AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navratra : 22 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો આ નવ દિવસમાં શું કરવું અને શું ન કરવું

Chaitra Navratra 2023 : એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે કેટલાક નિયમો છે, જેનું પાલન કરવામાં આવે છે.

Chaitra Navratra : 22 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો આ નવ દિવસમાં શું કરવું અને શું ન કરવું
Chaitra Navratra
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 3:52 PM
Share

આ વખતે 22 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવ દિવસ સુધી ચાલનારી નવરાત્રિ, ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે પ્રતિપદા તિથિ પર કલશની સ્થાપના સાથે શરૂ થશે, જે રામ નવમીના દિવસે 30 માર્ચ 2023 સુધીમાં સમાપ્ત થશે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિની શરૂઆત સાથે જ નવું હિંદુ વિક્રમ સંવત 2080 પણ શરૂ થશે. નવરાત્રિના 9 દિવસ સુધી, દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે કેટલાક નિયમો છે, જેનું પાલન કરવામાં આવે છે. પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય રીતે અને કોઈપણ ભૂલ વગર કરવામાં આવે. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

ચૈત્ર નવરાત્રી તિથિ અને કલશ સ્થાપન પૂજા પદ્ધતિ

પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 21 માર્ચ, 2023 ના રોજ રાત્રે 10:52 થી શરૂ થઈને 22 માર્ચ, 2023 સુધી રાત્રે 08:20 સુધી રહેશે. નવરાત્રીના પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવાનો શુભ સમય 22 માર્ચ 2023ના રોજ સવારે 06.23 થી 07.32 સુધીનો રહેશે.

ચૈત્ર નવરાત્રીમાં શું કરવું

ચૈત્ર નવરાત્રિ શરૂ થયા પછી, સતત નવ દિવસ સુધી તમારા ઘરની નજીક બનેલા મંદિરમાં જાઓ અને દુર્ગા માતાના દર્શન કરો અને દુર્ગા ચાસીસાનો પાઠ કરો. નવરાત્રીના નવ દિવસો દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. નવરાત્રિના દિવસોમાં સવારે અને સાંજે બંને સમયે મા દુર્ગાની પૂજા કરો. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાને જળ અર્પણ કરો. તેનાથી માતા દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે. જો શક્ય હોય તો, નવરાત્રિના 9 દિવસ સુધી ઉપવાસ રાખો અને ઉપવાસ દરમિયાન ફળો ખાઓ.

નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાને વિશેષ રૂપે શણગારો અને પૂજામાં સુહાગની તમામ સામગ્રી માતાને અર્પણ કરો. નવરાત્રિ દરમિયાન આવતી અષ્ટમી તિથિએ કન્યાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો. કન્યા પૂજન પછી કન્યાઓને ભેટ આપો. તેનાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાની સામે અવશ્ય અખંડ દીવો પ્રગટાવો. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે, દીવો પ્રગટાવતી વખતે તે આખા નવ દિવસ સુધી સતત સળગવો જોઈએ.નવરાત્રિના નવ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

નવરાત્રિ દરમિયાન આ કામ ન કરવું

નવરાત્રિ દરમિયાન ભોજનમાં ડુંગળી, લસણ અને મસાલા નાખવાનું ટાળો. નવરાત્રી દરમિયાન શાકાહારી ખોરાક લેવો જોઈએ. નવરાત્રી દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ. નવરાત્રિ દરમિયાન કોઈની સાથે વાદ-વિવાદ કરવાનું ટાળો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો નવદુર્ગાની ઉપાસના, ઘરમાં સુખ-સમૃદ્ધિનું થશે આગમન

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">