AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing data: આ ડેટા જોઈને તમે ચોંકી જશો, 6.77 કરોડ કરદાતાઓમાંથી વાંચો કેટલા કરોડ લોકોએ ઝીરો ટેક્સ ભર્યો

આનું બીજું કારણ એવા કરદાતાઓ પણ હોઈ શકે છે જેઓ પહેલીવાર આવકવેરો ફાઇલ કરે છે, જેમની આવક કરવેરા હેઠળ આવતી નથી. આવકવેરા રિટર્નના આ આંકડા કામચલાઉ છે, કારણ કે મોટી સંખ્યામાં આવકવેરા રિટર્ન ભરવાના બાકી છે.

ITR Filing data: આ ડેટા જોઈને તમે ચોંકી જશો, 6.77 કરોડ કરદાતાઓમાંથી વાંચો કેટલા કરોડ લોકોએ ઝીરો ટેક્સ ભર્યો
Number of people who pay zero tax in the country in crores (Represental Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 7:44 PM
Share

ભારતમાં આ વર્ષે 6.77 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આ પોતે જ અત્યાર સુધીની સૌથી વધુ ITR ફાઇલોનો રેકોર્ડ છે. આવકવેરા વિભાગના આંકડાઓ અનુસાર મોટી સંખ્યામાં એવા લોકો છે જેમનો આવકવેરો શૂન્ય છે. એટલે કે લોકોએ તેમની આવક રૂ. 5 લાખ કે તેથી ઓછી દર્શાવી છે અને ‘ઝીરો ટેક્સ’ ભર્યો છે. શું તમને તેમના નંબરનો કોઈ ખ્યાલ છે…?

નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 હતી. તે જ સમયે, લોકોને તેના ઇ-વેરિફિકેશન માટે વધુ 30 દિવસનો સમય મળ્યો છે. જ્યારે હવે 5,000 રૂપિયા સુધીની પેનલ્ટી ભરીને પણ ITR મોડું ભરી શકાશે. આ આવકવેરા રિટર્નના ડેટા પરથી ‘ઝીરો ટેક્સ’ ભરનારા કરદાતાઓનો ડેટા પણ બહાર આવ્યો છે.

આટલા કરોડ લોકો ફાઈલ કરે છે ઝીરો ટેક્સ

સરકાર ઇન્કમ ટેક્સ કલેક્શન વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ આ વર્ષે ફાઈલ કરાયેલા 6.77 કરોડ આઈટીઆરમાંથી લગભગ 4.65 કરોડ લોકોએ ઝીરો ટેક્સ ફાઈલ કર્યો છે. એટલે કે તેમની આવક 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી રહી છે. જો જોવામાં આવે તો આ કુલ કરદાતાઓની સંખ્યાના અડધાથી વધુ છે.

નાણા મંત્રાલયના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2019-20માં શૂન્ય ટેક્સ ચૂકવનારા કરદાતાઓની સંખ્યા લગભગ 2.9 કરોડ હતી. તે સંદર્ભમાં, દેશમાં 4 વર્ષમાં ITR ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તે જ સમયે શૂન્ય ટેક્સ ભરનારા લોકોની સંખ્યામાં પણ બમણાથી વધુ વધારો થયો છે.

જોકે, આનું બીજું કારણ એવા કરદાતાઓ પણ હોઈ શકે છે જેઓ પહેલીવાર આવકવેરો ફાઇલ કરે છે, જેમની આવક કરવેરા હેઠળ આવતી નથી. આવકવેરા રિટર્નના આ આંકડા કામચલાઉ છે, કારણ કે મોટી સંખ્યામાં આવકવેરા રિટર્ન ભરવાના બાકી છે.

1 કરોડથી વધુની કમાણી કરનારા કરદાતાઓ

આવકવેરા રિટર્ન ડેટા દર્શાવે છે કે દેશમાં 1 કરોડથી વધુની આવક દર્શાવનારા કરદાતાઓની સંખ્યા લગભગ 1.69 લાખ છે. 5 થી 10 લાખ રૂપિયાની કમાણી કરતા 1.10 કરોડ કરદાતાઓ, 10 થી 20 લાખ રૂપિયાની કમાણી કરતા 45 લાખ, 20 થી 50 લાખ રૂપિયાની કમાણી કરતા 19 લાખ અને 50 લાખથી 1 કરોડ રૂપિયાની કમાણી કરનારા 3.3 લાખ કરદાતાઓ છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">