અમાસ પર કરો આ ચોક્કસ ઉપાયો દૂર થશે પિતૃદોષ, માતા લક્ષ્મીની રહેશે કૃપા

નકારાત્મક શક્તિઓને દૂર કરવા અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમાસ પર અમે અહીં કેટલાક ચોક્કસ ઉપાયો જણાવ્યા છે જે અજમાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે,બધી પરેશાનીઓ દૂર કરે છે અને તમને સુખ-સમૃદ્ધિ આપે છે.

અમાસ પર કરો આ ચોક્કસ ઉપાયો દૂર થશે પિતૃદોષ, માતા લક્ષ્મીની રહેશે કૃપા
Adhik maas mavasya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 12:25 PM

આજે અધિક શ્રાવણ માસની અમાસ છે. હિંદુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અધિક માસમાં આવવાના કારણે આ અમાસ વિશેષ બની જાય છે. અધિક માસનો અમાસનો દિવસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આ દિવસે નકારાત્મક શક્તિઓ વધારે હાવી હોય છે, તેથી એવા ઘણા ઉપાયો છે જે શુભતા લાવે છે. આ દિવસ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે. જો કુંડળીમાં ગ્રહ દોષ અને પિત્ર દોષ હોય તો આજે આ નિશ્ચિત ઉપાયો કરવાથી છુટકારો મેળવી શકાય છે.

આ પણ વાંચો :અધિક શ્રાવણ માસ 15મી ઓગસ્ટ નિમિતે સાળંગપુરધામના કષ્ટભંજનદાદાને તિરંગાનો દિવ્ય શણગાર, જુઓ PHOTOS

અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરો

પિતૃદોષ દૂર કરવા માટે અમાસ વધુ સારી તિથિ હોઈ શકે નહીં. આ દિવસે પિતૃઓ તર્પણ, પિંડ દાન અને દાન પુન્ય કરવાથી પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના દુ:ખ દૂર કરે છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે.અમાસના દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી ઘરની દક્ષિણ દિશામાં સરસવ કે તલના તેલનો દિવો પ્રજ્વલીત કરો.અને પિતૃ કવચનો પાઠ પણ કરવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

અમાસ પર ઘરમાં અંધારું ન રાખવું

અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઇએ. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખુણે અજવાળું રાખો, ઘરના દરેક ખુણે દિવો પ્રગટાવો

અમાસ પર પીપળાના વૃક્ષ સંબંધિત ઉપાય

અમાસના દિવસે સવારે પીપળના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે ત્યાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

અમાસ પર ઘરની નકારાત્મકતા દૂર કરો

અમાસના દિવસે ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે નમક વાળા પાણીથી ઘરમાં પોતા કરવા જોઇએ.આનાથી ઘરની નકારાત્મકતા દુર થાય છે.

અમાસ પર દેવી લક્ષ્મીની કૃપા કરો

દરેક પ્રયાસ કર્યા પછી પણ જો તમે આર્થિક મુશ્કેલીમાં છો અને પૈસાની તંગી દૂર થવાનું નામ નથી લઈ રહી તો અમાસના દિવસે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે મૂર્તિની સામે દીવો કરવો જોઈએ. અખંડ દીવો કરી તેમની પાસેથી સુખ-સમૃદ્ધિ માટે વરદાન માંગવું જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્નિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">