Janmashtami 2021: જાણો કૃષ્ણ જન્મોત્સવના શુભ મુહૂર્ત અને ભારતભરના અલગ-અલગ શહેરોમાં શુભ સમય

|

Aug 30, 2021 | 6:54 AM

ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે હિંદુ કેલેન્ડરના શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમ પર આવે છે.

Janmashtami 2021: જાણો કૃષ્ણ જન્મોત્સવના શુભ મુહૂર્ત અને ભારતભરના અલગ-અલગ શહેરોમાં શુભ સમય
Janmashtami 2021

Follow us on

Janmashtami 2021: ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે પૂજાય છે. તે સર્વોચ્ચ દેવ અને સૌથી લોકપ્રિય હિન્દુ દેવત્વ છે. અત્યંત ઉત્સાહ અને જોશ સાથે, ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે હિંદુ કેલેન્ડરના શ્રાવણ માસની ક્રુષ્ણ પક્ષની અષ્ટમી પર આવે છે.

આ વર્ષે આ તહેવાર 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, લોકો ઉપવાસ કરે છે, પૂજા કરે છે, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે, દહી હાંડી રમે છે અને ભારતના અલગ અલગ ભાગમાં આગવી રીતે ઉજવાય છે.

જન્માષ્ટમી 2021: મહત્વપૂર્ણ સમય

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

કૃષ્ણ જન્માષ્ટમી 30 ઓગસ્ટ, 2021
અષ્ટમી 29 ઓગસ્ટના રોજ રાત્રે 11:25 વાગ્યે શરૂ થઈ રહી છે
અષ્ટમી 31 ઓગસ્ટે સવારે 01:59 વાગ્યે સમાપ્ત થશે

નિશિતા કાળ સમય 11:59 pm – 12:44 મધરાત
મધ્યરાત્રિ ક્ષણ 31 ઓગસ્ટ 12:22 વાગ્યે
રોહિણી નક્ષત્ર 30 ઓગસ્ટના રોજ સવારે 06:39 વાગ્યે શરૂ થશે

રોહિણી નક્ષત્ર 31 ઓગસ્ટે સવારે 09:44 વાગ્યે સમાપ્ત થશે
દહી હાંડી 31 ઓગસ્ટ 2021

જન્માષ્ટમી 2021: વિવિધ શહેરોમાં શુભ સમય

પૂણે – 12:12 AM થી 12:58 AM
નવી દિલ્હી – 11:59 PM થી 12:44 AM
ચેન્નઈ – 11:46 PM થી 12:33 AM

જયપુર – 12:05 AM થી 12:50 AM
હૈદરાબાદ – 11:54 PM થી 12:40 AM
ગુડગાંવ – 12:00 AM થી 12:45 AM

ચંડીગઢ – – 12:01 AM થી 12:46 AM
કોલકાતા- 11:14 PM થી 12:00 AM
મુંબઈ- 12:16 AM થી 01:02 AM

બેંગલુરુ – 11:57 PM થી 12:43 AM
અમદાવાદ – 12:18 AM થી 01:03 AM
નોઇડા – 11:59 PM થી 12:44 AM

જન્માષ્ટમી 2021: મહત્વ
કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમી, યદુકુલાષ્ટમી અથવા શ્રી કૃષ્ણ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ દેવકી અને વસુદેવના પુત્ર છે, જેનો જન્મ મથુરા જેલમાં મધ્યરાત્રિએ થયો હતો. તેના જન્મ પછી તરત જ તેને તેના પાલક માતાપિતા નંદા અને યશોદા દ્વારા ગોકુલ લઈ ગયા. ભગવાન કૃષ્ણનો જન્મદિવસ પરંપરાઓ અને ઉત્સાહ સાથે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કૃષ્ણના જીવન પર નૃત્ય, નાટક પણ કરવામાં આવે છે.

ભક્તો આ દિવસે વ્રત રાખે છે, કૃષ્ણ પ્રેમમાં ભક્તિ ગીતો ગાય છે, રાત્રી જાગરણ કરે છે, પારણામાં ભગવાન કૃષ્ણની શણગારેલી મૂર્તિ રાખે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મધ્યરાત્રિએ ઉજવવામાં આવે છે. પ્રસાદ માટે વિવિધ ખાદ્ય પદાર્થો તૈયાર કરવામાં આવે છે. મુખ્યત્વે માખણ મિશ્રી રાખવામાં આવે છે કારણ કે તે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય હતા.

આ દિવસે મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવે છે અને ભગવાન કૃષ્ણની મુખ્ય ઘટનાઓને ઝાંખી સાથે દર્શાવવામાં આવે છે. આ દિવસે લોકો મંદિરોમાં જાય છે અને ભગવાન કૃષ્ણના દર્શન કરે છે. નંદોત્સવ પછી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે કારણ કે નંદ બાબાએ કૃષ્ણના જન્મ માટે મીઠાઈ વહેંચી હતી.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 30 ઓગસ્ટ: જીવનસાથી સાથે સંબંધ મધુર રાખવા માટે કરવા પડશે પ્રયત્નો, સ્વાસ્થય સંભાળવું

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 30 ઓગસ્ટ: વેપાર ધંધાને લાગતાં નિર્ણયો માટે સમય યોગ્ય નહીં, ટૂંકી યાત્રા લાભકારી રહે

Next Article