Paytmના શેરમાં ભારે ઘટાડાથી નાના રોકાણકારોને હાથ દેવાનો વારો આવ્યો, ડિસેમ્બર ક્વાર્ટર હિસ્સેદારી વધવાથી વધુ નુકસાન

|

Feb 13, 2024 | 8:10 AM

પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ પછી તેની મૂળ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેરમાં ઘટાડો થવાથી નાના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. રિટેલ રોકાણકારોએ ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન પેટીએમમાં ​​તેમનો હિસ્સો અગાઉના ત્રણ મહિનામાં 8.28 ટકાથી વધારીને 12.85 ટકા કર્યો હતો.

Paytmના શેરમાં ભારે ઘટાડાથી નાના રોકાણકારોને હાથ દેવાનો વારો આવ્યો, ડિસેમ્બર ક્વાર્ટર હિસ્સેદારી વધવાથી વધુ નુકસાન

Follow us on

પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ પછી તેની મૂળ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેરમાં ઘટાડો થવાથી નાના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. રિટેલ રોકાણકારોએ ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન પેટીએમમાં ​​તેમનો હિસ્સો અગાઉના ત્રણ મહિનામાં 8.28 ટકાથી વધારીને 12.85 ટકા કર્યો હતો.

એટલું જ નહીં કંપનીની ઈક્વિટી મૂડીમાં રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરનારા નાના રોકાણકારોની સંખ્યા છેલ્લા ક્વાર્ટરમાં 9,90,819 હતી જે ત્રીજા ક્વાર્ટરમાં વધીને 10 લાખથી વધુ થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે Paytmના શેરમાં ભારે ઘટાડો તેમના માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

પેટીએમ બેંક સામે કાર્યવાહીની કોઈ સમીક્ષા કરવાનો ઇન્કાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે સ્પષ્ટ કર્યું છે કે Paytm પેમેન્ટ્સ બેંક (PPBL) વિરુદ્ધ લેવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવશે નહીં. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે પીપીબીએલના કામકાજના વ્યાપક મૂલ્યાંકન બાદ અને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.દાસે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 606મી બેઠક બાદ કહ્યું કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે PPBL કેસમાં લીધેલા નિર્ણયની કોઈ સમીક્ષા કરવામાં આવશે નહીં.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

નિયમો માટે સતત અવગણનાનો આરોપ

રિઝર્વ બેંકે નિયમોનું પાલન કરવામાં સતત નિષ્ફળતા બદલ PPBL સામે આ કાર્યવાહી કરી છે. અગાઉ, 11 માર્ચ, 2022ના રોજ, તેણે PPBLને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરી દીધું હતું. આ કાર્યવાહીમાં, કેન્દ્રીય બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઉત્પાદનો, વોલેટ્સ, ફાસ્ટેગ અને NCMC કાર્ડ વગેરેમાં ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ ન સ્વીકારવા જણાવ્યું છે. જોકે, RBIએ 29 ફેબ્રુઆરી પછી પણ વ્યાજ ક્રેડિટ, કેશબેક અથવા ‘રિફંડ’ની મંજૂરી આપી છે.

ગ્રાહકો માટે પ્રશ્નો અને જવાબો આ અઠવાડિયે પ્રકાશિત કરવામાં આવશે

RBI પેટીએમ પેમેન્ટ્સ બેંકના કિસ્સામાં પરિસ્થિતિને સ્પષ્ટ કરવા અને બેંકના ગ્રાહકોની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે આ અઠવાડિયે FAQs જાહેર કરશે. RBI ગવર્નરે કહ્યું કે FAQ માટે રાહ જુઓ જેમાં બેંક સંબંધિત સ્પષ્ટતાઓ અંગે તમામ પ્રકારના પ્રશ્નો અને તેમના જવાબો હશે. અમારી પ્રાથમિકતા એ છે કે ગ્રાહકોને અસુવિધા ન થાય. ગ્રાહકનું હિત અને થાપણદારોનું હિત અમારા માટે સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 8:08 am, Tue, 13 February 24

Next Article