AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukan Shastra: જાણો શું હોય છે શુકન-અપશુકન, જીવનમાં બનતી ઘટનોઓ આપે છે શુભ અને અશુભ સંકેત

ઘરની છત પર બોલતા કાગડાને કારણે મહેમાનના આગમનની નિશાની હોય અથવા રસ્તામાં ચાલતી વખતે બિલાડી રસ્તો ઓળંગતી હોવાના કારણે તે કોઈ આફતની નિશાની હોઈ. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે.

Shukan Shastra: જાણો શું હોય છે શુકન-અપશુકન, જીવનમાં બનતી ઘટનોઓ આપે છે શુભ અને અશુભ સંકેત
Shukan Shastra
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 1:55 PM
Share

Shukan Shastra: જીવનમાં બનતી તમામ ઘટનાઓ દ્વારા શુકન અને અપ શુકન જાણવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સનાતન પરંપરામાં આવા શુભ અને અશુભ સંકેતો જાણવા માટે શુકન શાસ્ત્રમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. આપણે અહી, પ્રાણીઓથી લઈ જીવ-જંતુ અને તમામ પ્રકારની ઘટનાઓમાંથી આવા શુકન અને અપશુકનને સરળતાથી ઓળખી શકાય છે.

ભલે તે પછી ઘરની છત પર બોલતા કાગડાને કારણે મહેમાનના આગમનની નિશાની હોય અથવા રસ્તામાં ચાલતી વખતે બિલાડી રસ્તો ઓળંગતી હોવાના કારણે તે કોઈ આફતની નિશાની હોઈ. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે.

1 જો તમે કોઈ કામ માટે ઘરેથી બહાર જઈ રહ્યા છો અને તમને ગાય દેખાય છે, તો તેને શુભ શુકન માનવામાં આવે છે. તેવી જ રીતે, જો ઘરથી બહાર નીકળતી વખતે ગાય ધ્રૂજવા લાગે તો ચોક્કસ કાર્યમાં શુભ પરિણામ મળવાની શક્યતા વધી જાય છે.

2 જીવનમાં પૈસા સાથે પણ શુકન -અપશુકન જોડાયેલુ છે. ઉદાહરણ તરીકે 11, 21, 51, 101, 1001 વગેરે જેવી રકમ આપવી ઘણી વખત શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમને કોઈ ખાસ કામ માટે જતી વખતે આ નાણાં મળે તો તે સારું માનવામાં આવતું નથી.

એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ કામ માટે જતા હોય અને રસ્તામાં તમને કોઈ સિક્કો કે નોટ મળે, તો તેમાં વિલંબ થઈ શકે છે અથવા તેમાં કોઈ અડચણ આવી શકે છે.

3 કોઈ ખાસ કામ માટે નીકળતી વખતે, જો કોઈ સૌભાગ્યવતિ સ્ત્રી તેના બાળકને ખોળામાં લઈને આવી રહી હોય અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિની સ્મશાન યાત્રા વાજતે-ગાજતે નીકળતી જોવા મળે, તો એવું માની લેવું જોઈએ કે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે.

4 જો કોઈ બિલાડી ઘરની અંદર બચ્ચા આપે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે અથવા તેની કૃપા મેળવવાનો શુભ સંકેત છે.

5 જો કોઈ પક્ષી તમારી છત અથવા ઘરની અંદર સોના અથવા ચાંદી વગેરેના ઘરેણાં પછાડે છે, તો આ દેવી લક્ષ્મીના આશીર્વાદને પણ સૂચવે છે.

6 જો કોઈ ભિખારી ઘરથી નિકળતી વખતે જોવા મળે તો તેને શુભ સંકેત માની લો અને તેને દાન આપો કારણ કે આ શુકન તમારા દેવાથી મુક્તિ સૂચવે છે.

આ પણ વાંચો: Chanakya Niti : આ 3 સંજોગોમાં દરેક પુરૂષને દુ:ખનો સામનો કરવો જ પડે છે !

આ પણ વાંચો: Crime: દીકરીને થઈ માતાના પ્રેમ પ્રકરણની જાણ, માતાનું Whatsapp Hack કર્યું તો મળી ચોંકાવનારી તસ્વીરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">