Jagannath Rathyatra 2022: પ્રભુ જગન્નાથ પણ ધારણ કરે છે નવો જન્મ ! જાણો કળિયુગના દેવતાનું સૌથી મોટું રહસ્ય !

જીવ માત્રનું શાશ્વત સત્ય એટલે મૃત્યુ. જેમ મનુષ્ય દેહત્યાગ કરીને નવો દેહ ધારણ કરે છે, તે જ રીતે જગન્નાથજી (lord jagannath) પણ શરીર બદલીને નવો જન્મ ધારણ કરે છે. આ ઘટના ‘નવકલેવર’ના નામે પ્રસિદ્ધ છે.

Jagannath Rathyatra 2022: પ્રભુ જગન્નાથ પણ ધારણ કરે છે નવો જન્મ ! જાણો કળિયુગના દેવતાનું સૌથી મોટું રહસ્ય !
lord jagannath balabhadra subhadra
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 30, 2022 | 6:33 AM

ઓડિસાના પુરીમાં (puri) બિરાજમાન પ્રભુ જગન્નાથ (lord jagannath) એટલે તો ભક્તવત્સલ ભગવાન. એવાં ભગવાન કે જે તેમના વાત્સલ્ય ભરેલાં નેત્રોથી ભક્તો પર સદૈવ કૃપાવૃષ્ટિ કરતાં જ રહે છે. ભારતના મુખ્ય ચારધામમાં (char dham) જગન્નાથ પુરી ધામ એ કળિયુગનું ધામ મનાય છે. અને પ્રભુ જગન્નાથ એ કળિયુગના દેવતા. કળિયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના આ જગન્નાથ સ્વરૂપની પૂજાનો સવિશેષ મહિમા છે. પણ, ઘણાં ઓછાં શ્રદ્ધાળુઓ એ જાણે છે કે જગન્નાથજી તો રહસ્યોના સ્વામી છે ! પ્રભુ જગન્નાથજીની રથયાત્રાનો રૂડો અવસર આવી પહોંચ્યો છે ત્યારે આવો, આજે તેમના કેટલાંક આવાં જ રહસ્યોને જાણીએ.

ભોજન રહસ્ય !

પુરી જગન્નાથ મંદિરમાં પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન થયા છે. પરંતુ, તમને નવાઈ લાગશે કે ગર્ભગૃહમાં સ્થાપિત આ ત્રણેવ પ્રતિમાઓને અલગ-અલગ ભોગ લાગે છે ! આ ત્રણેવ પ્રતિમાઓ જે સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે, તે જ અનુસાર તેમને ભોગ લાગે છે. જગન્નાથજીને ભોજનમાં શાકભાજી, મસુર અને બરછટ ચોખાના ભાત અપાય છે. તેમજ રાત્રે તેમને દહીં અને ભાત આપવામાં આવે છે. આ એક સામાન્ય માણસનો ખોરાક છે. માન્યતા એવી છે કે પ્રભુ જગન્નાથ સામાન્ય મનુષ્યની અત્યંત નજીક છે. અને એટલે જ તે પણ તેમના ભક્તોની જેમ જ સાદુ ભોજન ગ્રહણ કરે છે.

પ્રભુ જગન્નાથજીથી વિપરિત બળભદ્રજી ‘કનિકા’ ગ્રહણ કરે છે. આ પણ ભાતનો જ એક પ્રકાર છે. પણ, તે ખૂબ જ ઘી અને વિધ-વિધ પ્રકારના સૂકામેવાથી ભરેલો હોય છે. બળભદ્રજીનું આ ભોજન તેમના રાજવી ઠાઠમાઠની પુષ્ટી કરે છે. જ્યારે, બહેન સુભદ્રાજીને મરી-મસાલાથી ભરપૂર તીખું ભોજન પીરસવામાં આવે છે. કારણ કે ભારતમાં મહિલાઓને આવું જ ભોજન વધુ પ્રિય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રભુ બદલે છે શરીર !

કળિયુગના દેવતા મનાતા જગન્નાથજી સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે, તે એ પ્રક્રિયામાંથી પણ પસાર થાય છે કે જેમાંથી દરેક જીવ પસાર થાય છે. જીવ માત્રનું આ શાશ્વત સત્ય એટલે મૃત્યુ. જેમ મનુષ્ય દેહત્યાગ કરીને નવો દેહ ધારણ કરે છે, તે જ રીતે જગન્નાથજી પણ શરીર બદલીને નવો જન્મ ધારણ કરે છે. આ ઘટના ‘નવકલેવર’ના નામે પ્રસિદ્ધ છે.

જ્યારે જ્યારે અધિક અષાઢ માસ આવે છે, ત્યારે ત્યારે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની નવી મૂર્તિઓનું નિર્માણ થાય છે. ઓડિસાના જ કાકટપુરમાં બિરાજમાન દેવી મંગલા નવી મૂર્તિઓના નિર્માણ માટેનું વૃક્ષ ક્યાંથી મળશે તેનો સ્વપ્નમાં નિર્દેશ આપે છે. અને પછી શંખ, ચક્ર, ગદા, પદ્મ જેવી નિશાનીઓ સાથેના આ વૃક્ષોમાંથી નવી મૂર્તિઓનું નિર્માણ થાય છે. લોકમાન્યતા એવી છે કે જગન્નાથજીની નાભિમાં એક ‘બ્રહ્મ’ રહેલો છે. જૂની મૂર્તિમાંથી આ બ્રહ્મને જગન્નાથજીના નવા વિગ્રહની નાભિમાં પૂર્ણ વિધિ અનુસાર સ્થાપિત કરાય છે. આ વિધિ ખૂબ જ ખાનગી હોય છે. જે દરમિયાન મુખ્ય દઈતાપતિઓ સિવાય ભાગ્યે જ કોઈ મંદિરમાં હાજર રહે છે.

બ્રહ્મ પરિવર્તનની આ વિધિ બાદ નવી મૂર્તિઓ ભક્તોના દર્શનાર્થે મુકાય છે. જ્યારે પ્રભુના જૂના વિગ્રહની અંતિમવિધિ કરતાં તેને સમાધિ આપી દેવાય છે ! જગન્નાથ મંદિરમાં કોયલી વૈકુંઠ કરીને સ્થાન આવેલું છે. જ્યાં પ્રભુના તમામ જૂના વિગ્રહોની અંતિમવિધિ પૂર્ણ કરાઈ છે. પણ, નવાઈની વાત તો એ છે કે આ મૂર્તિઓને સમાધિ આપ્યા બાદ પુન: તે સ્થાન પર ખોદતા તેના અવશેષ સુદ્ધા જોવા નથી મળતા. આ બધું કેવી રીતે થાય છે તે આજે પણ એક રહસ્ય છે !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">