અશ્નીર ગ્રોવર સાથેના વિવાદને પાછળ છોડી ભારતપે IPO લાવશે

કંપનીના પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન વેલ્યુ (TPV) વાર્ષિક ધોરણે અઢી ગણી વધીને 16 અબજ ડોલર થઈ ગઈ છે એમ તેમણે જણાવ્યું હતું. એ જ રીતે પોઈન્ટ ઓફ સેલ (POS) બિઝનેસ પણ બમણો થયો છે.

અશ્નીર ગ્રોવર સાથેના વિવાદને પાછળ છોડી ભારતપે IPO લાવશે
Ashneer Grover
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 8:01 AM

ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની BharatPe અને તેના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવર(Ashneer Grover) છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પોતાના પદ પરથી રાજીનામું આપ્યા પછી અશ્નીર ટ્વિટર અને લિંક્ડઈન દ્વારા કંપનીના સીઈઓ અને વરિષ્ઠ મેનેજમેન્ટને સતત નિશાન બનાવી રહયા છે. કંપનીની ખરાબ આર્થિક સ્થિતિ માટે તેણે આ લોકોને ટાર્ગેટ બનાવ્યા છે. 7 એપ્રિલના રોજ અશ્નીરે ટ્વીટ કર્યું હતું કે આ પહેલું ક્વાર્ટર હશે જ્યારે ભારતપે વૃદ્ધિના બદલે સંકોચાશે. દરમિયાન વિવાદોને પાછળ છોડીને કંપનીએ 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ (2021-22)માં રેકોર્ડ વૃદ્ધિ નોંધાવી છે. BharatPe ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુહેલ સમીરે કહ્યું છે કે કંપની હવે ખર્ચ વસૂલવા તરફ આગળ વધી રહી છે.

સમીરે કહ્યું કે આગામી 18 થી 24 મહિનામાં કંપનીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે ગ્રોવર દ્વારા કંપની સાથે કરવામાં આવેલી નાણાંની છેતરપિંડી અંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આગળની બાબતો નક્કી કરશે. તેમણે કહ્યું કે અમારી પ્રાથમિકતા કંપનીના કર્મચારીઓ છે જેથી તેઓ સ્થિર રીતે કામ કરી શકે. સમીરે કહ્યું અમારી બીજી પ્રાથમિકતા બિઝનેસ મોરચે આગળ વધવાની છે. મારા અને મારી ટીમો માટે વ્યવસાય મહત્વપૂર્ણ છે. અમે તેના પર બેવડું ધ્યાન આપી રહ્યા છીએ. તેના પરિણામો પણ સારા મળી રહ્યા છે.

BharatPe 225 શહેરોમાં હાજરી ધરાવે છે

સમીરે કહ્યું કે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં વ્યવહારો, TPV, લોન અને આવક જેવા તમામ પરિમાણો પર અમારો વ્યવસાય 20 ટકા વધ્યો છે. કોવિડ-19ને કારણે દિલ્હી અને ઘણા શહેરોમાં પ્રતિબંધો લાગુ હતા ત્યારે અમે આ હાંસલ કરી શક્યા છીએ. BharatPe દુકાનદારોને QR કોડ દ્વારા ડિજિટલ ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. હવે કંપની 225 શહેરોમાં હાજરી ધરાવે છે. હવે 80 લાખથી વધુ દુકાનદારો (વેપારી) કંપનીના પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. 31 માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેમની સંખ્યા 50 લાખ હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ટ્રાન્ઝેક્શન વેલ્યુ 16 અબજ ડોલરને પાર

કંપનીના પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન વેલ્યુ (TPV) વાર્ષિક ધોરણે અઢી ગણી વધીને 16 અબજ ડોલર થઈ ગઈ છે એમ તેમણે જણાવ્યું હતું. એ જ રીતે પોઈન્ટ ઓફ સેલ (POS) બિઝનેસ પણ બમણો થયો છે. માર્ચ સુધીમાં અમારા પ્લેટફોર્મ પર ચાર અબજ વ્યવહારો થયા છે. તેમણે ઉમેર્યું કે અમારા પ્લેટફોર્મ પરથી લોન લેનારા દુકાનદારોની સંખ્યા વધીને ત્રણ લાખ થઈ ગઈ છે જે એક વર્ષ પહેલા 1.6 લાખ હતી. સમીરે કહ્યું અમે ગયા નાણાકીય વર્ષમાં 650 મિલિયન ડોલરની લોન આપવામાં મદદ કરી હતી. લગભગ પાંચ મહિના પહેલા તેની રજૂઆત કરવામાં આવી હતી. આના પર દર મહિને 10 લાખ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.

300 શહેરોમાં વિસ્તરણ યોજના

તેમણે કહ્યું કે અમે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં 300 શહેરોમાં વિસ્તરણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. સમીરે જણાવ્યું હતું કે કંપની 18 થી 24 મહિનામાં પ્રારંભિક જાહેર ભરણું (IPO) લાવવાની તૈયારી કરી રહી છે. તે સમય સુધીમાં અમારું TPV 40 થી 45 બિલિયન ડોલર સુધી પહોંચી જશે અને આવક 500 મિલિયન ડોલર સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે અમારો વેપારી વ્યવસાય 12 થી 15 મહિનામાં નફાકારક બની જશે.

આ પણ વાંચો : છ મહિના પછી બદલાયો વિદેશી રોકાણકારોનો મિજાજ, શેરબજારમાં એપ્રિલમાં અત્યાર સુધીમાં 7707 કરોડની ખરીદી

આ પણ વાંચો : સ્ટાર્ટઅપ્સે જાન્યુઆરી-માર્ચમાં 10 બિલિયન ડોલર એકત્રિત કર્યા, 14 કંપનીઓ યુનિકોર્ન બની: રિપોર્ટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">