ છે. કોરોનાએ આખા વર્ષ દરમિયાન લગ્નોને અસર કરી હતી. પછી જ્યારે પરિસ્થિતિ થોડી સુધરી તો લોકોએ લગ્ન કર્યા હતા. લગ્નમાં સોનું અનિવાર્ય ભેટ મનાય છે પરિણામે આ વિશેષ માંગ નોંધપાત્ર રીતે વધી સાથે સોનાની આયાત પણ વધી છે.

જો કે બીજી તરફ દેશમાંથી સોનાના દાગીનાની નિકાસ પણ વધી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 71 ટકા વધીને 2.29 કરોડ ડોલર થઈ છે. આ પણ આયાત વધવાનું કારણ હોઈ શકે છે.

એપ્રિલ-ડિસેમ્બર 2020માં સોનાની આયાત 16.78 અબજ ડોલર હતી. ડેટા અનુસાર ડિસેમ્બર 2021માં સોનાની આયાત વધીને 4.8 અબજ ડોલર થઈ હતી જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 4.5 અબજ ડોલર હતી.

આયાતથી વેપાર ખાધમાં વધારો

સોનાની આયાત ચાલુ ખાતાની ખાધ (CAD)ને પણ અસર કરે છે. સોનાની આયાતમાં વધારાથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં વેપાર ખાધ વધીને 142.44 અબજ ડોલર થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 61.38 અબજ ડોલર હતી.

એ જ રીતે નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ચાંદીની આયાત પણ વધીને 2 અરબ ડોલર થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 762 મિલિયન ડોલર હતી. RBIના ડેટા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ 9.6 અબજ ડોલર અથવા જીડીપીના 1.3 ટકા હતી.

આ પણ વાંચો : મોટો નિર્ણય- દેશની મોટી સરકારી કંપનીઓએ ઘટાડ્યા વ્યાજ દર, શું થશે સામાન્ય વ્યક્તિ પર અસર

આ પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય – આ લોકોના ખાતામાં ટ્રાન્સફર થશે 974 કરોડ રૂપિયા, જાણો કોને અને કેવી રીતે થશે ફાયદો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">