શું કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ 13 દિવસ સુધી આત્મા તેના પ્રિયજનોની આસપાસ ફરતી રહે છે? શું કહે છે ગરૂડ પુરાણ- વાંચો
Garud Puran અનુસાર વ્યક્તિની મૃત્યુ બાદ આત્માની એક ખાસ યાત્રા શરૂ થાય છે. જેમા પહેલા 13 દિવસ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ દરમિયાન આત્મા તેમના પરિજનોની આસપાસ રહે છે અને 13માંની વિધિ પિંડદાન જેવા સંસ્કાર તેમની આગળની રાહને પ્રભાવિત કરે છે. આ માન્યતાઓ પાછળ શાસ્ત્રોમાં શું કહેવાયુ છે. -વાંચો

ગરૂડ પુરાણ હિંદુ ધર્મમાં 18 મહાપુરાણોમાંથી એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. જે ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરૂડ વચ્ચે થયેલા સંવાદના રૂપમાં લખાયેલ છે. આ પુરાણમાં જીવન, મૃત્યુ, કર્મ અને પરલોક સાથે જોડાયેલી વાતોની ઊંડાણપૂર્વ સમજ આપવામાં આવી છે. સામાન્ય રીતે ગરૂડ પુરાણનો પાઠ કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ કરવામાં આવે છે. એવુ માનવામા આવે છે કે તેનાથી આત્માને શાંતિ મળે છે અને પરિવારને ધર્મ અને જીવનના સત્યને સમજવાનો મોકો મળે છે.
ગરૂડ પુરાણમાં મૃત્યુ બાદ આત્માની યાત્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃત્યુ એ જીવનનું અંતિમ અને સનાતન સત્ય છે. એવુ મનાય છે કે શરીરનો નાશ થયા બાદ પણ આત્માનું અસ્તિત્વ બની રહે છે અને તેની અલગ યાત્રા શરૂ થાય છે. ગરૂડ પુરાણમાં આ પ્રક્રિયા આ સમગ્ર પ્રક્રિયાને વિસ્તારથી સમજાવવામાં આવ્યુ છે. માન્યતા છે કે મૃત્યુ બાદ આત્મા ક્યાંય દૂર નથી જતી, પરંતુ થોડા દિવસો સુધી એક વિશેષ અવસ્થામાં રહે છે. ખાસ કરીને મૃત્યુ પછીના 13 દિવસ અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા કર્મકાંડ અને સંસ્કાર આત્માની આગળની યાત્રાને સરળ અથવા કઠિન બનાવી શકે છે.
શું હોય છે તેરમા ની વિધિ?
ગરુડ પુરાણ અનુસાર, તેરમાની વિધિને આવશ્યક માનવામાં આવે છે કારણ કે તે આત્માની આગળની યાત્રાનો માર્ગ મોકળો કરે છે. વિવિધ માન્યતાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન, આત્મા તેના પ્રિયજનોની નજીક રહે છે અને તેમના કાર્યો અને લાગણીઓથી પ્રભાવિત થાય છે.
મૃત્યુ પછી 13મા દિવસે કરવામાં આવતી તેરમાની વિધિ એક મહત્વપૂર્ણ તબક્કો છે. તેને સાંસારિક બંધનોમાંથી આત્માની મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી વિધિઓ પછી, એવું માનવામાં આવે છે કે આત્મા તેની આગામી યાત્રા માટે તૈયાર થઈ જાય છે અને આ દુનિયામાંથી તે અંતિમ વિદાય લે છે.
મૃત્યુ પછી આત્માની યાત્રાની શરૂઆત
ગરુડ પુરાણ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો સનાતન માન્યતાઓ અનુસાર, તેનો આત્મા શરીરથી અલગ થઈ એક નવી યાત્રા પર નીકળે છે. આ સમયે, આત્માને તેના કર્મો ના આધારે આગળ લઈ જવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યમદૂત આત્માને યમલોક સુધી પહોંચાડે છે. જ્યાં તેના જીવનકાળ દરમિયાન કરવામાં આવેલા બધા સારા-ખરાબ હિસાબ કરવામાં આવે છે. કેટલીક પરંપરાઓ એવું પણ સૂચવે છે કે આત્માને થોડા સમય માટે પાછો મોકલવામાં આવે છે જેથી તે તેની પાછળ કરવામાં આવતી અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલા ધાર્મિક વિધિઓ અને ક્ષણોનો સાક્ષી બની શકે.
13 દિવસ શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે?
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછીના પ્રથમ 13 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન, આત્મા તેના ઘર અને પરિવારની એકદમ નજીક રહે છે. તે તેના પ્રિયજનોની લાગણીઓને અનુભવે છે પરંતુ તેમની સાથે કોઈ સીધો સંપર્ક સ્થાપિત કરવામાં અસમર્થ રહે છે. આ સમય દરમિયાન એક પ્રકારના મોહ, આસક્તિ અને સાંસારિક બંધનોથી બંધાયેલી હોય છે અને ધીમે ધીમે આ નશ્વર દુનિયાથી પોતાને અલગ કરવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે.
પિંડ-દાન શા માટે કરવામાં આવે છે?
શાસ્ત્રોમાં પિંડ-દાનની વિધિને ખૂબ જ મહત્વની ગણાવાઈ છે. એવું માનવામાં આવે છે કે જેમ કોઈ લાંબી અને કઠિન યાત્રા માટે ઉર્જાની જરૂર હોય છે, તેવી જ રીતે આ વિધિ આત્માને આગળ વધવા માટે જરૂરી શક્તિ અને હિંમત આપે છે. પિંડદાનની વિધિ આત્માની પરલોક યાત્રાને આસાન બનાવવા માટેનો એક આધ્યાત્મિક પ્રયાસ ગણવામાં આવે છે.
