AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-KISAN યોજનામાં eKYC ની છેલ્લી તારીખ લંબાવી, પણ ઓનલાઈન નહીં મળે આ સુવિધા, જાણો કેમ

પીએમ કિસાન લાભાર્થીઓ માટે ઈ-કેવાયસીની સમયમર્યાદા 22 મે, 2022 સુધી લંબાવવામાં આવી છે. નોંધનીય છે કે તમામ લાભાર્થી ખેડૂતો માટે તેમનું વાર્ષિક ભંડોળ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે ઇ-કેવાયસી ફરજિયાત છે.

PM-KISAN યોજનામાં eKYC ની છેલ્લી તારીખ લંબાવી, પણ ઓનલાઈન નહીં મળે આ સુવિધા, જાણો કેમ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:04 AM
Share

સરકારે પીએમ કિસાન યોજના (PM-Kisan) માટે ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવી છે. જે ખેડૂતો પાત્રતા ધરાવતા હોય તેઓ PM કિસાન યોજનાનો લાભ લેવા માટે ઈલેક્ટ્રોનિક KYC કરી શકે છે. નિયમો અનુસાર, જે ખેડૂતો KYC કરાવશે નહીં, તેમને PM કિસાન યોજના હેઠળ પૈસા નહીં મળે. PM કિસાન (PM-Kisan eKYC deadline) હેઠળ eKYC માટેની અંતિમ તારીખ અગાઉ 31 માર્ચ હતી. પરંતુ સરકારે તેને વધારીને 22 મે, 2022 કરી દીધી છે. પીએમ કિસાન વેબસાઈટ પર એક નોંધ જણાવે છે કે તમામ પીએમ કિસાન લાભાર્થીઓ માટે ઈ-કેવાયસીની સમયમર્યાદા 22 મે, 2022 સુધી લંબાવવામાં આવી છે. નોંધનીય છે કે તમામ લાભાર્થી ખેડૂતો માટે તેમનું વાર્ષિક ભંડોળ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે ઇ-કેવાયસી ફરજિયાત છે.

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ અથવા PM-કિસાન એ કેન્દ્ર સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના છે જે દરેક પાત્ર ખેડૂત અને તેના પરિવારને વાર્ષિક રૂ. 6,000 પ્રદાન કરે છે. દર વર્ષે એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચમાં ત્રણ હપ્તામાં નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પીએમ કિસાન યોજના ડિસેમ્બર 2018 માં નરેન્દ્ર મોદી સરકાર હેઠળ આવા ખેડૂત પરિવારોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી હતી જેમને નાણાકીય સહાયની જરૂર છે.

PM કિસાન વેબસાઇટ શું કહે છે

પીએમ-કિસાન પોર્ટલ આ હપ્તાઓ ચાલુ રાખવા માટે ખેડૂતોના આધાર ડેટાનો ઉપયોગ કરે છે. ત્યારે જ આ કામ માટે eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે, કેવાયસીની છેલ્લી તારીખ લંબાવવામાં આવ્યા પછી, પીએમ-કિસાન પોર્ટલ પર ઇકેવાયસી પૂર્ણ કરવાનો હવે કોઈ વિકલ્પ નથી. PM-KISAN વેબસાઇટ અનુસાર, PM-KISAN નોંધાયેલા ખેડૂતો માટે eKYC ફરજિયાત છે. બાયોમેટ્રિક ચકાસણી માટે તમારે તમારા નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરવો પડશે. OTP વેરિફિકેશન દ્વારા આધાર e-KYC અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. એટલે કે આધારની મદદથી ઈ-કેવાયસી કામ નહીં કરે.

ઑફલાઇન કેવાયસી કરવું જરૂરી છે

આનો અર્થ એ થયો કે પાત્રતા ધરાવતા ખેડૂતો તેમના આધાર પરથી OTP વેરિફિકેશન દ્વારા ઇ-કેવાયસી પૂર્ણ કરી શકશે નહીં. તેઓએ આ ઈ-કેવાયસી માટે માત્ર બાયોમેટ્રિક વેરિફિકેશનનો આશરો લેવો પડશે. બાયોમેટ્રિક વેરિફિકેશન ત્યારે જ થશે જ્યારે ખેડૂતો આધાર કેન્દ્રની મુલાકાત લેશે. ત્યાં ખેડૂતે તેની બાયોમેટ્રિક વિગતો સાથે તેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. KYC કરવું જરૂરી છે કારણ કે 11મા હપ્તાના પૈસા ત્યારે જ મળશે જ્યારે e-KYC થશે.

eKYC ઑફલાઇન થયા પછી, પાત્ર ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે. જો લાભાર્થી ખેડૂત ખોટી માહિતી આપશે તો તે પૈસા મેળવવા માટે જવાબદાર રહેશે અને આ માટે તેને સજા પણ ભોગવવી પડશે. બાદમાં તેણે પૈસા પણ પરત કરવા પડશે.

તમામ ભૂમિહર ખેડૂત પરિવારો જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે. જો કે, સંસ્થાકીય ભૂમિહર અને આવકવેરો ભરનારાઓ આ યોજના હેઠળ પાત્ર નથી.

આ પણ વાંચો: Kutch : 15 વર્ષથી કાર્ગો હેન્ડલીંગમાં દિનદયાળ કંડલા પોર્ટે નંબર-01 ની સિદ્ધિ મેળવી

આ પણ વાંચો: હવેલી લેતા વડોદરુ ખોયું, રાજ્યસભામાં અમિત શાહે કેમ ઉચ્ચારી આ વાત, જુઓ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">