EPFO કરવા જઇ રહ્યું છે આ મોટો બદલાવ, કર્મચારીઓનો થશે ફાયદો

કેન્દ્ર સરકાર માસિક પેન્શન ચૂકવણીની સુરક્ષા માટે ઇપીએફઓ દ્વારા આવરી લેવામાં આવેલા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF)અને પેન્શન(Pension)એકાઉન્ટને અલગ કરવાની યોજના બનાવી રહી છે.

EPFO કરવા જઇ રહ્યું છે આ મોટો બદલાવ, કર્મચારીઓનો થશે ફાયદો
Employee Provident Fund Organisation -EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 3:04 PM

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના (EPFO)છ કરોડ કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર માસિક પેન્શન ચૂકવણીની સુરક્ષા માટે ઇપીએફઓ દ્વારા આવરી લેવામાં આવેલા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF)અને પેન્શન(Pension)એકાઉન્ટને અલગ કરવાની યોજના બનાવી રહી છે. આ માહિતી બે ઉચ્ચ અધિકારીઓએ આપી છે.

આ અંગે  સરકાર વિચારી રહી છે કે  જ્યારે કર્મચારીઓ તેમનો પ્રોવિડન્ટ ફંડ ઉપાડે છે. ત્યારે તેઓ તેમના પેન્શન(Pension) ફંડમાંથી પણ પૈસા ઉપડી જાય છે. કારણ કે પીએફ અને પેન્શન એ જ ખાતાનો ભાગ છે. કોરોના રોગચાળા સાથે બેકારીની સમસ્યા તીવ્ર બની છે.

3.90 કરોડ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ગયા વર્ષે શરૂ થયેલા કોરોનાના ચેપ બાદ 31 મે 2021 સુધી કુલ 70.63 લાખ કર્મચારીઓએ કોરોના એડવાન્સ હેઠળ પૈસા નાણાંનો ઉપાડ કર્યો છે. ઇ.પી.એફ.ઓ.(EPFO)દ્વારા પહેલી એપ્રિલ 2020 થી 19 જૂન 2021 સુધીના લગભગ 3.90 કરોડ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. કર્મચારીઓ અને માલિક બંને દ્વારા દર મહિને 24% કાનૂની ઇપીએફ ફાળામાંથી 8.33% ઇપીએસ (કર્મચારી પેન્શન યોજના) અને બાકીના ઇપીએફને જાય છે

તેમજ કોઈપણ કારણોસર ઇપીએફઓ (EPFO)માંથી ઉપાડ કરતી વખતે કર્મચારી પેન્શનની રકમ સહિતની તમામ બચત ઉપાડી લે છે. સરકારના મતે આ નિવૃત્તિ પેન્શન(Pension) લાભની જોગવાઈઓના હેતુને ઇપીએફ અને પેન્શન ખાતાના અલગ થવાથી, પેન્શન ફંડની રકમ ઉપાડી શકશે નહિ.

ઇપીએફઓ બોર્ડની બેઠકમાં ચર્ચા

આંતરિક સરકારી પેનલ દ્વારા ઇપીએફ અને ઇપીએસ ખાતાને અલગ કરવાની સલાહ આપ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં ઇપીએફઓ બોર્ડની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ઈપીએફઓ હેઠળ, પીએફ અને પેન્શન યોજનાઓમાં બે અલગ ખાતા હોવા જોઈએ, એમ અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે, કાયદા મુજબ જ્યારે જરૂર પડે ત્યારે પીએફ ભંડોળ પાછું ખેંચવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ પેન્શન ખાતું આદર્શ રીતે છૂટા રાખવું જોઈએ. આ પેન્શનની આવકમાં વધારો કરશે અને સામાજિક સુરક્ષાનું વધુ સારું કવરેજ આપશે.

નિવૃત્તિ પછી વધુ પેન્શન મેળવવાને પાત્ર બની શકે

ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડના સભ્ય બ્રિજેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કોરોનાનો બીજી લહેર ઓછી થતાં આ અંગે વધુ પગલા લેવામાં આવશે. હાલમાં ઇપીએફઓના સભ્યો પુલ એકાઉન્ટ સિસ્ટમમાં છે. ઇપીએફ અને પેન્શન માટે અલગ ખાતાની જરૂર છે. લોકો વધુ પેન્શનની ઇચ્છા રાખે છે અને તે માટે બંને હિસાબોને અલગ પાડવું શ્રેષ્ઠ સમાધાન છે. એકવાર તે અલગ થઈ ગયા પછી કર્મચારી પેન્શનમાં વધુ ફાળો આપી શકે છે અને નિવૃત્તિ પછી વધુ પેન્શન મેળવવાને પાત્ર બની શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">