AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission : મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક લાભની ભેટ આપશે, DA બાદ હવે HRA વધારવાના મળ્યા સંકેત

DA માં વધારો કર્યા બાદ HRA માં પણ વધારો થવાની આશા વધી છે. અગાઉ ગત વર્ષે જુલાઈમાં HRAમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીએ પણ 25 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું હતું.

7th Pay Commission : મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક લાભની ભેટ આપશે, DA બાદ  હવે HRA વધારવાના મળ્યા સંકેત
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 9:39 AM
Share

નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સરકારે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ(central government employees)ના મોંઘવારી ભથ્થા(Dearness Allowance)માં વધારો કર્યો છે. DA માં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કરવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તેના કર્મચારીઓને વધુ એક ભેટ આપી શકે છે. એટલે કે તેમના પગારમાં વધુ વધારો કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદી સરકાર આ મહિને કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપે તેવી શક્યતા છે. મોંઘવારી ભથ્થા બાદ હવે સરકાર ટૂંક સમયમાં ઘર ભાડા ભથ્થા(House Rent Allowance -HRA ) અને અન્ય ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.

HRA વધવાની અપેક્ષા છે

DA માં વધારો કર્યા બાદ HRA માં પણ વધારો થવાની આશા વધી છે. અગાઉ ગત વર્ષે જુલાઈમાં HRAમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીએ પણ 25 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું હતું. હવે જ્યારે DA વધારીને 34 ટકા કરવામાં આવ્યો છે ત્યારે HRAમાં પણ સુધારો કરી શકાય છે.

કેટલી વૃદ્ધિ થવાની અપેક્ષા છે

સરકારી કર્મચારીઓ માટે HRA તેઓ જ્યાં કામ કરે છે તે શહેરની કેટેગરી દ્વારા નક્કી કરવામાં આવે છે. X, Y અને Z શહેરો માટે ત્રણ શ્રેણીઓ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે X શ્રેણીના શહેરોમાં રહેતા અથવા કામ કરતા સરકારી કર્મચારીઓના HRAમાં DAની જેમ 3 ટકાનો વધારો થવાની સંભાવના છે. હાલમાં આ શહેરોના કર્મચારીઓને મૂળ પગારના 27 ટકા HRA મળે છે.

Y શ્રેણીના શહેરો માટે આ વધારો 2 ટકા શક્ય છે. આ વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને 18-20 ટકા HRA મળે છે. Z શ્રેણીના શહેરો માટે 1 ટકા HRA વધારી શકાય છે. અત્યારે HRA 9-10 ટકાના દરે આપવામાં આવે છે.

DA અને DR માં વધારાના સમાચાર મળ્યા

કેન્દ્રીય કર્મચારીઓ માટે તાજેતરમાં સારા સમાચાર આવ્યા છે. સરકારે 7મા પગાર પંચ(7th Pay Commission) હેઠળ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધારવાની જાહેરાત કરી છે. કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગારની સાથે 34%ના દરે DA મળશે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય સમિતિની બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. વડા પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે DA અને DR વધારવાની અવધિ 1 જાન્યુઆરી, 2022થી લાગુ કરવામાં આવી રહી છે. બેઝિક પગાર અથવા પેન્શન પર પહેલાથી જ લાગુ 31 ટકાના દરમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીને જોતા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને આ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ પ્રારંભિક કારોબારમાં ઘટાડો નોંધાયો, Sensex 59815 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : પેટ્રોલ -ડીઝલના આસમાને આંબતા ભાવ વચ્ચે ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ બમણું થયું, વાર્ષિક ધોરણે 218 ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">