AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips for Jobs: જો તમામ પ્રયત્નો છતાં પણ ન થતું હોય નોકરીનું સપનું પૂરું, તો કરો આ લાભકારી જ્યોતિષી ઉપાય

રોજગાર મેળવવા માટે તમે આ સરળ જ્યોતિષી ઉપાયો કરી શકો છો. આ ઉપાયો કરવાથી તમને આ દિશામાં તમારા પ્રયત્નોમાં જલ્દી જ સફળતા મળશે. ચાલો જાણીએ કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મેળવવાની સરળ અને અસરકારક રીતો વિશે.

Astro Tips for Jobs: જો તમામ પ્રયત્નો છતાં પણ ન થતું હોય નોકરીનું સપનું પૂરું, તો કરો આ લાભકારી જ્યોતિષી ઉપાય
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 11:46 PM
Share

Astro Tips for Jobs: કોરોના (Corona)ના આ યુગમાં ઘણા એવા લોકો છે જેમની રોજી-રોટી પર ખૂબ અસર થઈ છે. જો તમે નોકરીની શોધમાં દર-દર ભટકતા હોવ અને તમારા તમામ પ્રયાસો છતાં તમારું સપનું પૂરું ન થઈ રહ્યું હોય તો રોજગાર મેળવવા માટે તમે આ સરળ ઉપાયો કરી શકો છો. આ ઉપાયો કરવાથી તમને આ દિશામાં તમારા પ્રયત્નોમાં જલ્દી જ સફળતા મળશે. ચાલો જાણીએ કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મેળવવાની સરળ અને અસરકારક રીતો વિશે.

નાળિયેર ઉપાય

જો તમે તમારા રોજગારને લઈને ખૂબ જ ચિંતિત હોવ તો કોઈપણ ગુરુવારે એક સૂકું નારિયેળ લઈને કોઈ પવિત્ર નદી કે નાળા વગેરેમાં વહાવી દો. સાથે સાથે જ કૂતરાઓને ખાવા માટે મીઠી પુરી આપો.

પક્ષીઓને સતાંજ (સાત પ્રકારના અનાજ) ખવડાવો

નોકરી-ધંધાનું સ્વપ્ન સાકાર કરવા માટે દરરોજ સવારે પક્ષીઓને સાત પ્રકારના અનાજ ખાવા મૂકો. એવું માનવામાં આવે છે કે પક્ષીઓને ખવડાવવાની આ રીત કરવાથી જલ્દી જ નોકરી કે બિઝનેસમાં ઈચ્છિત સફળતા મળે છે.

ગાયની રોટલીનો ઉપાય

જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો પડી રહ્યો છે અને તમને તમારા કામકાજમાં કેટલીક સમસ્યાઓ ઉભી કરી રહ્યો છે તો તેને બળવાન બનાવવા માટે તમારે દરરોજ ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ અને દરરોજ કાળી કે પીળી ગાયને રોટલી ખવડાવવી જોઈએ. રસોડામાં બનેલી પહેલી રોટલી જ ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. આ ઉપાય કરવાથી તમને જલ્દી જ સકારાત્મક પરિણામ જોવા મળશે.

તુલસી પૂજા ઉપાય

જો તમે તમારી નોકરીને લઈને ખૂબ જ પરેશાન છો તો આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે કોઈપણ બુધવારે તમારા ઘરમાં તુલસીનો છોડ લાવો અને તેને વાસણમાં અથવા તમારા બગીચા વગેરેમાં લગાવો. છોડને રોપતી વખતે તેની સાથે એક રૂપિયાનો સિક્કો માટીમાં દબાવો અને તે પછી દરરોજ તુલસીના છોડની પૂજા કરો. તુલસીના આ ઉપાયથી તમને નોકરીની દિશામાં જલ્દી જ પ્રગતિ અને લાભ જોવા મળશે.

શિવની પૂજા કરવાનો ઉપાય

સનાતન પરંપરામાં રોજગાર અને સંપત્તિની દેવી લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઘણા માર્ગો જણાવવામાં આવ્યા છે. ભગવાન શિવ સાથે સંબંધિત આ સરળ ઉપાયથી તમે આ દિશામાં તમારા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો છો. આ માટે તમારે દરરોજ કોઈ શિવાલયમાં જઈને જળાભિષેકની સાથે શિવલિંગ પર ચોખા ચઢાવવાના છે. આ ઉપાય કરવાથી તમને જલ્દી જ સકારાત્મક પરિણામ જોવા મળશે અને તમારી આવકના નવા સ્ત્રોત પણ બનવા લાગશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: RAJKOT : માતાપિતા વગરની 22 દીકરીઓના ધામધૂમથી લગ્ન, આખ્ખું ઘર ભરાય એટલો કરિયાવર પણ અપાયો

આ પણ વાંચો: આ સરળ સ્ટેપ્સ દ્વારા ટ્રાન્સફર કરો પ્રોવિડન્ટ ફંડના પૈસા, EPFOએ ટ્વીટ કરીને આપી જાણકારી

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">