AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતને બનવુ હોય 30 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી, તો કેટલા લાખ કરોડનું મૂડી રોકાણ જરુરી?

SBI ચેરમેન સીએસ સેટ્ટીએ લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી નોંધપાત્ર ભંડોળ સમજાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2035 સુધીમાં ફક્ત 'ડેવલપ ઇન્ડિયા' મિશન માટે આશરે ₹600-650 લાખ કરોડ એકત્ર કરવાની જરૂર પડશે. તેમણે એ પણ ભાર મૂક્યો કે ભારતની ભંડોળની જરૂરિયાતો ફક્ત બેંક ધિરાણ દ્વારા પૂરી કરી શકાતી નથી.

ભારતને બનવુ હોય 30 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી, તો કેટલા લાખ કરોડનું મૂડી રોકાણ જરુરી?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2026 | 8:04 AM
Share

ભારતને વર્ષ 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે લાખો કરોડ રુપિયા સુધીના વિશાળ મૂડી રોકાણની જરૂર પડશે. SBIના ચેરમેન સીએસ સેટ્ટીએ જણાવ્યું હતું કે માત્ર બેંક ધિરાણના આધારે આ લક્ષ્ય હાંસલ કરવું શક્ય નહીં બને. દેશના વિકાસ માટે બોન્ડ માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા અને પેન્શન ક્ષેત્રોની વધુ સક્રિય ભાગીદારી અનિવાર્ય બનશે.

સેટ્ટીએ જણાવ્યું કે ભારતને 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે અંદાજે ₹3000 થી ₹3500 લાખો કરોડ રુપિયાના મૂડી રોકાણની જરુર પડશે.  ‘ડેવલપ ઇન્ડિયા’ મિશન માટે જ વર્ષ 2035 સુધીમાં આશરે ₹600 થી ₹650 લાખ કરોડનું ભંડોળ એકત્ર કરવાની જરૂર પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની વધતી આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઊંડા અને મજબૂત મૂડી બજારોનું નિર્માણ કરવું સમયની માંગ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલ ઘરગથ્થુ બચત બેંક થાપણોમાંથી મ્યુચ્યુઅલ ફંડ, વીમા અને પેન્શન પ્રોડક્ટ્સ તરફ ઝડપથી વળી રહી છે. વિકસિત દેશોની સરખામણીએ ભારતનું કોર્પોરેટ બોન્ડ માર્કેટ હજુ નાનું હોવાથી આગામી વિકાસ માટે તેમાં મોટા પાયે વિસ્તરણ જરૂરી છે.

જાહેર મૂડીખર્ચમાં 600% નો વધારો

ભારત સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે જાહેર મૂડીખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2015માં આશરે ₹2 લાખ કરોડ રહેલું જાહેર મૂડીખર્ચ વર્ષ 2027ના બજેટમાં વધીને ₹12.2 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ વધારાએ ખાનગી રોકાણને પણ પ્રોત્સાહન આપ્યું છે.

MSME ક્ષેત્રમાં તેજી

ડિસેમ્બર 2025 સુધી MSME ક્ષેત્રમાં બાકી રહેલી લોન ₹67 લાખ કરોડ સુધી પહોંચી હતી, જેમાં વાર્ષિક ધોરણે 16થી 18 ટકાનો વધારો નોંધાયો છે. જોકે હજુ પણ 50% કરતા ઓછી MSME એકમોને ઔપચારિક ધિરાણ ઉપલબ્ધ છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ મોડલમાં બદલાવ

નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અને નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID) જેવી સંસ્થાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગને મજબૂત બનાવી રહી છે. InvITs અને REITs જેવા મોડલ્સ એસેટ મોનેટાઇઝેશન અને મૂડી રિસાયક્લિંગ માટે મહત્વપૂર્ણ સાધન બની રહ્યા છે.

આ પણ વાંચો- Breaking News : બંગાળમાં EDની મોટી કાર્યવાહી, મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં પૂર્વ અગ્નિશમન મંત્રી સુજીત બોસની ધરપકડ

Follow Us
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
"પટેલો બોલવામાં કડવા હોય છે તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે"- અનાર પટેલ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
g clip-path="url(#clip0_868_265)">