શું Airport બાદ હવે Railway નું સંચાલન પણ ખાનગી કંપનીઓના હાથમાં જશે ? જાણો શું છે સરકારની યોજના

|

Aug 24, 2021 | 8:13 AM

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે બ્રાઉનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં માત્ર ખાનગી ક્ષેત્રનું રોકાણ થશે. બ્રાઉનફિલ્ડ પ્રોપર્ટીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરે છે જે હાલમાં ઉપયોગમાં નથી અને વિકસિત થવાના છે.

સમાચાર સાંભળો
શું Airport બાદ હવે Railway નું સંચાલન પણ ખાનગી કંપનીઓના હાથમાં જશે ? જાણો શું છે સરકારની યોજના
Indian Railway

Follow us on

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન યોજના શરૂ કરી છે. આ રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના હેઠળ સરકાર આગામી ચાર વર્ષમાં જાહેર ક્ષેત્રની સંપત્તિમાં પોતાનો હિસ્સો વેચી દેશે. સત્તાવાર ભાષામાં તેને વિનિવેશ કહેવામાં આવે છે. બીજી બાજુ લોકો તેને સીધી ખાનગીકરણ સાથે જોડે છે.

સોમવારે સરકારે MNP લોન્ચ કર્યું અને થોડા કલાકો બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી કે સરકાર રોડ, રેલવે, પાવર વગેરે ક્ષેત્રોમાં પ્રોપર્ટી વેચવા જઈ રહી છે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે બ્રાઉનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં માત્ર ખાનગી ક્ષેત્રનું રોકાણ થશે. બ્રાઉનફિલ્ડ પ્રોપર્ટીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરે છે જે હાલમાં ઉપયોગમાં નથી અને વિકસિત થવાના છે.

400 રેલવે સ્ટેશન અને 90 પેસેન્જર ટ્રેનોની પસંદગી
રેલવે ક્ષેત્રમાં મુદ્રીકરણ માટે સરકારે કુલ 400 રેલવે સ્ટેશન અને 90 પેસેન્જર ટ્રેનોની પસંદગી કરી છે. અનેક રેલવે સ્પોર્ટસ સ્ટેડિયમ અને કોલોનીઓ તેમજ પ્રખ્યાત કોંકણ અને હિલ રેલવે પણ યાદીમાં સામેલ છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં એટલે કે આગામી 4 વર્ષમાં રેલવેની બ્રાઉનફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સનું મુદ્રીકરણ કરીને લગભગ 1.52 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

26 ટકા હિસ્સો, જાણો શું સામેલ છે?
સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલી 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (NMP) માં રેલવેની સંપત્તિ 26 ટકા યોગદાન આપશે. નાણાકીય વર્ષ 2022-25 દરમિયાન મુદ્રીકરણ માટે ઓળખાતી મુખ્ય રેલવે સંપત્તિઓમાં 400 રેલવે સ્ટેશન, 90 પેસેન્જર ટ્રેન, 1400 કિમી લાંબા રેલવે ટ્રેક, કોંકણ રેલવેનો 741 કિલોમીટર લાંબો વિભાગ, 15 રેલવે સ્ટેડિયમ અને પસંદ કરેલી રેલવે કોલોનીઓ અને ચાર ટેકરીઓનો સમાવેશ થાય છે. રેલનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ રાષ્ટ્રીય નાણાકીય યોજના (NMP) ની જાહેરાત કરી હતી. જેના હેઠળ રેલવે, વીજળી અને રસ્તા જેવા વિવિધ માળખાકીય ક્ષેત્રોમાં સંપત્તિનું મુદ્રીકરણ કરવામાં આવશે.

પેસેન્જર ટ્રેનોનું સંચાલન ખાનગી હાથમાં!
ચાર વર્ષના ગાળામાં રેલવે સ્ટેશનો અને પેસેન્જર ટ્રેનોનું સંચાલન ખાનગી હાથમાં ફેરવવાથી અનુક્રમે 76,250 કરોડ અને 21,642 કરોડ રૂપિયા મળશે. માલને સમર્પિત નૂર કોરિડોરનું મુદ્રીકરણ અંદાજિત રૂ. 20,178 કરોડનું થશે. આ ઉપરાંત સિગ્નલ અને પાટા ઉપર લગતા ઉપકરણોના ઈનવિટ દ્વારા 18700 કરોડ રૂપિયાનો લક્ષયાંક છે.

ખાનગીકરણ નહિ વિનિવેશ 
સરકારી કંપનીઓ અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) માં સરકારી હિસ્સો વેચવાની પ્રક્રિયાને વિનિવેશ કહેવામાં આવે છે. મોટી સરકારી હિસ્સેદારી ધરાવતી કંપનીઓને PSU કહેવામાં આવે છે. ડિસઇન્વેસ્ટમેન્ટ એ સરકાર માટે નાણાં એકત્ર કરવાની એક મહત્વની રીત છે. વિનિવેશની આ પ્રક્રિયા દ્વારા સરકાર તેના શેર વેચે છે અને PSU માં તેની માલિકી ઘટાડે છે. વિનિવેશની આ પ્રક્રિયા સરકારને અન્ય યોજનાઓ પર ખર્ચ કરવા માટે નાણાં આપે છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા , જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

આ પણ વાંચો :  CCI એ મારુતિ સુઝુકીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ ?

Next Article