AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips for Jobs: જો તમામ પ્રયત્નો છતાં પણ ન થતું હોય નોકરીનું સપનું પૂરું, તો કરો આ લાભકારી જ્યોતિષી ઉપાય

રોજગાર મેળવવા માટે તમે આ સરળ જ્યોતિષી ઉપાયો કરી શકો છો. આ ઉપાયો કરવાથી તમને આ દિશામાં તમારા પ્રયત્નોમાં જલ્દી જ સફળતા મળશે. ચાલો જાણીએ કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મેળવવાની સરળ અને અસરકારક રીતો વિશે.

Astro Tips for Jobs: જો તમામ પ્રયત્નો છતાં પણ ન થતું હોય નોકરીનું સપનું પૂરું, તો કરો આ લાભકારી જ્યોતિષી ઉપાય
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 11:46 PM
Share

Astro Tips for Jobs: કોરોના (Corona)ના આ યુગમાં ઘણા એવા લોકો છે જેમની રોજી-રોટી પર ખૂબ અસર થઈ છે. જો તમે નોકરીની શોધમાં દર-દર ભટકતા હોવ અને તમારા તમામ પ્રયાસો છતાં તમારું સપનું પૂરું ન થઈ રહ્યું હોય તો રોજગાર મેળવવા માટે તમે આ સરળ ઉપાયો કરી શકો છો. આ ઉપાયો કરવાથી તમને આ દિશામાં તમારા પ્રયત્નોમાં જલ્દી જ સફળતા મળશે. ચાલો જાણીએ કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મેળવવાની સરળ અને અસરકારક રીતો વિશે.

નાળિયેર ઉપાય

જો તમે તમારા રોજગારને લઈને ખૂબ જ ચિંતિત હોવ તો કોઈપણ ગુરુવારે એક સૂકું નારિયેળ લઈને કોઈ પવિત્ર નદી કે નાળા વગેરેમાં વહાવી દો. સાથે સાથે જ કૂતરાઓને ખાવા માટે મીઠી પુરી આપો.

પક્ષીઓને સતાંજ (સાત પ્રકારના અનાજ) ખવડાવો

નોકરી-ધંધાનું સ્વપ્ન સાકાર કરવા માટે દરરોજ સવારે પક્ષીઓને સાત પ્રકારના અનાજ ખાવા મૂકો. એવું માનવામાં આવે છે કે પક્ષીઓને ખવડાવવાની આ રીત કરવાથી જલ્દી જ નોકરી કે બિઝનેસમાં ઈચ્છિત સફળતા મળે છે.

ગાયની રોટલીનો ઉપાય

જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો પડી રહ્યો છે અને તમને તમારા કામકાજમાં કેટલીક સમસ્યાઓ ઉભી કરી રહ્યો છે તો તેને બળવાન બનાવવા માટે તમારે દરરોજ ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ અને દરરોજ કાળી કે પીળી ગાયને રોટલી ખવડાવવી જોઈએ. રસોડામાં બનેલી પહેલી રોટલી જ ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. આ ઉપાય કરવાથી તમને જલ્દી જ સકારાત્મક પરિણામ જોવા મળશે.

તુલસી પૂજા ઉપાય

જો તમે તમારી નોકરીને લઈને ખૂબ જ પરેશાન છો તો આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે કોઈપણ બુધવારે તમારા ઘરમાં તુલસીનો છોડ લાવો અને તેને વાસણમાં અથવા તમારા બગીચા વગેરેમાં લગાવો. છોડને રોપતી વખતે તેની સાથે એક રૂપિયાનો સિક્કો માટીમાં દબાવો અને તે પછી દરરોજ તુલસીના છોડની પૂજા કરો. તુલસીના આ ઉપાયથી તમને નોકરીની દિશામાં જલ્દી જ પ્રગતિ અને લાભ જોવા મળશે.

શિવની પૂજા કરવાનો ઉપાય

સનાતન પરંપરામાં રોજગાર અને સંપત્તિની દેવી લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઘણા માર્ગો જણાવવામાં આવ્યા છે. ભગવાન શિવ સાથે સંબંધિત આ સરળ ઉપાયથી તમે આ દિશામાં તમારા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો છો. આ માટે તમારે દરરોજ કોઈ શિવાલયમાં જઈને જળાભિષેકની સાથે શિવલિંગ પર ચોખા ચઢાવવાના છે. આ ઉપાય કરવાથી તમને જલ્દી જ સકારાત્મક પરિણામ જોવા મળશે અને તમારી આવકના નવા સ્ત્રોત પણ બનવા લાગશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: RAJKOT : માતાપિતા વગરની 22 દીકરીઓના ધામધૂમથી લગ્ન, આખ્ખું ઘર ભરાય એટલો કરિયાવર પણ અપાયો

આ પણ વાંચો: આ સરળ સ્ટેપ્સ દ્વારા ટ્રાન્સફર કરો પ્રોવિડન્ટ ફંડના પૈસા, EPFOએ ટ્વીટ કરીને આપી જાણકારી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">