AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો શા માટે આનંદ મહીન્દ્રા અમૃતસરના આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવા માગે છે, સોશીયલ મીડીયામાં જણાવ્યું કારણ

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના મતે, અમૃતસરમાં વિશ્વની શ્રેષ્ઠ જલેબી હોઈ શકે છે. પરંતુ હવે બીજું એક કારણ પણ છે, જેના કારણે તેઓ પંજાબના અમૃતસર શહેરમાં જમવા માટે જઈ શકે છે.

જાણો શા માટે આનંદ મહીન્દ્રા અમૃતસરના આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવા માગે છે, સોશીયલ મીડીયામાં જણાવ્યું કારણ
Anand Mahindra (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 9:24 PM
Share

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના (Anand Mahindra) મતે, અમૃતસરમાં વિશ્વની શ્રેષ્ઠ જલેબી હોઈ શકે છે. પરંતુ હવે બીજું એક કારણ પણ છે, જેના કારણે તેઓ પંજાબના અમૃતસર શહેરમાં જમવા માટે જઈ શકે છે. ઉદ્યોગપતિએ (Businessman) શનિવારે ટ્વિટર પર એક યુટ્યુબ વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો યુટ્યુબ ચેનલ અમૃતસર વોકિંગ ટુર્સ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આમાં બે ભાઈઓની વાત કહેવામાં આવી છે. આ બંને ભાઈઓની ઉંમર 17 વર્ષ અને 11 વર્ષ છે. ડિસેમ્બર 2021માં તેમના પિતાનું અવસાન થયું ત્યારથી આ બંને ભાઈઓ એકલા પીઝા રેસ્ટોરન્ટ ચલાવે છે. આ બે ભાઈઓના નામ જશદીપ અને અંશદીપ છે અને તે અમૃતસરની બહાર એક ગામમાં રહે છે. આ બંને ભાઈઓ તેમની રેસ્ટોરન્ટ સુધી પહોંચવા માટે દરરોજ 25 કિમીનો પ્રવાસ કરે છે. આ બંને ભાઈઓએ ત્રણ મહિના જૂની આ રેસ્ટોરન્ટનું ભાડું પણ ચૂકવવું પડે છે.

મહિન્દ્રાએ તેમની હિંમતની પ્રશંસા કરી

મહિન્દ્રાએ ટ્વિટ કરીને આ બંને બાળકોની હિંમત અને ઉત્સાહ વિશે વાત કરી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે આ બાળકો સૌથી હિંમતવાન બાળકોમાથી એક છે. જેમને મે ક્યાંય જોયા છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે જલ્દી જ તેમના રેસ્ટોરન્ટમાં જવા માટે લોકોની લાઈન લાગી જાય.

મહિન્દ્રાએ અમૃતસર સાથેના તેમના કનેક્શન અને તેમની ખાણીપીણીની પસંદગી વિશે પણ વાત કરી હતી. મહિન્દ્રા ગ્રૂપના સીઈઓએ કહ્યું કે તેઓ અમૃતસરને પ્રેમ કરે છે અને સામાન્ય રીતે શહેરમાં વિશ્વની શ્રેષ્ઠ જલેબી માટે ઉત્સુક રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પણ તેઓ બીજી વાર આ શહેરમાં આવશે ત્યારે તેઓ ચોક્કસ આ જગ્યાએ જમવા જશે.

મહિન્દ્રાની આ ટ્વીટ અને યુટ્યુબ વિડિયો બંનેએ સોશિયલ મીડિયા પર યુઝર્સના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ ભાઈઓને પ્રેરણા ગણાવ્યા છે અને આશા રાખી છે કે તેમને જલ્દી સફળતા મળે.

તમને જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ દિલ્હીમાં એક વિકલાંગ વ્યક્તિને મહિન્દ્રાના ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન પર નોકરી આપીને મદદ કરવાનું વચન પૂરું કર્યું છે. તેનું નામ બિરજુ રામ છે. બિરજુ રામ ગયા વર્ષે ડિસેમ્બરમાં મહિન્દ્રા ગ્રૂપના ચેરમેનની નજરમાં પહેલીવાર આવ્યા હતા જ્યારે જુગાડમાંથી બનાવેલા તેમના વાહનનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો.

આ પણ વાંચો :  Shark Tank શોમાં આવ્યા આ 5 સૌથી અજીબો ગરીબ આઈડિયા, જાણીને તમને પણ થશે આશ્ચર્ય !

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">