AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan3એ તેના બે મોટા લક્ષ્યો કરી લીધા પાર, હવે ત્રીજા લક્ષ્ય પર કામ થયુ શરુ, જાણો શું છે તે ઉદ્દેશ્ય ?

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની આ મોટી સફળતા બાદ ISRO ઉત્સાહીત છે. તેના વડા એસ. સોમનાથે કહ્યું કે ભારત વધુ અવકાશ મિશન શરૂ કરવા સક્ષમ છે. વડાપ્રધાન મોદીનું અંતરિક્ષ ક્ષેત્ર માટે લાંબા ગાળાનું વિઝન છે અને ISRO તેને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Chandrayaan3એ તેના બે મોટા લક્ષ્યો કરી લીધા પાર, હવે ત્રીજા લક્ષ્ય પર કામ થયુ શરુ, જાણો શું છે તે ઉદ્દેશ્ય ?
Chandrayaan3 has achieved its two major goal
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 10:13 AM
Share

Chandrayaan3: ચંદ્રયાન-3ના વિક્રમ અને પ્રજ્ઞાન ચંદ્ર પર પોતાનું કામ સચોટ રીતે કરી રહ્યા છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3 મિશનના ત્રણમાંથી બે ઉદ્દેશ્ય હાંસલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા ઉદ્દેશ્ય હેઠળ વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે. સ્પેસ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે ચંદ્રયાન-3 મિશનના તમામ પેલોડ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. ચંદ્રયાને જે બે ઉદ્દેશો હાંસલ કર્યા છે તેમાં સફળ સોફ્ટ લેન્ડિંગ અને રોવર વોકનો સમાવેશ થાય છે.જેમાંથી સોફ્ટ લેન્ડિંગનો વીડિયો આખી દુનિયાએ જોયો છે. ત્યારે હવે રોવરના વોકનો વીડિયો પણ ઈસરો દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને મળવા શનિવારે ઈસરો પહોંચ્યા હતા. પીએમએ ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગ તારીખ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પીએમએ લેન્ડરના લેન્ડિંગ પોઈન્ટનું નામ ‘શિવ શક્તિ’ રાખ્યું છે. આ સિવાય ચંદ્રયાન-2એ ચંદ્ર પર તેની છાપ છોડી હતી, જેને વડાપ્રધાને તિરંગા પોઈન્ટ નામ આપ્યું છે. ચંદ્રયાન-2 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીની શોધ કરવાનો હતો, જે હવે ચંદ્રયાન-3 કરશે.

પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર શું કરશે?

વિક્રમ લેન્ડર સાથે ચંદ્ર પર પહોંચેલું પ્રજ્ઞાન બે પેલોડ્સથી સજ્જ છે, જે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. તે લેસર સ્પેક્ટ્રોસ્કોપ અને એક્સ-રે સ્પેક્ટ્રોમીટરથી સજ્જ છે. લેસર ચંદ્રની સપાટી પર હાજર તત્વોની ગુણવત્તા અને જથ્થા વિશે જણાવશે અને ચંદ્રની સપાટી વિશે વધુ શોધ કરશે અને આ માહિતી ISROને આપશે.

આ ઉપરાંત, એક્સ-રે જોશે કે તે ચંદ્ર પર મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પોટેશિયમ, કેલ્શિયમ, ટાઇટેનિયમ અને આયર્નની મૂળભૂત રચના વિશે લેન્ડરની આસપાસ પડેલા પથ્થરોનો અભ્યાસ કરશે. આ સ્પષ્ટ કરશે કે ચંદ્ર પરના ખાડાઓમાં પાણીના કણો હાજર છે કે કેમ.

ચંદ્રયાન-3 એ અત્યાર સુધી બધા જ કામો 100 ટકા પુરા કરી દીધા

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની આ મોટી સફળતા બાદ ISRO ઉત્સાહીત છે. તેના વડા એસ. સોમનાથે કહ્યું કે ભારત વધુ અવકાશ મિશન શરૂ કરવા સક્ષમ છે. વડાપ્રધાન મોદીનું અંતરિક્ષ ક્ષેત્ર માટે લાંબા ગાળાનું વિઝન છે અને ISRO તેને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે માત્ર સોફ્ટ લેન્ડિંગનું લક્ષ્ય જ હાંસલ કર્યું નથી, પરંતુ ચંદ્રયાન-3ના તમામ પાસાઓને 100 ટકા પૂર્ણ કર્યા છે. આખો દેશ તેનાથી ખુશ છે અને અમને આશીર્વાદ આપી રહ્યો છે.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">