સરકારે LIC ચેરમેનનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો, IPO લાવવાની ચાલી રહી છે તૈયારી

સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના ચેરમેન એમ. આર. કુમારનો કાર્યકાળ એક વર્ષ લંબાવ્યો છે. LICનો આઈપીઓ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સ્થિતિમાં સરકાર ઇચ્છે છે કે IPO પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય.

સરકારે LIC ચેરમેનનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો, IPO લાવવાની ચાલી રહી છે તૈયારી
Government extends tenure of LIC chairman for one year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 11:58 PM

સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના ચેરમેન એમઆર કુમારનો કાર્યકાળ (Tenure) એક વર્ષ લંબાવ્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ સૂત્રોએ આ માહિતી આપી છે. નોંધનીય છે કે, એલઆઈસીનો પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે આઈપીઓ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં સરકાર ઇચ્છે છે કે IPO પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય. વિસ્તરણ પછી, કુમાર માર્ચ 2023 સુધી એલઆઈસીના ચેરમેન પદ (LIC Chairman) પર રહેશે. આ સાથે એલઆઈસી મેનેજિંગ ડિરેક્ટર રાજ કુમારનો કાર્યકાળ પણ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

એલઆઈસીના ચેરમેનને બીજી વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. LICના પ્રસ્તાવિત IPOને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે જૂનમાં તેમને પ્રથમ વખત નવ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. બજેટની જાહેરાત મુજબ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ LICને શેરબજારમાં લિસ્ટ કરવા માંગે છે.

IPO દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગયા વર્ષે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે વીમા ક્ષેત્રની દીગ્ગજ કંપનીનો IPO 2021-22માં આવશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવાના દૃષ્ટિકોણથી LICનો IPO ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

સરકાર પાસે એલઆઈસીનો 100 ટકા હીસ્સો છે. એકવાર લિસ્ટેડ થયા પછી LIC માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની બની જશે. તેનું માર્કેટ વેલ્યુએશન 8 થી 10 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. આ દરમિયાન, સરકારે લિસ્ટિંગ માટે એલઆઈસીની અધિકૃત મૂડીને ઉલ્લેખનીય રીતે 100 કરોડ રૂપિયાથી વધારીને 25,000 કરોડ રૂપિયા કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે સરકાર માર્ચના અંતમાં દેશની સૌથી મોટી વીમા કંપની LICને શેરબજારમાં લિસ્ટ કરાવશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) અંગે બ્રોશરને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને બજાર નિયામક સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) પાસે જમા કરાવવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ પીટીઆઈને જણાવ્યું હતું કે LICની ડિસઇન્વેસ્ટમેન્ટ રકમ આ વર્ષના બજેટમાં સામેલ છે કારણ કે અમારું લક્ષ્ય 31 માર્ચ પહેલા તેને સૂચિબદ્ધ કરવાનું છે. તેમણે કહ્યું કે સરકાર માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા માટે LICનો IPO ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો :  Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે રજૂ કરશે આર્થિક સર્વે, જીડીપીના અનુમાન પર રહેશે નજર

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">