AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BharatPeના MD અશ્નીર ગ્રોવર સામે FIR દાખલ, 81 કરોડની છેતરપિંડીનો કેસ

અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સહિત તેના પરિવારના 5 સભ્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અશ્નીર ગ્રોવર અને તેના પરિવાર પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.

BharatPeના MD અશ્નીર ગ્રોવર સામે FIR દાખલ, 81 કરોડની છેતરપિંડીનો કેસ
FIR filed against BharatPe MD Ashneer Grover
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 5:19 PM
Share

BharatPeના MD અને ર્શાક ટેન્કના ર્શાક અશ્નીર ગ્રોવર પર છેતરપિંડીનો કેસ નોંધાયો છે. અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સહિત તેના પરિવારના પાંચ સભ્યો પર આરોપ લગાડવામાં આવ્યા છે. અશ્નીર ગ્રોવર અને તેના પરિવારના સભ્યો પર કરોડો રુપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં પર EOW (ઈકોનોમિક ઓફેંસ વિંગ)એ 81 કરોડના છેતરપિંડીનો ગુનો દાખલ કરેલ છે.

શું છે સમ્રગ ઘટના

ગતવર્ષે કંપની ફંડમાં હેરાફેરી કરવા બદલ ભારતપેના MD અશ્નીર ગ્રોવર સામે આરોપ નોંધવામાં આવ્યા હતા. તેમની પર 81 કરોડની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયેલ છે. EOWએ અશ્નીર ગ્રોવર સહિત તેની પત્ની અને પરિવારના 5 સભ્યો પર જુદી-જુદી રીતે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં બેન્કિંગ, બિઝનેસ અને એજેંટ્સ સાથેની છેતરપિંડીને લઈને આરોપ લગાડવામાં આવ્યાં છે.

અગાઉના વર્ષથી અશ્નીર ગ્રોવર અને ફિનટેક કંપની વચ્ચે મતભેદ અને વિવાદો ચાલી રહ્યાં હતાં. છેલ્લાં 6 મહિનાની અંદર અશ્નીર ગ્રોવર પર 5 અલગ-અલગ રીતે કેસ નોંધવામાં આવેલ છે. તે સહિત કંપનીમાં અન્ય રીતે પૈસાની હેરાફેરી, કંપની સાથે વિશ્વાસઘાત અને સાક્ષીને નષ્ટ કરવાના મામલામાં ઘણા કેસ નોંધાયા છે.

આ લોકો સામે FIR દાખલ કરવામાં આવી

EOW એ અશ્નીર ગ્રોવર, માધુરી જૈન ગ્રોવર, દીપક ગુપ્તા, સુરેશ જૈન અને શ્વેતાંક જૈન પર IPC કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે TV9 ગુજરાતી આ લોકો પર FIR ને લઈને કોઈ પણ પ્રકારની ખાતરી આપતું નથી.

આ પણ વાંચો :Russia-Ukraine War થી ભારતને લાઈફલાઈન મળી, હવે ચીન સાથે થશે હરીફાઇ

BharatPe એફઆઈઆરનો સ્વીકાર

તે જ સમયે ભારતપે આ સમગ્ર મામલે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. BharatPeએ અશ્નીર ગ્રોવર (Ashneer Grover) તેની પત્ની માધુરી જૈન ગ્રોવર (Madhuri Jain Grover) અને પરિવારના અન્ય સભ્યો સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરનું સ્વાગત કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ફોજદારી ગુનાઓ અંગે કંપનીની ફરિયાદ પર આ FIR નોંધી છે. દિલ્હી પોલીસની આ એફઆઈઆરમાંથી, પરિવાર દ્વારા તેમના અંગત આર્થિક લાભ માટે કરવામાં આવેલા વિવિધ શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">