PNB ના ગ્રાહકો માટે બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સુવિધા ઠપ્પ થવાનો ભય, સમસ્યા ટાળવા વહેલી તકે નિપટાવીલો આ કામ

જો કોઈ ગ્રાહક 12 ડિસેમ્બર 2022 પહેલા KYC અપડેટ કરાવશે નહિ તો તેને બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત કામમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર અસ્થાયી પ્રતિબંધ લાગી શકે છે.

PNB ના ગ્રાહકો માટે બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સુવિધા ઠપ્પ થવાનો ભય, સમસ્યા ટાળવા વહેલી તકે નિપટાવીલો આ કામ
Updating KYC is mandatory
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 6:34 AM

જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. બેંકના ઘણા એવા ગ્રાહકો છે જેમણે હજી સુધી તેમનું KYC અપડેટ કર્યું નથી. એટલા માટે PNBએ તેના ગ્રાહકોને KYC અપડેટ કરવા અંગે ચેતવણી આપી છે. આ માટે બેંકે 12 ડિસેમ્બર 2022ની સમયમર્યાદા નક્કી કરી છે. પંજાબ નેશનલ બેંક દ્વારા તેના ગ્રાહકોને KYC અપડેટ માટે SMS, ઈ-મેલ અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાણ કરવામાં આવી છે. જે ગ્રાહકોએ આ સમયમર્યાદા પહેલા તેમના KYC અપડેટ નહીં કરે તેમને બેંકિંગ અને વ્યવહારોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

બેંકિંગ અને લેવડદેવડ સંબંધિત કોઈ કામ થશે નહીં

જો કોઈ ગ્રાહક 12 ડિસેમ્બર 2022 પહેલા KYC અપડેટ કરાવશે નહિ તો તેને બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત કામમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર અસ્થાયી પ્રતિબંધ લાગી શકે છે. સેવાઓ ફરીથી શરૂ કરવા માટે ગ્રાહકોએ બેંક શાખાની મુલાકાત લેવી પડશે. જો તમે હજુ સુધી KYC કર્યું નથી તો આ સમસ્યાઓથી દૂર રહેવા માટે તમારા એકાઉન્ટનું KYC જલ્દી અપડેટ કરાવો.

આરબીઆઈની ગાઈડલાઈનનું પાલન જરૂરી

કેન્દ્રીય બેંક આરબીઆઈ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા હેઠળ તમામ બેંકો માટે ગ્રાહકોના કેવાયસી અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને PNBએ તેના ગ્રાહકોને વહેલી તકે KYC અપડેટ કરવાની અપીલ કરી છે. હજુ પણ બેંકના ઘણા એવા ગ્રાહકો છે જેમણે પોતાનું KYC અપડેટ કર્યું નથી. PNBએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

KYC કેવી રીતે કરવું

બેંક ખાતાના કેવાયસીને અપડેટ કરવા માટે તમે તમારી બેંકની નજીકની શાખામાં જઈને તેને પૂર્ણ કરી શકો છો. આ માટે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજોની જરૂર પડશે. બેંકની મુલાકાત લઈને અને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે આ દસ્તાવેજો જોડીને તમે સરળતાથી તમારું KYC અપડેટ કરાવી શકો છો. બેંક દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે KYC માટે બેંક તમને મેસેજ કે ફોન પર તમારી અંગત માહિતી માંગતી નથી. તેથી આવા કોઈપણ કોલ અથવા મેસેજ પર બિલકુલ વિશ્વાસ કરવો નહિ.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">