AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિમાચલમાં વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે મીરા સાથે

હિમાચલ પ્રદેશના નૂરપુરમાં આવેલું આ શ્રી કૃષ્ણનું મંદિર આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે વિશ્વભરમાંથી લાખો લોકો અહીં દર્શન માટે આવે છે. આવો જાણીએ શું છે આ મંદિરનો ઈતિહાસ અને શા માટે તે ખૂબ જ ખાસ છે.

હિમાચલમાં વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે મીરા સાથે
Shri Krishna
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:15 PM
Share

હિમાચલ પ્રદેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો છે, જેનો ઈતિહાસ ઘણો જૂનો છે. પરંતુ હિમાચલના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ વિશેષ છે. આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈની સાથે સ્થાપિત છે. આ બંને મૂર્તિઓ એટલી અલૌકિક અને આકર્ષક છે કે તેના દર્શન કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મૂર્તિઓ એવી રીતે બનાવવામાં આવી છે કે જાણે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તમારી સામે ઊભા હોય. જન્માષ્ટમીના દિવસે આ મંદિરની અલૌકિકતા અને સુંદરતા વધી જાય છે.

મંદિરનો ઇતિહાસ

1629 થી 1623 ની વાત છે જ્યારે ચિત્તોડગઢના રાજાના આમંત્રણ પર નૂરપુરના રાજા જગત સિંહ તેમના રાજ પુરોહિત સાથે ત્યાં પહોંચ્યા હતા. રાજા જગત સિંહ ત્યાં પહોંચ્યા જ્યા તેને અને પુરોહિતનો ઉતારો આપવામાં આવ્યો હતો. ત્યાં બાજુમાં એક મંદિર હતું. રાત્રે રાજાને આ મંદિરમાં ઝાંઝર અને ઝાલરના આવાજ સંભાળા લાગ્યા. તેમણે મહેલની બારી ખોલી અને જોયુ તો એક સ્ત્રી ભગવાનની મુર્તીની સામે ભજન ગાતી નાચતી હતી. એ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મીરાની મુર્તિઓ સાક્ષાત હતી. રાજાએ પોતે જોયેલુ દ્રશ્ય પુરોહિતને કહ્યુ, પાછા ફરતી વખતે તેમણે આ મુર્તિઓને ભેટ સ્વરૂપે માંગી લીધી. બાદમાં નૂરપુરના રાજાએ પોતાના દરબારને મંદિરમાં બદલી નાખ્યુ અને બંને મુર્તિ ત્યાં સ્થાપિત કરી.

શ્રી કૃષ્ણ મંદિરે આવે છે

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ રાત્રે આ મંદિરની મુલાકાત લે છે. તેથી, આ મંદિરમાં દરરોજ પૂજા કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે. મંદિર બંધ કરતા પહેલા મૂર્તિઓની સામે સૂવાની મુદ્રા, પાદુકા અને પાણીથી ભરેલો ગ્લાસ રાખવામાં આવે છે. સવારે જ્યારે મંદિરનો દરવાજો ખોલવામાં આવે છે, ત્યારે પલંગ પર ગડીઓ હોય છે અને પાણીનો ગ્લાસ ખાલી હોય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">