PM-KISAN યોજનામાં eKYC ની છેલ્લી તારીખ લંબાવી, પણ ઓનલાઈન નહીં મળે આ સુવિધા, જાણો કેમ

પીએમ કિસાન લાભાર્થીઓ માટે ઈ-કેવાયસીની સમયમર્યાદા 22 મે, 2022 સુધી લંબાવવામાં આવી છે. નોંધનીય છે કે તમામ લાભાર્થી ખેડૂતો માટે તેમનું વાર્ષિક ભંડોળ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે ઇ-કેવાયસી ફરજિયાત છે.

PM-KISAN યોજનામાં eKYC ની છેલ્લી તારીખ લંબાવી, પણ ઓનલાઈન નહીં મળે આ સુવિધા, જાણો કેમ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:04 AM

સરકારે પીએમ કિસાન યોજના (PM-Kisan) માટે ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવી છે. જે ખેડૂતો પાત્રતા ધરાવતા હોય તેઓ PM કિસાન યોજનાનો લાભ લેવા માટે ઈલેક્ટ્રોનિક KYC કરી શકે છે. નિયમો અનુસાર, જે ખેડૂતો KYC કરાવશે નહીં, તેમને PM કિસાન યોજના હેઠળ પૈસા નહીં મળે. PM કિસાન (PM-Kisan eKYC deadline) હેઠળ eKYC માટેની અંતિમ તારીખ અગાઉ 31 માર્ચ હતી. પરંતુ સરકારે તેને વધારીને 22 મે, 2022 કરી દીધી છે. પીએમ કિસાન વેબસાઈટ પર એક નોંધ જણાવે છે કે તમામ પીએમ કિસાન લાભાર્થીઓ માટે ઈ-કેવાયસીની સમયમર્યાદા 22 મે, 2022 સુધી લંબાવવામાં આવી છે. નોંધનીય છે કે તમામ લાભાર્થી ખેડૂતો માટે તેમનું વાર્ષિક ભંડોળ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે ઇ-કેવાયસી ફરજિયાત છે.

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ અથવા PM-કિસાન એ કેન્દ્ર સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના છે જે દરેક પાત્ર ખેડૂત અને તેના પરિવારને વાર્ષિક રૂ. 6,000 પ્રદાન કરે છે. દર વર્ષે એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચમાં ત્રણ હપ્તામાં નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પીએમ કિસાન યોજના ડિસેમ્બર 2018 માં નરેન્દ્ર મોદી સરકાર હેઠળ આવા ખેડૂત પરિવારોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી હતી જેમને નાણાકીય સહાયની જરૂર છે.

PM કિસાન વેબસાઇટ શું કહે છે

પીએમ-કિસાન પોર્ટલ આ હપ્તાઓ ચાલુ રાખવા માટે ખેડૂતોના આધાર ડેટાનો ઉપયોગ કરે છે. ત્યારે જ આ કામ માટે eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે, કેવાયસીની છેલ્લી તારીખ લંબાવવામાં આવ્યા પછી, પીએમ-કિસાન પોર્ટલ પર ઇકેવાયસી પૂર્ણ કરવાનો હવે કોઈ વિકલ્પ નથી. PM-KISAN વેબસાઇટ અનુસાર, PM-KISAN નોંધાયેલા ખેડૂતો માટે eKYC ફરજિયાત છે. બાયોમેટ્રિક ચકાસણી માટે તમારે તમારા નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરવો પડશે. OTP વેરિફિકેશન દ્વારા આધાર e-KYC અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. એટલે કે આધારની મદદથી ઈ-કેવાયસી કામ નહીં કરે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઑફલાઇન કેવાયસી કરવું જરૂરી છે

આનો અર્થ એ થયો કે પાત્રતા ધરાવતા ખેડૂતો તેમના આધાર પરથી OTP વેરિફિકેશન દ્વારા ઇ-કેવાયસી પૂર્ણ કરી શકશે નહીં. તેઓએ આ ઈ-કેવાયસી માટે માત્ર બાયોમેટ્રિક વેરિફિકેશનનો આશરો લેવો પડશે. બાયોમેટ્રિક વેરિફિકેશન ત્યારે જ થશે જ્યારે ખેડૂતો આધાર કેન્દ્રની મુલાકાત લેશે. ત્યાં ખેડૂતે તેની બાયોમેટ્રિક વિગતો સાથે તેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. KYC કરવું જરૂરી છે કારણ કે 11મા હપ્તાના પૈસા ત્યારે જ મળશે જ્યારે e-KYC થશે.

eKYC ઑફલાઇન થયા પછી, પાત્ર ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે. જો લાભાર્થી ખેડૂત ખોટી માહિતી આપશે તો તે પૈસા મેળવવા માટે જવાબદાર રહેશે અને આ માટે તેને સજા પણ ભોગવવી પડશે. બાદમાં તેણે પૈસા પણ પરત કરવા પડશે.

તમામ ભૂમિહર ખેડૂત પરિવારો જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે. જો કે, સંસ્થાકીય ભૂમિહર અને આવકવેરો ભરનારાઓ આ યોજના હેઠળ પાત્ર નથી.

આ પણ વાંચો: Kutch : 15 વર્ષથી કાર્ગો હેન્ડલીંગમાં દિનદયાળ કંડલા પોર્ટે નંબર-01 ની સિદ્ધિ મેળવી

આ પણ વાંચો: હવેલી લેતા વડોદરુ ખોયું, રાજ્યસભામાં અમિત શાહે કેમ ઉચ્ચારી આ વાત, જુઓ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">