AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાંબુ, સ્ટીલ, ચાંદી કે બીજી કોઈ ધાતુ? જાણો ભગવાન શિવનો અભિષેક કયા પાત્રથી કરવો સૌથી શુભ !

પૂજામાં વપરાતા ધાતુનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, શિવલિંગ પર જળ કે દૂધ અર્પણ કરવા માટે યોગ્ય ધાતુના પાત્રનો ઉપયોગ કરવાથી પૂજાનું શુભ ફળ મળી શકે છે. જ્યારે કેટલીક ધાતુના વાસણોનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે.

તાંબુ, સ્ટીલ, ચાંદી કે બીજી કોઈ ધાતુ? જાણો ભગવાન શિવનો અભિષેક કયા પાત્રથી કરવો સૌથી શુભ !
Auspicious Vessel Lord Shiva AbhishekImage Credit source: AI Generated
| Updated on: Jul 15, 2026 | 9:40 AM
Share

સનાતન ધર્મમાં, દેવતાઓની પૂજામાં વાસણની ધાતુને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. મહાદેવની પૂજામાં પણ આ નિયમ લાગુ પડે છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યોગ્ય રીતે અને યોગ્ય પાત્રમાં જળ કે દૂધ અર્પણ કરવું જરૂરી છે. શિવપુરાણ અને શાસ્ત્રો અનુસાર, શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે એ જાણવું મહત્વપૂર્ણ છે કે કયા ધાતુના વાસણનો ઉપયોગ કરવો જોઈએ અને કયા વાસણનો ઉપયોગ ટાળવો જોઈએ.

શિવલિંગ પર જળાભિષેક માટે કઈ ધાતુનું પાત્ર શ્રેષ્ઠ?

તાંબાનું પાત્ર : શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શિવલિંગ પર જળ અર્પણ કરતી તાંબુ શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર ધાતુ છે. જ્યારે ભગવાન શિવને તાંબાના વાસણમાં જળ અર્પણ કરવામાં આવે છે, ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. આનાથી ગ્રહોના ખરાબ પ્રભાવ દૂર થાય છે અને પરિવારમાં શાંતિ અને સુખ આવે છે. વૈજ્ઞાનિક રીતે, તાંબાના સંપર્કમાં આવેલું પાણી અત્યંત શુદ્ધ અને બેક્ટેરિયા મુક્ત બને છે.

પિત્તળ અથવા કાંસાનું પાત્ર : તાંબા પછી પિત્તળ અને કાંસું શુભ માનવામાં આવેલું છે. જો તાંબાનું પાત્ર ઉપલબ્ધ ન હોય તો શિવલિંગ પર જળ ચઢાવવા માટે પિત્તળ અથવા કાંસાના પાત્રનો પણ ઉપયોગ કરી શકાય છે.

ચાંદી અથવા સોનાનું પાત્ર : જો શક્ય હોય તો સોનું-ચાંદીના પાત્રનો ઉપયોગ કરી શકાય છે. ધાર્મિક માન્યતા છે કે ખાસ કરીને ચાંદીના પાત્રમાં જળ અથવા ગંગાજળ અર્પણ કરવાથી ચંદ્ર સંબંધિત અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે અને માનસિક શાંતિ મળે છે.

આ પાત્રોનો ઉપયોગ ટાળવો જોઈએ?

તાંબાનુ વાસણ : તાંબાના વાસણમાં દૂધ કે પંચામૃત અર્પણ કરવાનું ટાળો: ધ્યાનમાં રાખો કે તાંબાના વાસણમાં જળ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર દૂધ, દહીં કે પંચામૃત અર્પણ કરશો નહીં. શાસ્ત્રો અનુસાર, જો દૂધ તાંબાના વાસણમાં સંગ્રહિત કરવામાં આવે છે, તો તે રાસાયણિક પ્રતિક્રિયાને કારણે ઝેરી બની જાય છે. તેથી જો તમે દૂધ સાથે અભિષેક કરવા માંગતા હો, તો હંમેશા પિત્તળ અથવા ચાંદીના વાસણનો ઉપયોગ કરવો.

લોખંડ અને સ્ટીલનું પાત્ર : આધુનિક સમયમાં ઘણા લોકો લોખંડ અથવા સ્ટીલના પાત્રથી જળાભિષેક કરે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર લોખંડ અને સ્ટીલના પાત્રનો ઉપયોગ શુભ માનવામાં આવતો નથી. લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. ધાર્મિક વિધિ દરમિયાન તેનો ઉપયોગ ટાળવાની માન્યતા છે. સ્ટીલ પણ લોખંડનું જ એક સ્વરૂપ છે. તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક : માન્યતા અનુસાર એલ્યુમિનિયમને રાહુ સાથે જોડાયેલી ધાતુ માનવામાં આવે છે. પ્લાસ્ટિકને પણ પૂજામાં યોગ્ય માનવામાં આવતું નથી. કોઈપણ ધાર્મિક વિધિમાં એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ ટાળવો જોઈએ.

નોંધ: આ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, શું ઘરના દ્વાર પર બેઠેલો કૂતરો જીવન અને મૃત્યુ વચ્ચેની દીવાલ હોઈ શકે છે ?

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">