Diwali Muhurat Trading 2021: આજે શેરબજારમાં આ ખાસ સમયે મળશે કમાણીની તક, જાણો કઈ રીતે અને શું છે સમય?

શેરબજાર માટે દિવાળીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે બજાર બંધ હોય છે પરંતુ આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશન 2021(Muhurat trading session 2021)નું આયોજન એક કલાક માટે કરવામાં આવે છે.

Diwali Muhurat Trading 2021: આજે શેરબજારમાં આ ખાસ સમયે મળશે કમાણીની તક, જાણો કઈ રીતે અને શું છે સમય?
Diwali Muhurat Trading 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 9:21 AM

Diwali Muhurat Trading 2021:  બે દિવસ શેરબજાર(Share Market) બંધ રહેશે. દિવાળીના કારણે આજે  4 નવેમ્બરે દિવાળી અને આવતીકાલે  5 નવેમ્બરે દિવાળી નિમિત્તે શેરબજાર બંધ રહેશે. BSE ના સ્ટોક માર્કેટ હોલિડે કેલેન્ડર મુજબ આ દિવસે ઈક્વિટી, ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જો કે આજે 4 નવેમ્બરે દિવાળીના શુભ અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ થશે. આવી સ્થિતિમાં તમે આ ખાસ મુહૂર્તમાં ખરીદી કરીને બમ્પર નફો મેળવી શકો છો.

શેરબજાર માટે દિવાળીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે બજાર બંધ હોય છે પરંતુ આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશન 2021(Muhurat trading session 2021)નું આયોજન એક કલાક માટે કરવામાં આવે છે. આ સમય દરમિયાન(Diwali Muhurat Trading) બજારમાં માત્ર 1 કલાકનો વેપાર થાય છે. આ એક કલાકમાં રોકાણકારો તેમનું નાનું રોકાણ કરીને બજારની પરંપરાને આગળ ધપાવે છે.

ક્યારે શેરબજાર બંધ રહેશે? 4 અને 5 નવેમ્બરના બે દિવસો સિવાય 19 નવેમ્બરે ગુરુ નાનક જયંતિના અવસર પર બજાર પણ બંધ રહેશે. જો કે આજે  દિવાળીના દિવસે શેરબજાર માત્ર એક કલાક જ ખુલશે. આ દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ થાય છે. જો કે આ દિવસે શેરબજારમાં રજા હોય છે પરંતુ મુહૂર્ત ટ્રેડિંગ માટે માર્કેટમાં માત્ર 1 કલાક જ ટ્રેડિંગ થાય છે. આ એક કલાકમાં રોકાણકારો તેમનું નાનું રોકાણ કરીને બજારની પરંપરાને અનુસરે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મુહૂર્ત ટ્રેડિંગનો સમય (Muhurat Trading Time) જો તમે પૈસા કમાવવા અથવા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ દિવસે રોકાણ કરી શકો છો. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે 4 નવેમ્બર 2021 દિવાળીના દિવસે NSE અને BSE પર સાંજે 6:15 થી 7:15 સુધી ટ્રેડિંગ થશે. બંને એક્સચેન્જોના જણાવ્યા અનુસાર દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ સાંજે 6:00 થી 6:08 વાગ્યા સુધી પ્રી-ઓપન ટ્રેડિંગ સેશન હશે. આ પછી સાંજે 6:15 થી 7:15 સુધી મુહૂર્ત ટ્રેડિંગ થશે.

જાણો મુહૂર્ત ટ્રેડિંગ શું છે? દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ વખતે દિવાળી સાથે સંવત 2077ની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય પરંપરા અનુસાર દેશના ઘણા ભાગોમાં દિવાળી નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે. આ શુભ મુહૂર્તમાં શેરબજારના વેપારીઓ ખાસ શેરમાં વેપાર કરે છે તેથી તેને મુહૂર્ત ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે.

જાણો આ દિવસે શા માટે થાય છે ટ્રેડિંગ? મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના રોકાણકારો આ એક કલાકના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્ટોક ખરીદે છે. મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લાંબો ઇતિહાસ ધરાવે છે. દર વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ માટે એક નિશ્ચિત સમય હોય છે. રોકાણકારો આ શુભ અવસર પર મૂલ્ય આધારિત શેરો ખરીદે છે.

નિષ્ણાતો શું કહે છે? બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર મુહૂર્ત ટ્રેડિંગ દિવસોમાં વેપારીઓ ભારે રોકાણ કરે છે. પરંપરાગત રીતે પ્રથમ ઓર્ડર ખરીદીનો હોય છે. જો આપણે પાછલા વર્ષોમાં આ સમય દરમિયાન બજારની કામગીરી પર નજર નાખીએ, તો મોટા ભાગના પ્રસંગોએ શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગના દિવસે દાયરામાં જ રહ્યું છે. બીજી તરફ બજારમાં પણ થોડા સમય માટે તેજી જોવા મળે છે.

આ પણ વાંચો : Diwali Muhurat Trading 2021 : નવા વર્ષમાં શેરબજારની તેજી યથાવત રહેશે કે નહિ? જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

આ પણ વાંચો : Diwali Muhurat Trading 2021 : સંવત 2078 માં આ સ્ટોક્સમાં રોકાણ તમને માલામાલ બનાવી શકે છે, અગ્રણી બ્રોકરેજ હાઉસના પસંદગીના શેર્સ ઉપર કરો નજર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">