Ganesh Chaturthi 2021: અહીં પત્ર લખી ભક્તો ગજાનન સુધી પહોંચાડે છે તેમની મનશા, જાણો ઢાંકના સિદ્ધિ વિનાયકનો મહિમા

આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં તમને મંદિરમાં જોવા મળશે ઢગલાબંધ પત્રો, એટલે કે ટપાલો ! અહીં મંદિરમાં તમને જોવા મળશે ટપાલ લખતાં ભક્તો અને સાથે જ જોવા મળશે પૂજારીના હાથમાં ‘ટપાલ’નો થપ્પો !

Ganesh Chaturthi 2021: અહીં પત્ર લખી ભક્તો ગજાનન સુધી પહોંચાડે છે તેમની મનશા, જાણો ઢાંકના સિદ્ધિ વિનાયકનો મહિમા
ઢાંકમાં સ્વયંભૂ સિદ્ધિ વિનાયકના દર્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 12:18 PM

એકદંતા શ્રીગણેશ (Shree Ganesha) એટલે તો સદૈવ ભક્તોના હૃદયમાં વસનારા દેવ. આ મંગલમૂર્તિનું (Mangalmurti) રૂપ જ કંઈક એવું છે કે તેમના દર્શન માત્ર ભક્તોના મનને પ્રસન્નચિત્ત કરી દે છે અને એ જ કારણ છે કે ભક્તો ગજાનનના દિવ્ય રૂપનું દર્શન કરવા વિવિધ સ્થાનકોનું શરણું લેતા રહે છે. પણ, અમારે આજે વાત કરવી છે એક ખૂબ જ અનોખાં ગણેશ મંદિરની. એ મંદિરની કે જ્યાં વિઘ્નહર્તાને પત્ર લખી ભક્તો તેમની મનોકામના પહોંચાડે છે ! જી હાં, પત્ર લખીને.

રાજકોટના ઉપલેટાથી લગભગ 22 કિ.મી.ના અંતરે ઢાંક નામે ગામ આવેલું છે. આ ગામમાં વિદ્યમાન શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં મંદિરમાં સિંહ પર આરૂઢ ગજાનનના શ્રદ્ધાળુઓને દર્શન થઈ રહ્યા છે. વિઘ્નહરનું આ દિવ્ય રૂપ ભક્તોની સર્વ મનશાઓને સિદ્ધ કરનારું મનાય છે. પણ, જાણો છો આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા શું છે ?

આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં તમને મંદિરમાં જોવા મળશે ઢગલાબંધ પત્રો, એટલે કે ટપાલો ! અહીં મંદિરમાં તમને જોવા મળશે ટપાલ લખતાં ભક્તો અને સાથે જ જોવા મળશે પૂજારીના હાથમાં ‘ટપાલ’નો થપ્પો ! આ જોઈને પ્રશ્ન થવો સ્વભાવિક છે, કે એક મંદિરમાં શું કરી રહ્યા છે આટલાં બધાં પત્રો ?

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઢાંકમાં આવેલું વિઘ્નહર્તાનું આ સ્થાનક એ સૌરાષ્ટ્રના પ્રાચીન ગણેશ મંદિરોમાંથી એક છે. અહીં શ્રી ગણેશનું સ્વયંભૂ જ પ્રાગટ્ય થયું હોવાની લોકવાયકા છે. અલબત્ આજે તો આ સ્થાનક પ્રસિદ્ધ છે તેની સાથે જોડાયેલા આ પત્રોને લીધે. આ પત્રો દ્વારા ભક્તો તેમની મનશા અભિવ્યક્ત કરે છે અને માન્યતા તો એવી પણ છે કે વક્રતુંડ આ એકે એકે પત્રનો જવાબ પણ આપે છે ! એ પણ, ભક્તોની મનોકામના પૂર્ણ કરીને.

વાસ્તવમાં ભક્તો પત્રના માધ્યમથી તેમના સંતાપો કે ઈચ્છાઓ લખીને વિઘ્નહર્તાને ટપાલના માધ્યમથી મોકલે છે. મંદિરના પૂજારી એકાંતમાં દરેક પત્ર ગજાનનને વાંચી સંભળાવે છે. આ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. માન્યતા એવી છે કે આ પત્ર સાંભળી એકદંતા ભક્તની મનોકામનાને પૂર્ણ પણ કરે છે.

By writing a letter here the devotees convey their wish to Gajanan Know the glory of Siddhivinayak of Dhank

મનોકામના પૂર્તિ રૂપે ભક્તોના પત્રોનો જવાબ આપે છે આ સિદ્ધિવિનાયક !

મંદિરોમાં ટપાલોના આવવાનો અને પૂજારી દ્વારા તેના એકાંતમાં વંચાવાનો આ સીલસીલો આ સ્થાનકમાં લગભગ ત્રણ દાયકાથી ચાલી રહ્યો છે. માત્ર સૌરાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો અહીં વિઘ્નહર્તાને ટપાલ મોકલે છે. અહીં નિત્ય જ લગભગ 40 જેટલી ટપાલો આવે છે અને ગણેશ ચતુર્થીથી દિવાળી સુધીમાં આ આંક લગભગ 150 જેટલો થઈ જાય છે.

અનેરો જ છે ટપાલ સાંભળી, ભક્તોની મનશાને પરિપૂર્ણ કરતા ઢાંકના સિદ્ધિ વિનાયકનો મહિમા અને એટલે જ તો તેમના પર સતત દ્રઢ થઈ રહી છે શ્રદ્ધાળુઓની આસ્થા.

આ પણ વાંચોઃ શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા

આ પણ વાંચોઃ મીઠાઈથી રીઝશે મંગલમૂર્તિ ! જાણો ગણેશોત્સવ દરમિયાન ગજાનનને અર્પણ કરવાના વિશેષ ભોગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">