Vastu Tips Money : ઘરમાં રાખેલી આ વસ્તુઓ તમને કંગાળ બનાવી શકે છે ! કરો આ સરળ ઉપાય

ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થાય છે, જેના કારણે વિવાદ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, આર્થિક સંકડામણ સહિત અન્ય સમસ્યાઓ વધે છે. આ વસ્તુઓ ઘરમાં રાખવાથી વ્યક્તિ દરિદ્ર થઈ શકે છે.

Vastu Tips Money : ઘરમાં રાખેલી આ વસ્તુઓ તમને કંગાળ બનાવી શકે છે ! કરો આ સરળ ઉપાય
Vastu Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 4:22 PM

દરેક વ્યક્તિ તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઇચ્છે છે. ઘરનું વાતાવરણ સારું અને સકારાત્મકતાથી ભરેલું હોવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે ઘરની સુખ-સમૃદ્ધિ જાળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાની અસર વધે છે.

ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થાય છે, જેના કારણે વિવાદ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, આર્થિક સંકડામણ સહિત અન્ય સમસ્યાઓ વધે છે. આ વસ્તુઓ ઘરમાં રાખવાથી વ્યક્તિ દરિદ્ર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ સમયસર ઘરની બહાર કાઢવી સારી છે. ચાલો આ ઉપાયો વિશે જાણીએ.

ઘરમાં સ્વચ્છતા રાખો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ઘરમાં સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સ્વચ્છતા ન રાખવાને કારણે નકારાત્મક ઉર્જા વધે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. લાંબા સમય સુધી ઘરમાં કચરો ન રાખો. જો કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી સાફ કરવા માટે રાખવામાં આવી હોય, તો તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરો.

ઘરમાં સાવરણી છુપાવીને રાખો

સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા અન્યની નજરથી દૂર રાખવી જોઈએ. આ સિવાય સાવરણીને ઉભી ન રાખવી. સાંજના સમયે સાવરણીનો ઉપયોગ ન કરવો જોઇએ. શાસ્ત્રો અનુસાર જો તમે આ બાબતોનું પાલન નહીં કરો તો તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તૂટેલું ફર્નિચર

જો તમારા ઘરમાં તૂટેલું ફર્નિચર છે, તો તેને જલદીથી ઘરની બહાર કાઢો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલું ફર્નિચર વાસ્તુ દોષોનું કારણ છે. તેનાથી લગ્નજીવનમાં સમસ્યાઓ આવે છે સાથે જ ઘરમાં આર્થિક સંકડામણ પણ આવે છે.

કબૂતરનો માળો

જો ઘરમાં કબૂતરનો માળો હોય તો તેને તરત જ દૂર કરો. વાસ્તુશાસ્ત્રના ઘરમાં માળો રાખવો અશુભ સંકેત છે. આ કારણે ઘરમાં અણબનાવ શરૂ થાય છે.

બંધ અને ખરાબ ઘડિયાળ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ખરાબ ઘડિયાળ કે બંધ પડેલી ઘડિયાળને તરત જ રીપેર કરી લો. એવું માનવામાં આવે છે કે ખરાબ ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Chanakya Niti : આ 3 સંજોગોમાં દરેક પુરૂષને દુ:ખનો સામનો કરવો જ પડે છે !

આ પણ વાંચો : Shukan Shastra: જાણો શું હોય છે શુકન-અપશુકન, જીવનમાં બનતી ઘટનોઓ આપે છે શુભ અને અશુભ સંકેત

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">