AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya L1 Sun Mission : Aditya L1 ના નિર્માણમાં ગુજરાતમાં યુનિટ ધરાવતી કંપનીનું યોગદાન, LPS Bossard 76000 નટ-બોલ્ટ તૈયાર કર્યા

ચંદ્રયાન-3(Chandrayaan-3)ના સફળ  લેન્ડિંગ બાદ સૂર્યનો અભ્યાસ કરતા આદિત્ય એલ1(Aditya L1)ની તૈયારી ચાલી રહી છે. Aditya L1 માં ઉપયોગમાં લેવાશે તેવા 106 પ્રકારના 76000 નટ અને બોલ્ટ એલપીએસ બોસાર્ડ કંપની(LPS Bossard Company) દ્વારા બનાવવામાં આવ્યા છે.

Aditya L1 Sun Mission : Aditya L1 ના નિર્માણમાં ગુજરાતમાં યુનિટ ધરાવતી કંપનીનું યોગદાન, LPS Bossard 76000 નટ-બોલ્ટ તૈયાર કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 8:13 AM
Share

ચંદ્રયાન-3(Chandrayaan-3)ના સફળ  લેન્ડિંગ બાદ સૂર્યનો અભ્યાસ કરતા આદિત્ય એલ1(Aditya L1) ની તૈયારી ચાલી રહી છે. Aditya L1 માં ઉપયોગમાં લેવાશે તેવા 106 પ્રકારના 76000 નટ અને બોલ્ટ એલપીએસ બોસાર્ડ કંપની(LPS Bossard Company) દ્વારા બનાવવામાં આવ્યા છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર Aditya L1 ના આ પાર્ટ્સ LPS Bossard માં બન્યા છે. એલપીએસ બોસાર્ડ કંપનીનું એક યુનિટ ગુજરાતમાં પણ  છે.ઈસરોના વૈજ્ઞાનિકોએ 2018 થી 2020 સુધી LPS Bossard ના યુનિટોની 12 વખત મુલાકાત લીધી અને સઘન પરીક્ષણ બાદ 76000 નટ અને બોલ્ટની ડિલિવરી કરવામાં આવી છે.

અવકાશ સંશોધન સંબંધિત કાર્યક્રમોમાં આ કંપનીનું મોટું યોગદાન છે. LPS બોસાર્ડ કંપની દ્વારા ઉત્પાદિત નટ્સ અને બોલ્ટ્સ PSLV C-57 માં ઉપયોગમાં લેવાયા હતા. અગાઉ ચંદ્રયાન 3માં પણ આ જ કંપની દ્વારા બનાવેલા લગભગ 1.5 લાખ નટ અને બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે કંપની ફરી એક ઐતિહાસિક સિદ્ધિનો ભાગ બનવા જઈ રહી છે.

ઈસરોને કંપની પર વિશ્વાસ

ભારતીય વૈજ્ઞાનિકો અવકાશમાં એક પછી એક સફળતા સર કરી રહ્યા છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી સૂર્યનો અભ્યાસ કરનાર આદિત્ય એલ-1 લોન્ચ થવાનું છે. આવી સ્થિતિમાં માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોની નજર ભારત પર ટકેલી છે. ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણમાં, જ્યાં રોહતકની એલપીએસ બોસાર્ડ કંપની દ્વારા બનાવવામાં આવેલા 1.5 લાખ નટ અને બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે જ શ્રેણીમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ફરી એકવાર એલપીએસ બોસાર્ડ કંપની પર વિશ્વાસ કર્યો છે.

વર્ષ 2018 માં ઓર્ડર મળ્યો હતો

એલપીએસ બોસાર્ડ કંપનીના જનરલ મેનેજર મુકેશ સિંહે કહ્યું કે તેમને 2018માં ISRO તરફથી ઓર્ડર મળ્યો હતો. આ પછી, 2020 સુધીમાં, તેણે 106 પ્રકારના 76000 નટ અને બોલ્ટ તૈયાર કર્યા અને તેને ISROને મોકલ્યા. તેમણે કહ્યું કે કંપનીએ ચંદ્રયાન 3 માટે પણ 1.5 લાખ નટ અને બોલ્ટ તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે ઈસરોના વૈજ્ઞાનિકો વ્યાપક પરીક્ષણો પછી તેમના ઓર્ડર પાસ કરે છે. કંપની તમામ પ્રકારના ધોરણોનું ધ્યાન રાખીને નટ અને બોલ્ટ પણ તૈયાર કરે છે.

તેમણે કહ્યું કે આ દેશના ગૌરવ અને સુરક્ષાનો મામલો છે. સાવચેતી રાખવાની આપણી ફરજ છે.આદિત્ય એલ-1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ પહેલું મિશન છે જે સૂર્યનો અભ્યાસ કરશે.આ કંપનીના ગુજરાત સહીત દેશમાં ઘણા રાજ્યમાં યુનિટ આવેલા છે.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">