ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો નવદુર્ગાની ઉપાસના, ઘરમાં સુખ-સમૃદ્ધિનું થશે આગમન

નવરાત્રીની (Navratri) પૂજા દરમ્યાન લાલ રંગના ઉનના આસન પર બેસવું જોઇએ. જો આપની પાસે લાલ રંગનું આસન ન હોય તો કામળો લો અને તેની ઉપર લાલ રંગનું બીજુ કપડું પાથરીને, તેના પર બેસીને પૂજા કરવી જોઇએ !

ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો નવદુર્ગાની ઉપાસના, ઘરમાં સુખ-સમૃદ્ધિનું થશે આગમન
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 14, 2023 | 6:22 AM

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રી પર પૂરા નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રી 22 માર્ચ 2023, બુધવારથી શરૂ થશે. માન્યતા અનુસાર નવરાત્રીનું વ્રત રાખીને પૂર્ણ શ્રદ્ધા સાથે માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવાથી માતા પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે. સાથે જ ભક્તોની દરેક મનોકામનાની પૂર્તિ કરે છે. નવરાત્રીના દિવસોમાં લોકો પોતાના ઘરમાં માતાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે અને ઘરમાં અખંડ જ્યોત પણ પ્રજવલિત રાખે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસોમાં કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે સુખ-સમૃદ્ધિના આશિષની પણ પ્રાપ્તિ કરી શકો છો. આવો, તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

જ્યોતિષ શાસ્ત્રમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા દુર્ગાની વિશેષ કૃપા મેળવવા માટે વિશેષ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ એ ઉપાયો છે કે જે જીવમાત્રના કષ્ટોનું તો શમન કરે જ છે, સાથે જ તેના અનુસરણથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું પણ આગમન થાય છે.

સરળ ઉપાયથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ !

⦁ ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે નવ દિવસ સુધી માતા દુર્ગાનું વ્રત રાખવામાં આવે છે. જો તમે નવ દિવસ સુધી વ્રત ન કરી શકો તો પહેલું, ચોથું અને આઠમું નોરતું જરૂરથી કરવું જોઈએ. એટલે કે પહેલાં, ચોથા અને આઠમા નોરતે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

⦁ નવરાત્રીમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે પહેલા દિવસે પૂજા સ્થળ પર માતા દુર્ગા, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવી જોઇએ અને પછી તેમની પૂજા-અર્ચના કરવી જોઇએ. તેનાથી દેવીના ત્રણેય રૂપના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

⦁ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ અકબંધ રાખવા માટે નવરાત્રીના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રજવલિત રાખવી જોઇએ. તેમજ પૂજા સમયે “ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ” મંત્રનો જાપ કરવો જોઇએ.

⦁ નવરાત્રીના દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો. જો સંપૂર્ણ પાઠ ન કરી શકો તો દુર્ગા સપ્તશતી કવચ, કીલક અને અર્ગલા સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો જોઇએ. માન્યતા અનુસાર આ કરવાથી માતા દુર્ગાના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

⦁ નવરાત્રીની પૂજા દરમ્યાન લાલ રંગના ઉનના આસન પર બેસવું જોઇએ. જો આપની પાસે લાલ રંગનું આસન ન હોય તો કામળો લો અને તેની ઉપર લાલ રંગનું બીજુ કપડું પાથરીને, તેના પર બેસીને પૂજા કરવી જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">