Amul એ પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ મોકૂફ રાખવા PM Modi ને કરી અપીલ, કહ્યું- નિર્ણયથી પશુપાલકોને થશે નુકસાન

અમૂલે (Amul) સરકારને પત્ર લખીને પ્લાસ્ટિકના સ્ટ્રો (plastic straw) પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય મુલતવી રાખવા જણાવ્યું છે. કંપનીએ તેના પત્રમાં કહ્યું છે કે આ પગલાથી પશુપાલક પર નકારાત્મક અસર પડશે.

Amul એ પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ મોકૂફ રાખવા PM Modi ને કરી અપીલ, કહ્યું- નિર્ણયથી પશુપાલકોને થશે નુકસાન
Amul Store ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 3:31 PM

ભારતના સૌથી મોટા ડેરી જૂથ અમૂલે (Amul) કેન્દ્ર સરકારને પત્ર લખીને અમૂલના પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને (Plastic Straw Ban) મુલતવી રાખવા જણાવ્યું છે. કંપનીએ તેના પત્રમાં કહ્યું છે કે આ પગલાથી ખેડૂતો (Farmers) પર નકારાત્મક અસર પડશે. કંપનીએ કહ્યું કે આનાથી દેશમાં દૂધના વપરાશ (Milk Consumption) પર પણ ખરાબ અસર પડશે. રોઇટર્સના અહેવાલ મુજબ, અમૂલે 28મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને લખેલા પત્રમાં આ અપીલ કરી છે. 1 જુલાઈના રોજ, સરકાર દેશમાં ડેરી ઉત્પાદનો અને જ્યૂસના નાના પેકેટ સાથે આપવામાં આવતા સ્ટ્રો ઉપર સરકાર પ્રતિબંધ મૂકવાની યોજના ધરાવે છે. તેનું બજાર આશરે 790 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે.

અમૂલ દર વર્ષે પ્લાસ્ટિક સ્ટ્રો સાથે કરોડો નાના ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. અમૂલ અને પેપ્સીકો અને કોકા કોલા જેવી વૈશ્વિક કંપનીઓ સરકારના આ નિર્ણયથી નારાજ છે. તેઓ વધુ ચિંતિત એટલા માટે છે કે સરકારે તેમનો નિર્ણય બદલવાનો ઇનકાર કર્યો છે અને કંપનીઓને વૈકલ્પિક સ્ટ્રોનો ઉપયોગ કરવા કહ્યું છે.

સ્ટ્રો દૂધનો વપરાશ વધારવામાં મદદ કરે છે: અમૂલ

અમૂલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ તેમના પત્રમાં કહ્યું છે કે સ્ટ્રો દૂધનો વપરાશ વધારવામાં મદદ કરે છે. તેમણે સરકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને એક વર્ષ માટે મુલતવી રાખવાની અપીલ કરી છે. સોઢીએ પત્રમાં લખ્યું છે કે, આ પ્રતિબંધ મુલતવી રાખવાથી 10 કરોડ ડેરીક્ષેત્રના ખેડૂતોને મોટી રાહત મળશે અને ફાયદો પણ થશે.

પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની FD પર કેટલું વ્યાજ મળશે? અહીંની સમજો ગણતરી
કોઈ પણ દવા વગર 1 કલાકમાં તાવ થઈ જશે ગાયબ, જુઓ Video
રેડ સાડીમાં સ્ટાઈલિશ લાગી રહી છે નતાશા સ્ટેનકોવિક, જુઓ ફોટો
ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસને ખાવાથી જાણો શું થાય છે?
અંબાણી પરિવાર દિવાળી કેવી રીતે ઉજવે છે? જાણો
મનુ ભાકરની એક પોસ્ટથી ફરી છેડાયો વિવાદ, થઈ ટ્રોલ

રોઈટર્સના આ અહેવાલ મુજબ, અમૂલ દ્વારા સરકારને કરાયેલ અપીલ અંગે પીએમઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ, સરકારી અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે સ્ટ્રો ઓછા ઉપયોગમાં લેવાતુ ઉત્પાદન છે અને તેને કાગળના સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો સ્ટ્રોનો ઉપયોગ ના થાય તેવા પેકનો ઉપયોગ કરવો જોઈએ.

સોઢીએ તેમના પત્ર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું કે 1 જુલાઈથી પ્રતિબંધ લાગુ થયા બાદ કંપનીએ સ્ટ્રો વગર પેક વેચવું પડી શકે છે.

રોઈટર્સના અહેવાલ અનુસાર, પારલેએ સરકારને પત્ર લખીને પણ કહ્યું છે કે વૈકલ્પિક સ્ટ્રોનું સ્થાનિક ઉત્પાદન પૂરતું નથી. અને આયાતી પેપર અને અન્ય વેરિઅન્ટ પ્રમાણમાં વધુ મોંઘા છે.

સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
g clip-path="url(#clip0_868_265)">